SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ શ્રી ધર્મદ્રુમ મહાકાવ્ય પ્રિય હોય છે અને તે કરતાં પણ દૂધ, જમાઈ અને વાંજિત્ર એ ત્રણ અતિપ્રિય હોય છે.” જમાઈ જમીને પોતાને ગામ ગયા પછી શેઠ જમવા માટે ઘરે આવ્યા અને સ્નાન તથા દેવપૂજા કરી, શેઠ તો ઘેબર ખાવાના મનોરથોમાં રમી રહ્યા હતા. શેઠાણીએ શેઠને જમવા બોલાવતા કહ્યું કે-“મધ્યાન્હ થઈ ગયો છે, હવે તો જમવા પધારો, ભૂખ્યા થયા હશો.” શેઠ બોલ્યા કે–“આજ તો નિરાંતે જમવું છે.” તે વખતે શેઠને ઘેબર ખાવાનો ભ્રમ શેઠાણીએ ભાંગ્યો નહીં. શેઠ પણ બધું કાર્ય પતાવીને વિશાળ થાળ લઈ જમવા બેઠા અને હમણાં ઘેબર પીરસાશે એમ આશા કરવા લાગ્યા એટલે શેઠાણી હસીને બોલ્યા કે–“આપ ઘેબરના ભૂખ્યા છો પરંતુ ઘેબર તો જમાઈ આવ્યા હતા તે ખાઈ ગયા.” શેઠાણીના આવા વચનો સાંભળીને શેઠને અત્યંત શોક થયો અને શેઠ કોપાયમાન થઈને વિચારવા લાગ્યા કે–આઠ વર્ષના બાળકની જેમ તે જમાઈના દાંત પડી જજો. તેના માથા પર મુગર પડજો. “જમાઈ તો સદા દૂર સદા રૂષ્ટ અને સર્વદા પૂજાને ઇચ્છનારો કન્યારાશિમાં રહેલો દશમો ગ્રહ છે.” આ પ્રમાણે શેઠ વિચારે છે તેટલામાં ડાકણની જેમ મોટા શબ્દ પોકાર કરતી પેલી ઘી વેચનારી સ્ત્રી ત્યાં આવી અને બોલી કે અરે વિશ્વાસુને ઠગનાર ! માયાવી ! જનવંચક! ચોર ! તેં મારી પાસેથી પ્રમાણ કરતાં વધારે ઘી કેમ લીધું? ચાલ જલ્દીથી રાજમંદિરમાં ચાલ.આમ કહીને અડધું જમેલ છે તેવી સ્થિતિમાં તેણે શેઠને હાથ પકડીને ઊભા કર્યા. તે વખતે શેઠે વિચાર્યું કે–આ અન્યાયોપાર્જિત દ્રવ્ય તો બે પ્રહર પણ ટક્યું નહીં.” આમ વિચારીને પેલી ઘીવાળીને પગે પડી, સમજાવી તેના વધારે લીધેલા પૈસા પાછા આપીને તેને વિદાય કરી. - ધર્મદત્તની સ્ત્રી આ કથા કહીને કહે છે કે –“હે પ્રિય! ન્યાયયુક્ત વેપાર કરતાં થોડું કે ઘણું જે મળે તે ભાગ્ય વડે સેંકડોગણું થાય છે.” આ પ્રમાણે સાંભળીને ધર્મદત બોલ્યો કેપ્રિયે તું સત્ય કહે છે પણ ભાગ્ય અને અભાગ્યની ખબર ઉદ્યમ કર્યા વિના પડતી નથી. કહ્યું છે કે–“ઉદ્યમ, સાહસ, પૈર્ય, બળ, બુદ્ધિ અને પરાક્રમ આ છ ગુણો જેની પાસે હોય તે મનુષ્યથી દૂર જવા ભાગ્ય પણ શંકા કરે છે.” વળી “અર્થ, યશ, કીર્તિ, વિદ્યા, વિજ્ઞાન, પુરુષકાર એ સર્વ મનુષ્યને પ્રાયે પરદેશમાં જ પ્રાપ્ત થાય છે.” ઉદ્યમ પરમમિત્ર છે ને આળસ પરમશત્રુ છે. તેથી આળસને સર્વ પ્રકારે જીતીને સર્વકાર્યમાં સમર્થ થા. એમ કહેલ છે તેથી હે પ્રિય એકવાર તો હું વહાણમાં મુસાફરી કરવા ઇચ્છું છું. પતિનો આવો આગ્રહ હોવાથી પ્રિયાએ સંમતિ આપી ધર્મદત્તે એક વહાણ તૈયાર કરાવ્યું. ત્યારપછી સારે દિવસે સર્વ સ્વજનોને પૂછીને–રજા માંગીને તે વહાણમાં બેઠો અને કર્કોટક તપ તરફ પ્રયાણ કર્યું. એ પ્રમાણે જતાં જતાં રસ્તામાં પાપકર્મનો ઉદય થવાથી વિપરીત પવન વડે તે વહાણ અકસ્માત ભાંગી ગયું. ભાગ્યોદયથી ધર્મદત્તને એક પાટીયું મળી ગયું એટલે તે સ્વજનની જેમ તેને વળગી પડ્યો. પછી તે પાટીયાને સહારે પાણીમાં તરતો અને પ્રિયાના વચનોને યાદ કરતો તે કિનારે પહોંચ્યો. પણ તે કિનારાને ભયંકર જોઈને તે બોલ્યો કેપરવાળાના વનોનું કલ્યાણ થાઓ, મણિઓને નમસ્કાર થાઓ અને મૌક્તિકવાળી છીપોનું પણ મંગળ થાઓ. હું તો આ પાટીયામાં જ તે બધા ગુણો સમજું છું કે જેના આધારવડે હું આ સમુદ્ર તરી ગયો અને મને કોઈ જળચરોએ હેરાન કર્યો નહીં. વળી લૌકિકમાં કહેવાય છે કે આ
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy