________________
૨૦
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય આરંભથી દયા નાશ પામે છે, સ્ત્રીના સંગથી બ્રહ્મચર્ય નાશ પામે છે, પરિગ્રહ રાખવાથી સંયમ નાશ પામે છે શંકાથી સમ્યક્ત નાશ પામે છે. અંજનનો લેપ કરવાથી ચિત્ર નાશ પામે છે અને સ્વેચ્છાચારી સ્ત્રીથી જેમ ઉત્તમકુળ નાશ પામે છે તેમ મોક્ષદાયક એવું પણ સમ્યક્ત શંકાવડે દૂષિત થાય છે તેમજ પરિણામે નાશ પણ પામે છે. તે શ્રીપતિ શેઠજેમ ધનપાળે શંકા કરવાથી પોતાનો મહામૂલો મનુષ્ય જન્મ ફોગટ ગુમાવ્યો તેમ શંકા વડે સમ્યક્ત, ધર્મ અને પુણ્યકાર્ય સર્વપણ નિષ્ફળ થાય છે. તે ધનપાલની કથા આ પ્રમાણે
ધનપાલની કથા * ક્ષિતિપ્રતિષ્ઠિત નામના નગરમાં ધન નામનો ધનવાનું વણિફ રહેતો હતો, તેને ધનશ્રી નામે સ્ત્રી હતી અને ધનપાળ નામનો પુત્ર હતો. બાલ્યાવસ્થામાં જ તેની માતા મરણ પામી. બાળકને માતાનું મરણ મહાદુઃખનું કારણ થાય છે.” કહ્યું છે કે–બાલ્યાવસ્થામાં માતાનું મરણ, યૌવાનાવસ્થામાં સ્ત્રીનું મરણ અને વૃદ્ધાવસ્થામાં પુત્રનું મરણ–આ ત્રણ દુખ કરતાં વિશેષ કોઈ દુઃખ નથી. ધનપાળને જોઈને ધનશેઠ વિચાર છે કે–માતા વિના આ બાળકનો ઉછેર કોણ કરશે ? માટે આ બાળકનું લાલન પાલન કરવા માટે બીજી સ્ત્રી પરણવાની જરૂર છે.' આમ વિચારીને તેણે ઘણું ધન આપીને ધનશ્રી નામની સુંદર સ્ત્રી સાથે લગ્ન કર્યા. કારણ કે સ્ત્રી વિનાનું ગૃહ તે ગૃહ નથી કહેવાતું પરંતુ ગૃહિણી જ ગૃહ કહેવાય છે, ગૃહિણી વિનાનું ઘર અરણ્ય સમાન છે.” અનુક્રમે તેને વિષયના પ્રથમ ફળ તરીકે પુત્ર થયો. તે પુત્રને જોઈને શેઠ બહુ રાજી થયા. નવી આવેલી ધનશ્રી સપત્નીના પુત્ર ધનપાળને પણ પોતાના પુત્રવત્ જ માનતી હતી. પછી બંને પુત્રો નિશાળે ભણવા માટે સાથે જવા લાગ્યા. ધનશ્રી તે બંનેને પુષ્ટિ માટે મરી, નાખેલું દૂધ પીવા મોકલતી હતી. ધનશ્રીનો પુત્ર ધનદેવ તો તે દૂધ નિઃશંકપણે પી જતો હતો કારણ કે દૂધ વિના અભ્યાસ સારી રીતે કેમ થઈ શકે ? ધનપાળ તે દૂધમાં તેની ઓરમાન માતાએ માખીઓ નાંખી છે એવી શંકા કરતો અને “જો આ દૂધ નહીં પીઉં તો મને માર પડશે.' એવા ભયથી તે દરરોજ દૂધ પીતો હતો પરંતુ “આ મારી વિમાતા મારું હિત ચિંતવનારી ક્યાંથી હોય?' એ પ્રમાણે ખોટી ચિંતવનાથી તે દિનપ્રતિદિન ક્ષીણ થવા લાગ્યો, એને પરિણામે તેને જીવિતવ્યનો ઘાત કરનાર વલ્થલી નામે વ્યાધિ થઈ. તેના પિતાએ તેને વૈદ્યને બતાવ્યો, ઘણું દ્રવ્ય આપીને તેનું ઔષધ કરાવ્યું, પણ ધનપાળે પોતાના મનનો વિચાર વૈદ્યને કહ્યો નહી અને તેથી વ્યાધિ વધવા લાગી ખરેખર બુદ્ધિ કર્માનુસારી જ હોય છે. અંતે વલ્ગલીવાયુની વ્યાધિથી ક્ષય થતો તે મૃત્યુ પામ્યો. શંકારૂપ મહારોગથી પીડાતો પ્રાણી સર્વ દુઃખોનો ભાજન બને છે.
નાનો પુત્ર ધનદેવ નિઃશંકપણે દૂધ પીવાથી સુખપૂર્વક અભ્યાસ કરીને વૃદ્ધિ પામ્યો. પરિણામે તે ઘરનો સ્વામી થયો. “શંકાવડે જેમ ધનપાળ આ લોકના સુખથી ભ્રષ્ટ થયો તેમ બુદ્ધિમાનું પુરુષ પણ શંકા કરવાથી મુક્તિ આપનાર સમકિતથી ભ્રષ્ટ થાય છે. આ
ધનહીન મનુષ્ય પણ જો સમ્યક્તથી યુક્ત હોય તો તે ધનીક જ છે, કેમકે પૌદ્ગલિક ધન તો એક ભવમાં જ સુખ આપનારું છે જ્યારે સમકિતરૂપી ધન તો ભવોભવમાં અનંતા સુખને આપનારું છે..