SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પલ્લવઃ ૨૩ ધર્મકથા જાણતો ન હોય તો તે અપંડિત જ છે. તેને પંડિત ન ગણવો, પણ મૂર્ખ ગણવો. પછી ધર્મદત્ત બે કાળ પ્રતિક્રમણ, ત્રિકાળ જિનપૂજન વગેરે પિતાથી પણ અધિક ધર્મક્રિયાઓ કરવા લાગ્યો. તે નવા નવા પચ્ચક્ખાણ કરવા લાગ્યો તથા અચિત્ત જળ પીવા લાગ્યો. બાળક હોવા છતાં અને ગૃહસ્થ હોવા છતાં પણ તે મુનિવત્ ધર્મક્રિયા કરવા લાગ્યો. અનુક્રમે સ્ત્રીમનને મોહ પમાડે તેવા યૌવનને તે પામ્યો અને માતાપિતાએ મહોત્સવપૂર્વક કોઈ શેઠની પુત્રી સાથે તેને પરણાવ્યો. લગ્નગ્રંથિથી જોડાયાં પછી પણ તે હાથમાંથી પુસ્તક છોડતો નહોતો, શાસ્રરસમાં જ નિમગ્ન રહેતો હતો. જેણે બાલ્યાવસ્થામાં સારી રીતે અભ્યાસ કર્યો હોય છે તેનું મન યૌવનાવસ્થામાં પણ તેમાં જ આનંદ પામે છે. તે સમયે કોઈ નગરમાં જિનદત્ત નામે એક શ્રાવક રહેતો હતો. તે અશ્વાદિ પશુઓ રાખતો જ નહોતો કે જેથી સંભાળ રાખવી પડે. એક વખતે તે નગરના રાજાને કોઈકે એક જાતિવંત અશ્વની ભેટ આપી. લક્ષણવંતા અશ્વને જોઈને રાજા બહુ ખુશ થયો. તેથી અશ્વનું રક્ષણ કરવા માટે એકમાત્ર જિનદત્ત વિશ્વાસપાત્ર જણાતા રાજાએ તે અશ્વ જિનદત્તને સોંપીને તેની સંભાળ રાખવા સૂચવ્યું. અશ્વ રક્ષણ અંગે રાજાએ કરેલી અનેક પ્રકારની સૂચનાઓને લક્ષ્યમાં રાખીને જિનદત્ત ઘરે આવી વિચારવા લાગ્યો કે “અરે ! આ સંતાપ મને કયા કર્મથી પ્રાપ્ત થયો ? કારણ કે પશુપાલન સંબંધી ક્રિયા મારા જેવાને પરમ દુઃખદાયી છે. આ બાબતમાં મારાથી પુત્ર, મિત્ર, ભાર્યા વગેરે કોઈનો વિશ્વાસ કરી શકાશે નહી અને તેનું ઘણા પ્રયત્નથી રક્ષણ કરવું પડશે. કારણકે રાજકાર્ય અતિ દુષ્કર છે.” આ પ્રમાણે વિચારીને તેણે તે અશ્વને ગુપ્તસ્થાનમાં રાખ્યો. તેની શુશ્રુષા તે પોતે જ કરવા લાગ્યો અને તેને પાણી પીવડાવવા પણ પોતે જ લઈ જવા લાગ્યો. પાણી પીવડાવવા સરોવરે જતાં માર્ગમાં એક જિનમંદિર આવતું હતું જિનદત્ત દ૨૨ોજ ત્યાં ઘોડા પાસે ત્રણ પ્રદક્ષિણા અપાવી પ્રભુને વંદન કરાવી પછી પાણી પીવડાવવા લઈ જતો હતો અને પાછાં વળતાં પણ પાછી જિનમંદિરની ત્રણ પ્રદક્ષિણા અપાવી પ્રભુને વંદન કરાવી ઘરે લાવતો હતો. આ પ્રમાણે નિત્ય કરવાથી તે અશ્વ સરોવર, જિનમંદિર અને . જિનદત્તનું ઘર એ ત્રણ સ્થળથી પરિચિત થયો તેથી ઉત્તમ અશ્વ અન્યની પ્રેરણાથી પણ અન્ય માર્ગે ગમન કરતો ન હતો. તેના જાતિવંતપણાથી રાજાએ ઘણા રાજાઓને જીતી લીધા. તેના વૈરી રાજાઓ પૈકી એકે ‘આ અશ્વ પ્રભાવવાળો છે અને તેના પ્રભાવથી એ રાજા સૌને જીતે છે.' એવું જાણ્યું. તેથી તેણે તે ઘોડાનું હરણ કરવા કોઈ હેરક (જાસુસ)ને ત્યાં મોકલ્યો. ન તે કપટી શ્રાવક થઈને જ્યાં અશ્વ રાખેલો હતો તે જિનદત્તના ગૃહે ગયો. જિનદત્તે તેને શ્રાવક જાણીને તેની ઘણી આગતાસ્વાગતા કરી. કપટીશ્રાવર્ક પણ બાહ્ય રંગ દેખાડી જિનદત્તને વિશ્વાસ પમાડ્યો. જિનદત્તે પણ પ્રીતિપૂર્વક તેની સાથે ઘણી વાર્તા કરી. તે માયાવીએ પુણ્યકારી અનેક નવી નવી વાર્તાઓ કરી. જિનદત્તે ભદ્રકપણાથી તેના ચિત્તને ઓળખ્યું નહીં. “વિદ્યાનો દંભ ક્ષણમાત્ર જ રહે છે દાનનો દંભ ત્રણ દિવસ રહે છે. રસનો દંભ છ માસ સુધી રહે છે, પરંતુ ધર્મનો દંભ તો અત્યંત દુસ્તર છે, તે તો સમજવો બહુ મુશ્કેલ છે.” તેવા સજ્જનથી શું, કે જે રાખ જેવા છે. શંખ ઉપરથી ઉજ્જવળ હોય છે પણ અંતરમાં તે બહુ જ વક્ર-વળદાર હોય
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy