________________
દ્વિતીય પલ્લવ
૩૯ આરતી, ઉત્તમ સ્વસ્તિક અને “નમો-નમો, જય-જય’ એવા ઉચ્ચ સ્વરે બોલાયેલા શબ્દો એ સર્વ મનુષ્યોનાં ઘરમાં લક્ષ્મીનું આવાગમન સૂચવનારા શકુન રૂપ છે.” “મનુષ્યજન્મ પ્રાપ્ત થવા છતાં પણ કેટલાક પ્રાણીઓ દીપોત્સવમાં ઘરના દ્વારપર કરેલા થાપાની જેમ નિષ્ફળ જન્મવાળા હોય છે.” જે ઘરમાં દેવાયતન નથી, જ્યાં મુનિરાજના દર્શન થતા નથી અને જ્યાં સજ્જનોનો યોગ થતો નથી તેનું જીવન અનાર્ય જેવું છે. કહ્યું છે કે :
जत्थ न दीसन्ति जिणा, न य भवणं नेव संघमुहकमलं ।
न य सुव्वइ जिणवयणं, किं ताए अत्यभूमीए ? ॥
જયાં શ્રી જિનેશ્વર નથી, જિનભુવન નથી, સંઘના મુખકમળ જ્યાં દેખાતા નથી અને જયાં જિનવચન સંભળાતા નથી તે ભૂમિને લાભકારક ભૂમિ શી રીતે કહેવાય?” તેવા ગામમાં જ બુદ્ધિમાનું ગૃહસ્થ વસે છે કે જયાં મુનિરાજનું આગમન થતું હોય છે અને જયાં જિનમંદિર હોય છે, તેમ જ જ્યાં શ્રાવકો વસતા હોય છે.” - આ પ્રમાણેના પ્રિયાના વચનો વિચારીને ધર્મદત્ત-ધર્મપત્ની ધનવતીને લઈને ધીમે ધીમે આગળ ચાલ્યો. અનુક્રમે માર્ગમાં કેટલીક વાસભૂમીઓ, કેટલાક ગામો અને કેટલાક નગરો આવ્યા. તેને ઉલ્લંઘીને તેઓ ચંદ્રપુરની નજીકમાં આવ્યા. ત્યાં નગર, બહારના વનમાં સંધ્યા કાળે ખૂબ થાક લાગવાથી કોઈક સ્થાનમાં નિર્ભયપણે સુઈ ગયા.
- ધર્મદત્ત પાછલી રાત્રિએ જાગ્યો એટલે નવકારમંત્રનું સ્મરણ કરીને તે ધર્મધ્યાન કરવા લાગ્યો. પછી સૂર્યોદય થવાને વખતે તેણે પ્રિયાને જગાડવા માટે હર્ષથી મોટા અર્થવાળું એક કાવ્ય કહ્યું. તેનો ભાવાર્થ એવો છે કે “હે પ્રિયે ! કમળોની શ્રેણીનો પરિમળ વિસ્તાર પામ્યો છે પૃથ્વી પર ફરતાં કૂકડાઓ શબ્દ કરી રહ્યા છે. મેરૂપર્વતના શિખરને સૂર્ય પ્રકાશિત કરી રહ્યો છે, તો સુનયને ! જાગૃત થા અને ઊઠ, કારણકે રાત્રી વિતી ગઈ છે.” આ પ્રમાણે કહેવાથી પણ
જ્યારે તે ઊઠી નહીં ત્યારે તેણે ક્ષણવાર રહીને ફરીથી તેને જગાડવા માટે બીજું કાવ્ય કહ્યું. તેનો ‘સાર એ હતો કે-“હે પ્રિયા ! આ મૃગો તૃણ ચરવા જાય છે, પક્ષીઓ પણ ચારો ચરવા નીકળ્યા છે, માર્ગ પણ સારી રીતે ચાલવા જેવો શીતળ થયેલો છે, તો તું જાગ. રાત્રી વીતી ગઈ છે.” આ પ્રમાણે કહેવાથી પણ જ્યારે તેણીએ ઉત્તર આપ્યો નહીં ત્યારે ધર્મદત્તે તેને જગાડવા માટે તેનું મુખ હલાવવા ઇછ્યું પણ તે વખતે તેની શય્યા જ ખાલી જોઈ એટલે તેણે વિચાર્યું કે- પ્રિયા વહેલી ઊઠીને દેહચિંતા માટે ગઈ હશે.” પછી ક્ષણવાર રાહ જોવા છતાં તે આવી નહિ ત્યારે તેને બોલાવવા માટે ધર્મદત્ત ઊંચા સ્વરે બોલ્યો કે–“હે કાંતે ! આવ, આવ આપણે જલ્દીથી માર્ગે આગળ વધીએ.” આ પ્રમાણે કહેવાથી પણ કોઈ આવ્યું નહિ. એટલે તેણે ઊભા થઈને તેનાં પગલાં જોવાં માંડ્યા. પણ કોઈ જગ્યાએ તેના પગલાં દેખાયાં નહીં. તે ચારે બાજુ ભમી ભમીને થાક્યો પણ તેની પ્રાપ્તિ થઈ નહીં. ફરી ફરીને તે થાકી ગયો. પછી પ્રાણપ્રિયાના વિરહથી ચિત્તભ્રમ થયેલો અને નિક્ષેતન જેવો થયેલો તે બોલવા લગ્યો કે-“હે હંસ, કોયલ અને
હરણો ! તમે હરિણાક્ષી એવી મારી પ્રિયાને કયાંય જોઈ છે? હે ચંપક, અશોક, નિમ્બ, આમ્ર, - શાલી અને પિંપળ વગેરે વૃક્ષો ! તમે જો મારી પ્રિયાને જતી જોઈ હોય તો ઉતાવળે તેની ખબર