________________
૪૧
દ્વિતીય પલ્લવઃ
તજી દે, સ્વલ્પકાળમાં લક્ષ્મી તારી દાસી થઈને રહે એમ કરીશ.” ધર્મદત્તે પૂછ્યું કે—હે વિભો? કયા ઉપાયવડે એમ કરી આપશો ?'' તે મને કહો. યોગી બોલ્યા કે—“તને સુવર્ણપુરુષ કરી આપીશ.' ધર્મદત્તે વિચાર્યું કે—‘‘એમાં મારે સાવધ રહેવું પડશે. કેમકે આ યોગી કદાચ મને જ સુવર્ણપુરુષ કરવાનું વિચારતો હશે, કેમકે મેં પૂર્વે એવી વાતો સાંભળેલી છે.'
આ પ્રમાણે વિચારીને ધર્મદત્તે યોગીને કહ્યું કે—“તમે કોઈપણ મનુષ્યનો ઘાત કરીને સુવર્ણપુરુષ કરી આપવા વિચારતા હશો, પરંતુ તેવી રીતે હિંસાથી થયેલા સુવર્ણપુરુષનું મારે કામ નથી. હું ઇચ્છતો નથી.’ યોગી બોલ્યો કે—“અરે ! અરે ! શું હું જીવઘાત કરું ? અમારો તો ધર્મ જ એ છે કે જંતુમાત્રની રક્ષા કરવી. ‘તે જ્ઞાન પાતાળમાં જાઓ, ને ચાતુર્ય નાશ પામો અને તે ગુણ અગ્નિમાં પડો કે જ્યાં જીવદયા વર્તતી નથી. ‘સમગ્ર ગુણોમાં મુખ્ય એવી કરુણા પાપરૂપી દાવાનળને બુઝાવવા માટે વર્ષા સમાન છે. સુકૃતની સંતતિ માટે કલ્પલતા જેવી છે, તે ચિરકાળ જયવંતી વર્તો. પૂર્વપુરુષોએ કહ્યું છે કે દાન સત્યાદિ ધર્મો જેમાંથી જન્મ પામે છે તેવી દયા સિદ્ધિ સાથે સંધાન કરી આપવામાં દૂતિ સમાન છે.
તેથી સજ્જનોએ સાવધાનપણે તે સાધવી જોઈએ. દ્યૂતકાર, કોટવાળ, તેલી અને માંસવેચનાર, વાર્ધકી, નૃપતિ અને વૈદ્ય આ સાત પ્રાયે કૃપારહિત હોય છે.
ત્યાસ્પછી ધર્મદત્ત યોગી આગળ આનંદપૂર્વક વાંસળી વગાડવા લાગ્યો અને યોગી સામાન્ય ભાષામાં ગાવા લાગ્યો. ઃ
‘સોનાપુરિસે કાહુ કીજે રે, જઈ નહીં દયા પ્રધાન, તીને સોને સોહા કીસી રે, જીણે તૂટે હી કાન, બાર વહુ કાંઈ જટા જનોઈ, દયા વિણ ધરમ ન કોઈ, જીવદયા તુમે પાળો બાળક, હિયડું નિરમલ હોઈ.’
આ પ્રમાણેના યોગીના વચનોથી વિશ્વાસ પામેલો ધર્મદત્ત બોલ્યો કે—‘હે યોગી ! ત્યારે કહો કે તમે હિંસા વિના શી રીતે સુવર્ણપુરુષ કરી આપશો ? યોગી બોલ્યો કે—‘હે ભદ્ર ! સાંભળ. સારા રક્ત ચંદનના કાષ્ટમય સાત હાથ પ્રમાણ પુતળું કરાવીશ. તે પુતળાને મંત્રવડે અડદ અને સરસવ છાંટવાપૂર્વક અભિમંત્રિત કરીને પછી અગ્નિકુંડમાં તેનો હોમ કરાવીશ. પછી ઉષ્ણને શીત જળ વડે સિંચન કરવાથી મહામંત્રના પ્રભાવવડે તેનો સુવર્ણપુરુષ થઈ જશે.” આ પ્રમાણે સાંભળીને ધર્મદત્ત બોલ્યો કે—‘તો હવે તેને માટે ઉદ્યમ શરૂ કરો. યોગી બોલ્યો કે– ‘અમારે યોગીઓને સુવર્ણનું શું પ્રયોજન છે ? આ તો ફક્ત તારે માટે જ પ્રયત્ન કરવાનો છે. પરોપકારનો જ હેતુ છે. કેમકે પરોપકારમાં મતિ થવી દુર્લભ છે. ‘લક્ષ્મી પરોપકાર માટે, સરસ્વતી વિવેક માટે અને સંપત્તિ સર્વના સુખ માટે કોઈ ધન્ય પુરુષને જ થાય છે. કૃતઘ્ન અને ચંચળ એવું શરીર પણ જો પરોપકાર માટે નાશ થતું હોય તો ભલે થાઓ. કેમકે કાચના બદલામાં વજ્રમણિ મળતો હોય ત્યારે મૂર્ખ પણ ‘ના' એવું બોલતો નથી. ધર્મદત્તે કહ્યું કે—‘હે ભગવન્ ! હે વિશ્વપાલક ! તમે પરોપકારમાં પરાયણ હોવાથી ૫૨ને દુઃખે દુઃખી થાઓ છો. જુઓ ! કપાસે પ૨ને ઉપકાર કરવા માટે કેટલા દુઃખો સહન કર્યા ? પ્રથમ તેના અસ્થિ