________________
૧૯
દ્વિતીય પલ્લવઃ વૈર્યવાનું, ભિક્ષામાત્રથી આજીવિકાના કરનારા, સમભાવમાં રત રહેનારા અને ધર્મના ઉપદેશક તે સુગુરું છે. દુર્ગતિમાં પડતા પ્રાણીને ધારી રાખે તે ધર્મ કહેવાય છે. તે ધર્મ સર્વજ્ઞ કથિત અને સંયમાદિ દશ પ્રકારનો છે. ઇન્દ્રિયદમન, ક્ષમા, અહિંસા, તપ, દાન, શીલ, યોગ અને વૈરાગ્ય એ ધર્મના ચિહ્નો છે. જે દેવો સ્ત્રી, શસ્ત્ર અને માળા વગેરે રાગ, દ્વેષ અને અજ્ઞાનના ચિહનોથી અલંકૃત છે, દોષોથી કલંકિત થયેલા છે, તે નિગ્રહ, અનુગ્રહ કરવામાં તત્પર દેવો મુક્તિ પ્રાપ્ત કરાવનાર થતા નથી. સર્વ વસ્તુના અભિલાષી, અબ્રહ્મચારી અને મિથ્યા ઉપદેશ કરનારા ગુરુપણાને યોગ્ય નથી. કુગુરુ છે.) મિથ્યાદષ્ટિઓએ માનેલો, હિંસાદિકથી મલિન થયેલો, જે ધર્મ તે ભવભ્રમણના કારણભૂત હોવાથી સદ્ધર્મ નથી પણ અધર્મ છે. ગોમેધ, નરમેધ, અશ્વમેધ વગેરે યજ્ઞો દ્વારા પ્રાણીઓનો ઘાત કરનારા યાજ્ઞિકોમાં ધર્મ ક્યાંથી હોય? કહ્યું છે કે-ઘોડા અને હાથી, લોહ અને કાષ્ટ, પથ્થર અને વસ્ત્ર, સ્ત્રી અને પુરુષ તથા મૂલ્ય વિનાનું પાણી અને બહુમૂલ્ય ધર્મ વચ્ચે ઘણું અંતર હોય છે. જેમ સુકૃતથી સામ્રાજ્ય, ચંદ્રથી જ્યોન્ઝા, સૂર્યથી દિવસ, મેઘથી સુકાળ, સુગુરુથી ધર્મ, ન્યાયથી લક્ષ્મી, વિનયથી સુવિદ્યા, ધર્મથી મંગળની પરંપરા, સમભાવથી સુખ અને અમૃતથી નિરોગીપણું અવશ્ય પ્રાપ્ત થાય છે. તેમજ ભવ્યોને ભગવંતે કહેલ ધર્મની આરાધનાથી અવશ્ય મુક્તિ પ્રાપ્ત થાય છે. તે કારણે સુખના નિધાન સ્વરૂપ સર્વ પ્રકારના કલ્યાણના બીજ રૂપ, સંસારરૂપી સમુદ્રમાં, પ્રવહણ સમાન, ભવ્ય પ્રાણીઓના એક સુચિહ્ન સ્વરૂપ પાપરૂપી વૃક્ષને માટે કુઠાર તુલ્ય, પવિત્ર તીર્થોમાં પ્રધાન અને સર્વ શત્રુને જીતનાર આ સમકિત નામના અમૃતના તમે પાન કરો.
આ પ્રમાણે મિત્રના વચનોથી શ્રીપતિ શ્રેષ્ઠી મિથ્યાત્વના સર્વ કારણો ત્યજીને દયાપ્રધાન જિનધર્મનું આરાધન કરવા લાગ્યા. તે પ્રતિદિન મહામંત્રનો જાપ ત્રિકાળ જિનપૂજન, બંને સંધ્યાએ ભાવપૂર્વક પ્રતિક્રમણ કરે છે. નિત્ય ગુરુમહારાજને વંદન કરે છે, સાધુ મુનિરાજને દાન આપે છે, પર્વોનું આરાધન કરે છે અને વિવિધ પ્રકારના તપ તપે છે. તેમજ અમારીનું પાલન તીર્થયાત્રા અને દીનોદ્ધાર કરે છે અને મહાશ્રાવક જેવો તે સાત ક્ષેત્રમાં યોગ્ય રીતે ધનનો વ્યય
કરે
છે.
આ પ્રમાણે અખંડપણે ધર્મકાર્યો કરતાં કરતાં તે શેઠે અને તેમની પત્નીએ છ માસ પસાર કર્યા. એક દિવસ રાત્રે શેઠે વિચાર્યું–ધર્મ કરતા મારા છ માસ વીત્યા તો હવે મને તેનું શું ફળ મળશે ? આ પ્રમાણે જૈન ધર્મનું આરાધન કરવા છતાં પણ ફળસિદ્ધિ દેખાતી નથી તો શું આ ધર્મ નિષ્ફળ છે ? શ્રેષ્ઠીના આટલા વિચારમાત્રમાં શાસનદેવતા પ્રગટ થઈને તેને કહે છે– શ્રેષ્ઠી ! હે મૂઢ ! જીતેલી બાજી તું કેમ હારી રહ્યો છે? સમુદ્રમાં ડૂબતો તું હાથમાં આવેલું પાટીયું કેમ છોડી દે છે ? જેમ વહાણ ભાંગી જવા છતાં સમુદ્રમાં પડેલો માણસ પાટીયું મળવાથી કિનારા તરફ જાય અને પ્રતિકૂળ પવન લાગવાથી તે સમુદ્ર તરફ પછડાય તેમ તું પણ અંતરાય કર્મરૂપી સમુદ્રનો પાર પામવા આવ્યો. તેટલામાં શંકારૂપી પ્રતિકૂળ પવનથી પાછો સમુદ્રમાં ધકેલાય છે. શંકારહિત આચરેલો ધર્મ જ મહાફળને આપનાર છે અને સંશય પૂર્વક કરેલો ધર્મ જળમાં કરેલ રેખાની જેમ નિષ્ફળ થાય છે. સ્થળમાં રહેલું જળ, જળમાં રહેલી રેખા, ભૂખ્યાનાં મોઢામાં નાખેલું ફળ અને શંકાપૂર્વક અનુષ્ઠાનથી ઉપાર્જન કરેલું પુણ્ય સ્થિરપણાને પામતાં નથી.