SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પલ્લવઃ ૨૫ ચાર રાજકુમારનું દૃષ્ટાંત * પૂર્વે ચંદ્રપુર નગરમાં ચંદ્રજિત્ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને ચંદ્રાનના નામે રાણી હતી અને બુદ્ધિસાગર નામે મંત્રી હતો. કોઈકે આવીને રાજાને કહ્યું કે—વિદ્વાન્ મનુષ્ય જ શ્રેષ્ઠ છે. ત્યારે મંત્રીએ કહ્યું કે—“ના ! જે વ્યવહાર જાણતો નથી તે પંડિત હોવા છતાં મૂર્ખ છે. આ વાતની પરીક્ષા કરવા માટે રાજાએ સુંદર અને કુશળ એવા પોતાના ચાર રાજપુત્રોને ભોંયરામાં રાખીને પંડિતને સોંપ્યા. ભણાવવા રાખેલા પંડિત ચારે જણને વ્યાકરણ, પ્રમાણશાસ્ત્ર, જ્યોતિષ અને વૈદ્યક—એમ એક એક શાસ્ત્રમાં પ્રવીણ કરીને રાજાને સોંપ્યા રાજાએ તે પંડિતને ઘણું ધન આપીને વિસર્જન કર્યા અનુક્રમે ચારે પુત્રો વીશ વર્ષના થયા ત્યારે રાજાએ પુત્રોને પોતાની પાસે બેસાડીને કેટલાક પ્રશ્નો પૂછ્યા, પંડિત થયેલા પુત્રો સંસ્કૃત ભાષામાં ઉત્તર આપવા લાગ્યા. તે સાંભળી રાજાએ પ્રધાનને કહ્યું કે–‘જુઓ ! આ કેવા પંડિત થયા છે ? મંત્રી બોલ્યો કે—એ ખરેખરા પઠિતમૂર્ખે છે,’ રાજાએ કહ્યું કે—તમે કયા કારણથી આમને પઠિત મૂર્ખ કહો છો ?' મંત્રીએ કહ્યું કે—માત્ર પોપટની જેમ ભણ્યા છે. તેઓ લોકાચાર બિલકુલ જાણતા નથી. પોતાની વાતની ખાતરી કરાવવા પ્રધાને રાજાને પુત્રો સહિત પોતાને ત્યાં જમવાનું બહુમાનપૂર્વક આગ્રહથી આમંત્રણ કર્યું. મંત્રીના આગ્રહથી રાજાએ નિમંત્રણને સ્વીકાર્યું અને ભોજનાર્થે મંત્રીના ઘરે પધાર્યા. પાંચ પ્રકારના પકવાન્ન અને ફળફૂલ વગેરે પીરસ્યું. તેમાં ઘણા છિદ્રવાળા પકવાન્નને જોઈને રાજપુત્રો અંદરો અંદર બોલવા લાગ્યા ‘આ બહુ છિદ્રવાળું ને ચતુષ્કોણવાળું બહુ ભયાવહ ગણાય છે તે શું છે ? અમે તો આમાં કાંઈ જાણતા નથી. તેથી આ બાબતમાં શું કહેવું ? આ પ્રમાણે કહી જ્યારે તે ચારે પુત્રો ઊભા થઈ ગયા અને બોલ્યા કે—જ્યાં ઘણા છિદ્રો હોય ત્યાં પંડિતોએ ક્ષણવાર પણ ઊભું ન રહેવું:' કહ્યું છે કે— छिद्रेष्वनर्था बहुला भवन्ति, तत्त्याज्यं स्थानकं ततः । આ પ્રમાણે કહીને ભોજનના ભાજનને તજીને તે ચારે જણા ત્યાંથી ચાલ્યા મંત્રીશ્વરે રાજાને ઈશારાથી જણાવ્યું કે ‘‘આ રાજપુત્રો વેદશ વિપ્રની જેમ લોકસ્થિતિને જાણતા નથી.” હવે એમની પાછળ માણસ મોકલીને તેની ચર્યા જાણવાની જરૂર છે.' એમ કહીને મંત્રીએ તેમની પાછળ એક માણસને મોકલ્યો. રાજપુત્રો આગળ ચાલતાં રાજદ્વારે પહોંચ્યા. તેટલામાં ત્યાં આનંદ કરતો ગધેડો ઊભેલો જોયો. તેઓએ પરસ્પર પૂછ્યું કે–‘આ પાંચમો બંધુ કોણ છે ?' એમ કહીને શાસ્ત્રના પ્રમાણથી બંધુબુદ્ધિએ તેઓએ તેની ઉપર હાથ ફેરવ્યો. તેઓ બોલ્યા કે—આતુરપણામાં, કષ્ટપ્રાપ્તિમાં દુર્ભિક્ષમાં, શત્રુ સાથેના વિગ્રહમાં, રાજદ્વારે અને સ્મશાને જે સાથે રહે તે જ ખરો બાંધવ સમજવો.' આમ શાસ્ત્રમાં કહ્યું છે. આ રાજદ્વારે ઉભેલો છે તેથી તે બાંધવ ગણવા યોગ્ય છે. આમ વિચારી તેને સાથે લઈને તેઓ આગળ ચાલ્યા. તેવામાં વેગથી ઉતાવળું ચાલતું એક ઊંટ તેમની નજરે પડ્યું. તે જોઈને એક કુમારે બીજાને પૂછ્યું કે— ‘આ કોણ જાય છે ?’ ત્યારે પહેલો બોલ્યો—‘હું જાણતો નથી. પણ ધર્મસ્ય ત્વરિતા પતિ: એમ જાણ્યું છે, માટે આ સાક્ષાત્ ધર્મ હોવો જોઈએ. કહ્યું છે કે—“ચિત્ત ચંચળ છે, વિત્ત ચંચળ છે અને યૌવન પણ ચંચળ છે. માટે પાત્ર તરફ હાથ પસાર અર્થાત્ પાત્રને દાન આપ કારણકે ધર્મની
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy