________________
૩૬
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય ભરેલી અને નારીજનમાં શિરોમણિ ધનશ્રી નામે સ્ત્રી છે. અનુકૂળ, મધુરવાણી વાળી, દક્ષ, સરલ અને લજ્જા ગુણવાળી સ્ત્રી તે સાક્ષાત્ લક્ષ્મી જ છે તેમાં કોઈ સંશય નથી. તેની કુક્ષીથી ઉત્પન્ન થયેલી અને પવિત્ર મનવાળી ધનવતી નામે હું તેની પુત્રી છું. તે તેના માતાપિતાને પ્રાણથી પણ વધારે વહાલી છે. તે યોગ્ય વયે સર્વ કળાઓ શીખી. અનુક્રમે યૌવનાવસ્થા પામી, તેના પિતાએ તેને જોઈને વિચાર કર્યો કે– હવે આ પુત્રી વરયોગ્ય થઈ છે,” “પુત્રી જન્મે ત્યારે શોક થાય છે, વૃદ્ધિ પામે ત્યારે ચિંતા વધે છે અને પરણાવતી વખતે દંડ આપવો પડે છે, તેથી પુત્રી સમાન બીજી વેદના નથી.” ““જેણે કોઈની પ્રાર્થના કરી નહીં, જેને એક પુત્રી થઈ નહીં અને જેને સુખમય આજીવિકા પ્રાપ્ત થઈ–તે ત્રણે સુખે જીવે છે.” પછી મારા પિતાએ એમ પણ ચિંતવ્યું કે-“કોઈ ભાગ્યવાનું અને ગુણવાનું વર મળી જાય તો તેને આ પુત્રી આપું.” “જાતિ, રૂપ, વય, વિદ્યા, આરોગ્ય, વિશાળ કુટુંબ, ઉદ્યમ અને સદાચરણ આ આઠ ગુણો વરના છે.”
મૂર્ખ, નિર્ધન, દૂર રહેનારો, શૂરવીર અને મોક્ષનો અભિલાષી, તેમજ ત્રણગણી વધારે વયવાલા વરને કન્યા ન આપવી.” “ન્યાયોપાર્જિત દ્રવ્યવાળો, વિનયવાનું, શ્રીમાનું, કુલિનાગ્રણી, રૂપમાં કામદેવ જેવો, ત્યાગમાં બલિરાજા જેવો, ભોગપ્રિય, શિષ્ટ એવા આચાર, વિચાર, કળા, કૌશલ્ય અને પાંડિત્યવાળો, ધર્મપ્રિય, પ્રીતિયુક્ત ભાષણ કરનારો અને જાણે અમૃતથી ભરેલો હોય તેવો પ્રાણેશ્વર મળવો દુર્લભ છે.”
શેઠે પુત્રીના વરને માટે અનેક ગૃહસ્થોના પુત્રોને જોયા પણ કોઈની જન્મપત્રી પોતાની પુત્રી સાથે મળતી આવી નહીં. તે કારણે મારા પિતાએ ચિંતવ્યું કે–“તો જન્મપત્રીના યોગથી મારી પુત્રીને યોગ્ય વર જોઈ જોઈને થાકી ગયો. “એવામાં ચંદ્રપુરથી કોઈક જયોતિષી ત્યાં આવ્યો. તે વાત સાંભળીને તેને પોતાની પાસે બોલાવી મારા પિતાએ કહ્યું કે- હે જ્યોતિર્વિદ્ર! તમે જગદ્ગાતા કહેવાઓ, તો મારી પુત્રીને યોગ્ય વર કયા સ્થળે છે તે કહો. કેમકે મારી પુત્રી મોટી થઈ છે અને તેને યોગ્ય વર મળતો નથી.” પછી તે જ્યોતિષી મારી જન્મપત્રી અનુસાર પ્રહમેળાપક જોઈને બોલ્યો કે- “હે શ્રેષ્ઠીવર્ય ! સાંભળો. ચંદ્રપુર નગરમાં શ્રીપતિ નામે શ્રેષ્ઠી હતા, તેની શ્રીમતિ નામે સ્ત્રી હતી. તેનો ધર્મદત્ત નામે પુત્ર છે, તે સૌભાગ્યવાનું અને પુણ્યશાળી છે. તે તમારી પુત્રીને યોગ્ય વર છે.'
તે સાંભળીને હર્ષિત થયેલા મારા પિતાએ તેને ફરી તેના ગુણો વિષે પૂછયું. એટલે તે વિપ્ર બોલ્યો કે–“મેં એના જેવો ગુણવાનું વર બીજો જોયો નથી તે વિદ્યા, યશ, વય, ભાગ્ય અને કૃતજ્ઞત્વાદિ ગુણવાળો છે અને તેણે સોળ કોટી દ્રવ્ય તો વેશ્યાના સમાગમમાં વાપર્યું છે.” આ પ્રમાણેના તે ગણકના વાકય સાંભળીને મારા પિતાએ કહ્યું કે મારી પુત્રી, હું તે ધર્મદત્તને જ આપીશ, બીજાને આપીશ નહીં તો હવે તેની સાથેનો સારો લગ્નદિવસ જોઈ આપો કે જે શુભ યોગવાળું અને અત્યંત શુદ્ધ હોય.” વિપ્રે કહ્યું કે–“આજથી પંદરમા દિવસને અંતે શુભ લગ્ન છે. આ વર્ષમાં તેના જેવું બીજું ઉત્તમ લગ્ન દિવસ નથી.” શેઠ બોલ્યા કે–એટલા થોડા દિવસમાં ત્યાં જવું આવવું શી રીતે બની શકે ? આટલા ઓછા સમયમાં આડંબરપૂર્વક અહીં વરને બોલાવીને લગ્નકાર્ય તો થઈ ન શકે, પણ જો પુત્રીને લઈને કુટુંબ સહિત હું ત્યાં જાઉં તો બની શકે.” વિખે તેમાં સંમતિ આપી એટલે તેને દ્રવ્યાદિવડે સંતોષીને રજા આપી. પછી મારા