________________
દ્વિતીય પલ્લવઃ
૨૧
આટલું કહીને શાસનદેવતાએ શ્રીપતિ શ્રેષ્ઠીને જણાવ્યું કે—‘હે શ્રીપતિ ! જેમ જાતિવંત રત્ન તેમજ શ્રેષ્ઠ મોતી પણ રેખાઓથી લાંછિત થાય તો અલ્પ મૂલ્યવાળું થઈ જાય છે તેમ તમે પણ શંકા ક૨વાથી ધર્મને દૂષિત કર્યો છે તેનું ફળ કહું છું તે સાંભળો—જૈન ધર્મના પ્રભાવથી જોકે તમને પુત્રની પ્રાપ્તિ થશે પરંતુ શંકા કરવાથી તમે પુત્ર સંબંધી સુખને ભોગવી શકશો નહિ.” દેવીની આવી વાણી સાંભળીને શ્રીપતિ શેઠ બોલ્યા કે—‘‘હે દેવી ! ભૂખ્યા રહેવા કરતાં તો રાબ પીવી તે પણ સારી એ રીતે લોકોક્તિ છે. વરસાદના તદ્દન અભાવ કરતાં વરસાદના છાંટા પડે તે પણ સારા, તે પણ તાપને હરનાર થાય છે વંધ્યાપણાથી થતી કદર્થના કરતાં આવા પુત્રની પ્રાપ્તિ થાય એ વધારે શ્રેયસ્કર છે. શેઠની આવા પ્રકારની ઇચ્છા જાણીને દેવી તેને પુત્ર થવારૂપ વરદાન આપીને અદૃશ્ય થઈ ગઈ, પ્રભાતે શેઠે હર્ષ સહિત સર્વ હકીકત જણાવતાં પોતાની પત્નીને કહ્યું કે—‘હે સુંદરી ! રાત્રે શાસનદેવીએ કહ્યું કે તને પુત્ર થશે.' આ પ્રમાણે સાંભળીને શેઠાણી બોલ્યા કે—‘હે સ્વામિન્ ! મેં પણ આજે રાત્રે સ્વપ્નમાં આપણા ઘરમાં રહેલો ફળયુક્ત પૂર્ણકુંભ જોયો છે. આ સ્વપ્નને અનુસારે આપણે ત્યાં પુત્રની પ્રાપ્તિ જરૂર થશે.’ એમ વિચારીને તે બંને બહુ હર્ષિત થયા અને પરસ્પર તે સંબંધી આનંદવાર્તા કરવા લાગ્યા.
તે જ રાત્રિએ કોઈ ઉત્તમ જીવ સ્વર્ગથી અવીને શ્રીમતિની કુક્ષિમાં ઉત્પન્ન થયો. તે કારણથી તેને સારા સારા દોહલા થવા લાગ્યા. અનુક્રમે નવ મહીના ને સાડા આઠ દિવસ પૂર્ણ થયાં ત્યારે જેમં પૂર્વ દિશા સૂર્યને જન્મ આપે તેમ શ્રીમતિએ ઉત્તમ પુત્રને જન્મ આપ્યો. પુત્રજન્મની જાણ થતાં શ્રીપતિશેઠના કુટુંબીઓએ આવીને શેઠને વધામણી આપી. શેઠે ઘણા ઉત્સવપૂર્વક પુત્રનો જન્મોત્સવ કર્યો અને અમારી ઘોષણા કરાવી. ત્યારપછી પહેલે દિવસે બલીકર્મ વગેરે, ત્રીજે દિવસે ચંદ્ર-સૂર્યનું દર્શન, ષષ્ઠીને દિવસે વિધિપૂર્વક ષષ્ઠી જાગરણ કર્યું.
‘આ પુત્ર ધર્મથી પ્રાપ્ત થયો છે.' એમ વિચારી તેનું નામ ધર્મદત્ત રાખવામાં આવ્યું. તે ‘પિતાના મનોરથ સાથે દિન પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યો. કોઈ વખત ખોળામાં, કોઈ વખત સ્કંધ ઉપર, કોઈ વખત એક બીજાના હાથમાં ફરતો અને લાલનપાલન કરાતો તે બાળક અનુક્રમે છ વર્ષનો થયો. ત્યારપછી સાત વર્ષનો થયો એટલે તેના પિતાએ તેને મહોત્સવપૂર્વક નિશાળે ભણવા મૂક્યો. કારણકે રૂપવાન્ મનુષ્ય પણ જો વિદ્યા વિનાના હોય તો તેની ક્યાંય ગણના નથી. જેમ આવળના ફૂલો રૂપવાળાં હોય છે પણ ગંધ વિનાના હોવાથી ઉપયોગમાં લેવાતાં નથી તેમ વિદ્યાહીન મનુષ્યનું કુળ વિશાળ પણ હોય તો શા કામનું ? કેમકે લોકોમાં વિદ્યાવંત જ પૂજાય છે અને નિર્વિઘ (અભણ) માણસ પરાભવ પામે છે. કહ્યું છે કે—‘અજાત- નહીં જન્મેલો, મૃત અને મૂર્ખ—એ ત્રણ પ્રકારના પુત્રોમાં પ્રથમના બે પ્રકારના સારા, કેમકે તે થોડો સમય જ દુઃખ આપે છે અને ત્રીજા પ્રકારનો મૂર્ખ પુત્ર તો જાવજ્જીવ દુઃખ આપે છે. વિદ્યા મનુષ્યોને યશ આપનારી છે, વિદ્યા કલ્યાણ કરનારી છે અને સમ્યક્ પ્રકારે આરાધેલી વિદ્યા દેવની જેમ વાંછિતને આપનારી છે. રાજા કરતાં પણ વિદ્વાન્ વિશેષ ગણાય, કેમકે રાજા તો પોતાના દેશમાં જ પૂજાય છે જ્યારે વિદ્વાન્ તો સર્વત્ર પૂજાય છે. અજીર્ણાવસ્થામાં કરેલું ભોજન જેમ વિષતુલ્ય છે. દરિદ્રીને પારકી પંચાત વિષતુલ્ય છે અને વૃદ્ધને સ્ત્રી વિષતુલ્ય છે તેમ અભ્યાસ કર્યા વિનાનું શાસ્ત્ર વિષતુલ્ય છે વિદ્યા ભણવાની વય ગયા પછી પણ સુજ્ઞજનોએ વિદ્યા મેળવવા યત્ન કરવો, કારણકે તે દ્વારા