________________
૨૨
શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય આ ભવમાં કદાચ ફળ પ્રાપ્ત ન થાય તો પણ અન્ય ભવમાં વિદ્યા પ્રાપ્તિ સુલભ તો થાય જ છે. શુભ જિજ્ઞાસાવાળા મનુષ્યોએ દેવતાના આરાધનમાં, દાનમાં, વિદ્યાભ્યાસમાં, સારા ઔષધમાં અને ક્ષમા કરવામાં સદૈવ યત્ન કરવો. ધનહીન પ્રાણી હીન કહેવાતો નથી કેમકે સંપત્તિ ચંચળ હોવાથી તે સ્થિર રહેતી નથી, પણ વિદ્યાહીન હોય તે તો હિન જ કહેવાય છે. વિદ્યા મેળવનાર મનુષ્યને પેટ ભરવાની ચિંતા કરવી પડતી નથી. કેમકે રામનું નામ બોલતો પોપટ પણ ચોક, બજારમાં ચોખાનું ભોજન પામે છે. જ્યાં વિદ્યાની પ્રાપ્તિ નથી, જ્યાં ધનની પ્રાપ્તિ નથી અને
જ્યાં આત્મસુખની પ્રાપ્તિ નથી તે સ્થાનમાં એક દિવસ પણ રહેવું યોગ્ય નથી. જેમ ધીમે ધીમે પડતા પાણીના બિંદુઓથી પણ અનુક્રમે ઘડો પૂર્ણ ભરાઈ જાય છે, તેમ ક્રમે કરીને પણ ધર્મ, ધન અને સર્વ પ્રકારની વિદ્યાની પ્રાપ્તિ થાય છે. પાંડિત્યમાં, શિલ્પમાં, સર્વ કળાઓમાં અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ ચાર પુરુષાર્થમાં મનુષ્ય ક્રમેક્રમે કુશળ થાય છે. પંડિતોમાં બધા ગુણ હોય છે અને મૂર્ખમાં બધા દોષો હોય છે, તેથી હજાર મૂર્ખ કરતાં એક પ્રાજ્ઞ શ્રેષ્ઠ છે. દુરંત પર્વતોમાં વનચરોની સાથે ફરવું સારું પણ સુરેંદ્રના ભુવનમાં પણ મૂર્ખની સાથે રહેવું સારું નહીં. સાક્ષાત્ બેપગા પશુ જેવા મૂર્ખને તજી દેવો. કારણકે તે કંટકની જેમ વાક્યરૂપ અદશ્ય શલ્યવડે અન્ય મનુષ્યને વધે છે. મૂર્ખ શિષ્યને સમજાવતાં, દુષ્ટ સ્ત્રીનું ભરણપોષણ કરતાં અને શત્રુ સાથે એકત્ર વસવાથી પંડિત પણ દુઃખી થાય છે. મૂર્ખા પંડિતોનો દ્વેષ કરે છે, વેશ્યા કુલીન- સ્ત્રીઓનો દ્વેષ કરે છે અને દુર્ભાગીઓ સૌભાગ્યવાળાઓનો દ્વેષ કરે છે. સુજ્ઞ પુરુષને ધનધાન્યના સંગ્રહમાં, વિદ્યા મેળવવામાં અને આહાર તેમજ વ્યવહારમાં સદા ઉદ્યમવંત રહેવું જોઈએ કારણકે- આળસુને વિદ્યાની પ્રાપ્તિ ક્યાંથી થાય, વિદ્યાવિનાના અભણને ધનની પ્રાપ્તિ ક્યાંથી થાય, નિર્ધનને મિત્રો કયાંથી હોય અને મિત્રો વગરનાને બળ ક્યાંથી હોય? વળી આળસુને માને ક્યાંથી મળે, માનવિનાને યશ કયાંથી મળે, યશવિનાનું અપયશવાળું જીવન જીવવા કરતાં મરણ શ્રેયસ્કર છે. તેથી વિદ્યા મેળવવી તે શ્રેષ્ઠ છે. વિદ્યા પ્રાપ્ત થતા સર્વ કાર્ય સિદ્ધ થાય છે. વિદ્યાના પ્રતાપથી ગુરુ પણ શુક્ર જેવો થાય છે. પરાજિત થયેલા વૃષભનો ગરવ નિરર્થક છે. વસંતઋતુ ગયા પછી કોયલના ટહુકાર નિરર્થક છે અને કાયર મનુષ્યોએ શસ્ત્રો ધારણ કરવું તે નિરર્થક છે. તે પ્રમાણે નિરક્ષર મનુષ્યનું જીવન નિરર્થક છે. ગુરુદેવનો વિનય કરવાથી, ધન આપવાથી અને બદલામાં બીજી વિદ્યા ભણવાથી–એમ ત્રણ પ્રકારથી વિદ્યા પ્રાપ્ત થાય છે. તે સિવાય વિદ્યાપ્રાપ્તિ નો ચોથો ઉપાય નથી. મૂર્ખ વ્યક્તિ યુક્ત, તથ્ય, સત્ય અને સજ્જનને પ્રિય વચન બોલી શકતો નથી તે તો માત્ર તેની જીલ્લાની ખણજ મટાડવા માટે જ બોલે છે. વિષમાંથી જેમ અમૃત ગ્રહણ કરવું. અમેધ્ય(વિણ)માંથી જેમ કંચન ગ્રહણ કરવું, દુકુળમાંથી પણ જેમ ઉત્તમ સ્ત્રી ગ્રહણ કરવી તેમ નીચ પાસેથી પણ શ્રેષ્ઠ વિદ્યા હોય તો તે ગ્રહણ કરવી. સ્વસ્ત્રીમાં, ભોજનમાં અને ધન મેળવવામાં એ ત્રણ બાબતમાં સંતોષ રાખવો જોઈએ જ્યારે દાન, અધ્યયન અને તપ એ ત્રણ બાબતમાં કયારેય સંતોષ ન કરવો. ચતુર્દશી, અમાવસ્યા, પૂનમ, આઠમ એ દિવસોએ તેમજ સૂતક હોય ત્યારે અને સૂર્ય ચંદ્રના પ્રહણ વખતે અભ્યાસ ન કરવો. (નવું ભણવું નહિ)
, અહીં ધર્મદત્તે જાણે પૂર્વે અભ્યાસ કરેલ હોય તેમ અલ્પ કાળમાં જ સર્વ વિદ્યા ગ્રહણ કરી. કહ્યું છે કે–બહોતેર કળામાં કુશળ હોય અને પંડિત ગણાતો હોય તેવો પુરુષ પણ જો