________________
દ્વિતીય પલ્લવઃ
(ચંદ્રયશ અને ધર્મદત્તની કથા ચાલુ...) મનુષ્યોમાં જેમ ચક્રવર્તી, દેવતાઓમાં ઇન્દ્ર, પશુમાં સિંહ, વ્રતોમાં ક્ષમા, પર્વતોમાં મેરુ જેમ સર્વ શ્રેષ્ઠ છે તેમ સર્વ ભવોમાં મનુષ્યભવ શ્રેષ્ઠ છે, આવો શ્રેષ્ઠ મનુષ્યભવ અને ઉત્તમકુળમાં જન્મ પામીને પણ પ્રાણી જો ધર્મોપાર્જન કરતો નથી તો ભવાંતરમાં પારકાનું એઠું ભોજન ખાઈને અથવા ભિક્ષા માંગીને પેટ ભરનારો થાય છે. તો કારણે ધર્મધન શ્રીપતિશેઠને સમજાવીને કહે છે કે હે શ્રીપતિ શેઠ ! તમે મિથ્યાત્વને તજીને સમકિતનો સ્વીકાર કરો. શુદ્ધધર્મની આરાધના દ્વારા તમને પુત્રની પ્રાપ્તિ થશે, જેમ કુવો ખોદનારો ક્રમશઃ નીચે નીચે ઉતરતો જાય છે, તેમ પાપ કરનાર જીવો અધોગતિગામી થાય છે અને મહેલ બાંધનારો જેમ ઉપર ઉપર ચઢતો જાય છે, તેમ પુણ્યવાનું જીવો ઉચ્ચગતિને પ્રાપ્ત કરે છે. મિથ્યાત્વવાસિત જીવ નિશ્ચ ભવભ્રમણ કરે છે. તેથી તમે પણ જો દુષ્કર્મ ઉપાર્જન કરશો તો અવશ્ય અધોગતિમાં જશો. આપણી સંગતિ સત્સંગતિ હોવાથી તે ધર્મપ્રાપ્તિનું કારણ બનવી જોઈએ અને એથી જ હું તમને ધર્મપ્રાપ્તિ માટે આ બધું કહી રહ્યો છું. કારણકે પ્રાણી કુસંગથી પાપ કરે છે અને દુર્ગતિમાં જાય છે.
કહ્યું છે કે “સંગતિથી જ પ્રાણી સત્કાર્ય કે દુષ્કાર્ય અથવા પાપ કે પુણ્ય કરે છે એ વાતમાં કોઈ સંદેહ નથી. તેથી જ દુર્યોધનના સ્નેહથી બંધાયેલા ગાંગેયે ગોહરણ કર્યું હતું. સજ્જનોના અત્યંત પ્રભાવથી ઠગ પણ તારનારો થાય છે. જુઓ જળમાં નાખેલા પથ્થરોએ રામના સૈન્યને તાર્યું હતું. મહાત્માના આશ્રયથી અસત્ પણ સત્ થાય છે. ખરેખર સિદ્ધરસના સંવેધથી લોહ પણ સુવર્ણપણાને પામે છે.” ગુણજ્ઞતા, કૃતજ્ઞતા, અમત્સરીપણું, અદીનતા, દયા, સત્ય અને ગુરુભક્તિ એ સર્વ સત્પરુષોના ઉત્તમ વ્રતો છે.'
ધર્મધન મિત્રના આવા પ્રકારના વચનો સાંભળીને હર્ષિત થયેલા શ્રીપતિ શેઠે કહ્યું કેહે ધર્મમિત્ર ! તારા તમામ વચનો સત્ય છે અને આચારવા યોગ્ય છે, તેથી હવે તમે જ કહો કે હું શું કરું? અને શું તજી દઉં?” ધર્મધને કહ્યું કે–મિથ્યાત્વને તજી દો, સમકિતને અંગીકાર કરો. દોષરહિત દેવમાં જે દેવપણાની બુદ્ધિ, સદ્ગુરુમાં જે ગુરુપણાની બુદ્ધિ અને શુદ્ધ ધર્મમાં જે ધર્મ બુદ્ધિ તે સમ્યક્ત કહેવાય છે. અદેવમાં દેવબુદ્ધિ, અગુરુમાં ગુરુબુદ્ધિ અને અધર્મમાં ધર્મબુદ્ધિ તેને મિથ્યાત્વ કહેવાય છે. સર્વજ્ઞ, રાગદ્વેષાદિ સર્વ દોષોને જીતનારા, ગૈલોકયપૂજિત અને યથાસ્થિત ધર્મને કહેનારા શ્રીઅરિહંત પરમેશ્વર તે સુદેવ છે. મહાવ્રતોને ધારણ કરનારા,