________________
પ્રથમ પલ્લવ
કથાચૂડની કથા * આ જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં મિથિલાપુરી નામની નગરી છે. ત્યાં ઇન્દ્ર જેવો રણસાર નામનો રાજા હતો. તેને શીલવતી નામે રાણી હતી. તે પ્રેમાળ, હંમેશા પતિને અનુસરનારી, રૂપવતી અને આનંદ આપનાર હતી. કહ્યું છે કે-“પતિમાં રક્ત, સુશીલવતી, સર્વકાર્યમાં વિચક્ષણા, પ્રિય બોલનારી અને અતિ રૂપવંતી પ્રિયા પૂર્વના પુણ્યથી જ પ્રાપ્ત થાય છે. સુખમાં દિવસો પસાર કરતા તે દંપતીને એક વખત શુભ યોગે એક મહાન કાંતિવાળો પુત્ર થયો. પિતાએ તેનું નામ કથાગૂડ રાખ્યું. અનુક્રમે તેણે અનેક કળાઓ સહિત શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. અનુક્રમે યુવતિ જનના મનને મોહ ઉત્પન્ન કરે તેવું યૌવન પામ્યો અને સ્વેચ્છાએ ક્રીડા કરવા લાગ્યો.
તે વખતે મગધ દેશમાં કુશાગપુર પત્તનમાં શત્રુઓ રૂપી હસ્તિને સિંહ સમાન સમકેશરી નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સુનંદા નામે પુત્રી હતી. યુવાવસ્થાને પામેલી તે રૂપવડે સ્ત્રીરત્નથી પણ વિશેષ અને વિદ્યાવિજ્ઞાનવડે સરસ્વતી જેવી લાગતી હતી. સમકેશરી રાજાએ કથાગૂડ સાથે પોતાની પુત્રીના વિવાહ કરવા દૂતને મિથિલાપુરી મોકલ્યો. દૂતે ત્યાં જઈને રણસાર રાજાને વિજ્ઞપ્તિ કરી કે– સ્વામિન્ ! મગધ દેશના રાજાને સુનંદા નામે પુત્રી છે. તે ઘણી સુંદર છે. તમારા પુત્ર કથાગૂડ સાથે તેનો વિવાહ કરવા માટે તેમણે મને અહીં મોકલ્યો છે. તેનો સ્વીકાર કરો અને કથાગૂડને પાણિગ્રહણ કરવા માટે મારી સાથે મોકલો.' આ વિનંતિનો સ્વીકાર કરીને રણસાર રાજાએ કથાચૂડને કેટલાક સૈન્ય સહિત તેની સાથે મોકલ્યો.
માર્ગમાં કથાગૂડ લક્ષ્મીપુર નગરની બહાર તંબુ નાંખીને રહ્યો. તે નગરમાં સુરકેતુ નામે રાજા રાજ્ય કરતો હતો. તે રાજાના રાજ્યમાં એક નૈમિત્તિક રહેતો હતો. રાજાએ કૌતુકથી નૈમિતિકને પૂછયું કે આ વિવાહ થશે કે નહીં ?” પ્રતિહારી દ્વારા કથાચૂડનું વૃત્તાંત જાણીને નૈમિતિકે કહ્યું કે–આ વિવાહ જરૂર નક્કી કરેલા દિવસે થશે. દેવો પણ તેમાં ફેરફાર કરવા ધારશે તો પણ થઈ શકશે નહીં.” ત્યારે રાજાએ કહ્યું કે– નૈમિત્તિક ! જો આ વિવાહ હું ન થવા દઉં તો તમે શું કરો ?” ત્યારે નૈમિતિકે કહ્યું કે-“હે રાજન્ ! હું વધારે શું કહું પણ જો કોઈ આ વિવાહને ફેરવી દે તો મારી જીભનો છેદ કરવો.’
રાજાએ નિમિત્તિયાની આવી પ્રતિજ્ઞા સાંભળીને વિચાર્યું કે–“આના નિમિત્તને કોઈપણ પ્રકારના કૂટપ્રપંચથી નિષ્ફળ કરું,” પછી રાજાએ પૂર્વે સાધેલા એક દેવને યાદ કર્યો. તેથી તે તરત જ પ્રગટ થયો અને બોલ્યો કે–“મારા યોગ્ય કામ બતાવો.” રાજાએ કહ્યું કે–હે દેવ ! તું સર્પ થઈને આ કથાગૂડ કુમારને ડંશ દે કે જેથી તેનો વિવાહ અટકે અને નિમિત્તિયાનું કહેવું ખોટું થાય તેથી હું સાચો થાઉં.” રાજાની આજ્ઞાથી તે દેવ કાળરાત્રિ જેવા ભયંકર કૃષ્ણસર્પનું રૂપ ધારણ કરીને તે કુમાર પાસે ગયો અને તેને પગે ડંખ દીધો ઝડપથી પ્રસરતા તે વિષથી કુમાર મૂચ્છિત થઈ ગયો. તેથી તેના પરિવારમાં સર્વત્ર હાહાકાર મચી ગયો. સર્વે ભયભ્રાંત થઈ ગયા. ભયથી આકુળવ્યાકુળ બનેલા સૈનિકો ચારે દિશામાં ગાડિકને શોધવા માટે દોડાદોડ કરવા લાગ્યા. ઘણા ગારુડિયાઓ ભેગા થયા, તેમણે અનેક પ્રકારના મંત્રાદિ ઉપચારો કર્યા પણ મણિ મંત્ર ઔષધિ