________________
૨૬
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય
ગતિ ઉતાવળી હોય છે. બીજા સર્વ કાર્યોમાં સ્વૈર્ય કરવાનું ન્યાયવાન્ પંડિતો કહે છે અને તેને જ પ્રશંસે છે. પણ બહુ અંતરાયનાં સંભવવાળા ધર્મની તો તેઓ પણ ત્વરિત ગતિ કહે છે. ‘આ પ્રમાણે વિચારીને સૌ બોલ્યા કે, ‘હા, હા ! બરાબર ઓળખ્યો. આ ત્વરિતગામી ધર્મ જ છે.' એમ નિશ્ચય કરીને તેઓ બોલ્યા કે હે ધર્મ ! તું મહાભાગ્યથી અમને પ્રાપ્ત થયેલ છે. તું વાંછિતને આપનાર છે.’ તેઓએ વિચાર્યું કે—‘કન્યાને સારા કુળમાં જોડવી, પુત્રને વિદ્યાભ્યાસમાં જોડવો, શત્રુને કષ્ટમાં જોડી દેવો અને ઇષ્ટને ધર્મમાં જોડી દેવો આમ શાસ્ત્રમાં કહ્યું છે માટે આપણા ઇષ્ટ આ રાસભને આ ધર્મ (ઊંટ)ની સાથે જોડી દેવો યોગ્ય છે.’ પછી એ પ્રમાણે ઉંટ સાથે ૨ાસભને બાંધી બંનેને લઈને તેઓ રાજમાર્ગે ચાલ્યા. આવી રીતે જતા તેમને જોવા માટે લોકો ભેગા થયા અને પરસ્પર કહેવા લાગ્યા કે—‘હે લોકો ! આ વગર પૈસાનું નાટક જુઓ, જુઓ, આ રાજપુત્રોનું દક્ષત્વ પ્રગટ દેખાય છે.' આ પ્રમાણે તેઓ હાસ્યાસ્પદ થવાથી રાજાએ પણ તેઓનો તિરસ્કાર કર્યો અને કહ્યું કે—‘અરે મૂર્ખાઓ ! તમારે મારા નગરમાં જ ન રહેવું.'
પ્રધાનના કહેવાથી રાજાએ તેમને બેસવા માટે બે વૃષભ જોડેલો એક જીર્ણ રથ આપ્યો. તે રથમાં બેસીને તેઓ એક દિશામાં ચાલ્યા. આગળ ચાલતાં એક નગરની પાસેના વનમાં તેઓ આવ્યા. ભોજનને અવસરે એક જણ રાંધવા બેઠો. એક શાક લેવા ગયો. એક ઘી લેવા ગયો અને એક બળદને ચરાવવા ગયો. ચારે જણા પોતપોતાના કામમાં લાગ્યા. ચૂલે મૂકેલા પાત્રમાં કલકલ શબ્દ થવા માંડ્યો. તે સાંભળી રાંધવા બેઠેલા વ્યાકરણ શાસ્ત્રી કુમારે વિચાર્યું કે—આવો શબ્દ લક્ષણશાસ્ત્રમાં આવતો નથી. આ મિથ્યા શબ્દ બોલે છે તેથી તેને શિક્ષા આપું.' આમ વિચારીને તેણે દંડો મારી ચુલા ઉપરના પાત્રને શિક્ષા કરી. તેથી તે પાત્ર ભાંગી ગયું અને શબ્દ બંધ થયો. એટલે તે બોલ્યો કે—જોયું શિક્ષા મળવાથી મિથ્યા શબ્દ બોલતો બંધ થઈ ગયો.' આમ બોલીને તે મૂર્ખ નિરાંતે સૂતો.
બીજો જે કુમાર શાક લેવા ગયો હતો તે દરેક શાક વાત, પિત્ત અને કફાદિ કરનાર જાણીને સર્વ રોગને હરનાર લીંબડાનું શાક લઈને વનમાં આવ્યો. ત્રીજો ઘી લેવા ગયેલો તર્કશાસ્ત્ર જાણનાર કુમાર થી લઈને આવતાં વિચારવા લાગ્યો કે પાત્રાધારે ધૃતં ત્નિ વા ધૃતાધારે પાત્ર ‘પાત્રને આધારે ઘી છે કે ઘી ને આધારે પાત્ર છે ?' એનો નિર્ણય કરવા પાત્રને ઉંધું વાળતાં ઘી ઢોળાઈ ગયું. એટલે તે બોલ્યો કે—ભલે ઘી ઢોળાઈ ગયું પણ એક સંદેહ તો ભાંગ્યો.' આમ કહેતો ખાલી પાત્ર લઈને તે વનમાં આવ્યો. બળદને ચારવા લઈ ગયેલ કુમાર પાસેથી ચોર તે બળદો લઈ ગયા, છતાં તે મૂર્ખ જ્યોતિષી હોવાથી વૃક્ષની છાયામાં બેસીને લગ્ન કુંડળી આલેખી લગ્નના ભાવ વિચારવા લાગ્યો કે—‘સ્થિર લગ્નમાં અને સ્થિર અંશમાં ચંદ્રમા પણ સ્થિર હોય છે, તેવા યોગમાં આ કાર્ય બન્યું છે, તેથી બળદો સ્વયમેવ પાછા આવવા જોઈએ.” આમ વિચારીને તેણે બળદોને પાછા વાળવાનો પ્રયત્ન કર્યો નહીં. અનુક્રમે ભેગા થયા પણ ભૂખ્યા હોવાથી દીન બનીને ગામમાં આવ્યા અને આમ તેમ ફરતાં સોમશ્રેષ્ઠીની દુકાને આવ્યા. શ્રેષ્ઠીએ તેમને ખબર પૂછી ભૂખ્યા હોવાથી ઘરે લઈ જઈને જમાડ્યાં અને સવારે તે ચારેને જુદું જુદું કામ સોંપ્યું.
એક કુમારને ઘીથી ભરેલું પાત્ર વેંચવા આપ્યું અને કહ્યું કે–‘માર્ગે સાવધાન થઈને જજે,