________________
૪૦
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય કહેવા કૃપા કરો.” આ પ્રમાણે બોલતો ને ભમતો પાછો પોતાના શયનસ્થાન પાસે આવ્યો. એમ ગાંડાની જેમ તે ગમનાગમન કરવા લાગ્યો અને બોલવા લાગ્યો કે–“અરે ! હું શું કરું? ક્યાં જાઉં? રામચંદ્ર આ પૃથ્વી ઉપર નથી કે જે મારા પ્રિયાવિરહથી થતા દુઃખને જાણી શકે. બીજો કોઈ મનુષ્ય તો તે જાણી શકે તેમ નથી.
“આ સંસાર અસારડો, આશા બંધન ભાઈ,
અનેરડે કરી સુઈએ, અનેરડે વિહાઈ.” “આ સંસાર અસાર છે અને તેમાં આશાનું બંધન છે. તેમાં મનુષ્ય અનેરી સ્થિતિમાં સુએ છે અને અનેરી સ્થિતિમાં પ્રભાતે ઉઠે છે.” “જે સેંકડો મનોરથને પણ અગોચર છે અર્થાત જેનો મનોરથ પણ કરી શકાતો નથી, જ્યાં કવિની વાણી પણ ચાલી શકતી નથી અને જેનું સ્વપ્ન પણ આવતું નથી તેને વિધાતા લીલામાત્રમાં જ કરે છે.” “પંડિતજનોને દરિદ્ર બનાવ્યા, વનિતાજનને વહેલી વૃદ્ધાવસ્થા આપી અને કુલાંગનાને પતિ વગરની અથવા પુત્ર વગરની કરી, તેથી હું તો માનું છું કે વિધિ જ ખરેખરો બળવાનું છે.”
- આ પ્રમાણે વિચારતો અને પ્રલાપ કરતો ધર્મદત્ત પોતાના ઘર તરફ ચાલ્યો. ચંદ્રપુરમાં પ્રવેશ કરતાં તે વિચારવા લાગ્યો કે હા મૂઢ ધર્મદત્ત ! અનાત્મજ્ઞ એવો તું ક્યાં જાય છે? અરે ! જેનું વહાણ ભાંગી ગયું છે એવો અને દ્રવ્ય વિનાનો હું શી રીતે ઘરે જાઉં? નિભંગી એવો હું સ્વજનોને મુખ શી રીતે બતાવું? આવી સ્થિતિમાં ઘરે જવાથી ધનવાળા દુર્જનો મને વારંવાર હસશે, કહ્યું છે કે– વ્યાધ અને સર્પોથી વ્યાપ્ત વનમાં રહેવું સારું, વૃક્ષના ફળો ખાઈને અને સરોવરના પાણી પીને વૃક્ષોના સમૂહમાં વસવું સારું, ભિક્ષા માંગીને ખાવું કે વિષ ભક્ષણ કરવું સારું, પણ ધનહીનપણે કુટુંબી વચ્ચે જીવવું તે સારું નહીં.” વાનરસમૂહના નખ ને મુખથી વિદારિત થયેલા ફળોનું ભોજન કરીને વનમાં રહેવું સારું, પણ ધનના મદથી ગર્વિત થયેલા મનુષ્યોના ક્રોધના વિકારવાળી વાંકી દૃષ્ટિમાં રહેવું તે સારું નહીં.”
આ પ્રમાણે વિચારતો ધર્મદત્ત નગરમાં પ્રવેશ ન કરતાં પાછો વળ્યો અને વનમાં આવ્યો. ત્યાં પાણી પીતો અને ફળાહાર કરતો તે સિંહની જેમ વિચરવા લાગ્યો એ રીતે તેને એકલો ભમતો જોઈને એક યોગીએ તેને કહ્યું કે–“અરે ! તું કોઈ ચિંતામાં મગ્ન જણાય છે તો તને શેની ચિંતા છે ? તે કહે. “ધર્મદતે કહ્યું કે–“હે દેવ ! નિર્ધનપણામાં સુખ ક્યાંથી હોય? એટલે હું દારિદ્યપીડિત હોવાથી નિશ્ચિત શી રીતે રહી શકું? કહ્યું છે કે :
મયણદેવ ઈસર દહ્યો, લંક દહી હણમેણ,
પાંડુ વન અરજુન દહ્યો, પુણ દાલિદ ન કેણ, કામદેવને ઈશ્વરે બાળ્યો, હનુમાને લંકા બાળી અને અર્જુને પાંડુવન બાળ્યું પણ દારિદ્રયને કોઈએ બાળ્યું નહિ. તે સાંભળી યોગી બોલ્યો કે- “હે વત્સ ! મારું નામ જગતમાં દારિદ્રયદહન છે, હું દારિદ્રયને બાળી નાંખનારો છું.” તે સાંભળીને ધર્મદત્ત ખુશ થયો અને તેણે યોગીને પ્રણામ કર્યા. ધર્મદત્તની પીઠ ઉપર હાથ ફેરવીને યોગી બોલ્યા કેહે વત્સ ! તું ચિંતા