SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પલ્લવઃ ૩૫ સમુદ્રમાંથી દેવોએ અમૃત મેળવ્યું. ઇન્દ્ર ઉચ્ચ શ્રવા અશ્વ મેળવ્યો અને કૃષ્ણ અદ્ભુત પરાક્રમવાળી લક્ષ્મી મેળવી આ પ્રમાણે ચિરંતન કાળથી કહેવાતું આવે છે, પણ મેં તો આ સમુદ્રની સેવા કરતાં અને તેમાં ભટકતાં માત્ર ખારા પાણી સિવાય બીજું કાંઈ જોયું નહીં.” આ પ્રમાણે બોલતો ને વિચારતો એ અનેક વનશ્રેણિને જોતો જોતો આગળ ચાલે છે. તેટલામાં તેણે એક ચંદ્રબિંબ જેવા ઉજ્જવળ જળવાળું સરોવર જોયું. સરોવરનું મીઠું પાણી પીને તે તેના તીર ઉપરના વૃક્ષોની છાયામાં વિશ્રાંતિ લેવા બેઠો અને દુઃખથી ઉગ પામ્યો હોવાથી અનેક પ્રકારની ચિંતા કરવા લાગ્યો. તેવામાં નિદ્રા આવવાથી તે ત્યાં પાંદડાઓના સંથારા ઉપર સુતો. એને જેવી નિદ્રા આવી તેવું જ કોઈએ ત્યાંથી તેનું અપહરણ કર્યું. તેથી તે જાગી ગયો અને તેણે મોટી કાયાવાળો ભય ઉત્પન્ન કરે તેવો અને જાણે હમણાં જ ખાઈ જાય તેવો રાક્ષસ જોયો. તે આંખો મીંચીને વિચારવા લાગ્યો કે “હરણ પાસને જેમ તેમ છેદીને, વાગરાને ભેદીને, અગ્નિ શિખાવાળા વનમાંથી દોડીને તેમજ પારધીના બાણને ચુકાવીને કુદ્યો તો આગળ કુવો હતો તેમાં પડ્યો. અર્થાત્ ભાગ્ય વિપરીત હોય ત્યાં પ્રયત્ન કંઈ કામ તો નથી આવતો એટલું જ નહીં ઊલટો હાનિ કરનાર થાય છે. ત્રણખંડના સ્વામી યાદવોના પતિ, રિપુસમૂહરૂપ તૃણમાં અગ્નિ જેવા કૃષ્ણદેવનું મરણ એક સાધારણ બાણવડે થયું તેથી હું તો વિધિ જ બળવાનું છે એમ માનું છું. પૂર્વે જુગારમાં અને વેશ્યાના પાશમાં ફસાયો હતો, તેમાંથી માંડમાંડ છૂટીને દ્રવ્યોપાર્જન માટે વહાણમાં ચડ્યો, ત્યારે વહાણ ભાંગ્યું, સમુદ્રમાં પડ્યો, તેમાં પણ પાટીયું મળી જવાથી કિનારે પહોંચ્યો ત્યારે પાછો આ રાક્ષસના હાથમાં સપડાણો, હવે હું શું કરું? ને ક્યાં જાઉં? માટે હવે તો જે થવાનું હોય તે થાઓ.” તે આમ વિચારીને ઊભો થાય છે. તેટલામાં રાક્ષસ તેને કોઈ સ્થાનકે મૂકીને ચાલ્યો ગયો. પછી પોતાને છૂટો થયેલો જાણીને ધર્મદત્તે આંખ ઉઘાડીને જોયું તો ત્યાં રાક્ષસને જોયો નહીં. તેને બદલે એક કન્યા તેના જોવામાં આવી, વૃક્ષની છાયામાં ઊભેલી, દિવ્યરૂપ અને સૌભાગ્યવાળી તથા શ્રેષ્ઠ વસ્ત્રાલંકાર ધારણ કરેલી તે કન્યાને જોઈને ધર્મદત્ત આશ્ચર્ય પામ્યો. તે વિચારવા લાગ્યો કે–“રાક્ષસ ક્યાં ગયો? આ સ્ત્રી શું રાક્ષસી છે અથવા મને આશ્ચર્ય પમાડવા માટે તે રાક્ષસે જ આ કન્યાનું રૂપ ધારણ કર્યું છે? અથવા શું આ વિદ્યાધરી છે? સામાન્ય સ્ત્રી છે? દેવાંગના છે? વ્યંતરી છે? કે નાગલોકમાં ઉત્પન્ન થયેલી નાગકુમારી છે?” આ પ્રમાણે વિચારતાં ધર્મદતે વૈર્ય અવલંબીને નિર્વિકલ્પવાળા ચિત્તે તે બાળાને પૂછ્યું કે– સુંદરી! તું કોણ છે? તેણે પૂછયું કે- તમે કોણ છો ? ધર્મદત્તે કહ્યું કે– હું મનુષ્ય છું.” એટલે તે બોલી કે- હું પણ મનુષ્યણી છું.” ત્યારે ધર્મદને પૂછ્યું કે– કન્યા ! તું આવા વિષમ અરણ્યમાં એકલી કેમ વસે છે?” તેણે કહ્યું કે–દેવના યોગથી મારી વિષમ સ્થિતિ થઈ છે.” કુમારે પૂછ્યું કે તારી વિષમ સ્થિતિ કયા કારણથી અને કેવી રીતે થઈ છે ? ત્યારે તે બોલી કે મિત્ર ! મારી આશ્ચર્યકારી કથા હું કહું છું તે સાંભળો * સમુદ્રની મધ્યમાં સિંહલદ્વીપમાં કમલ નામનું નગર છે. ત્યાં પોતાના નામને સાર્થક કરનાર ધનસાર નામનો મુખ્ય શ્રેષ્ઠી છે. તે શેઠને કૃષ્ણની પત્ની લક્ષ્મીની જેમ રૂપ લાવણ્યથી
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy