SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧3 પ્રથમ પલ્લવઃ શત્રુ વગેરે કરતાં પણ મિથ્યાત્વ અનંતગુણા દુરંત દોષવાળું છે. વિષાદિક તો એક જન્મમાં અહિત કરી શકે છે પરંતુ મિથ્યાત્વ તો અનંત ભવ સુધી પ્રાણીઓનું અહિત કરે છે. મિથ્યાત્વ પરમ વૈરી છે, મિથ્યાત્વ પરમ અંધકાર છે અને મિથ્યાત્વ પ્રાણીને વારંવાર ભવકૂપમાં નાંખનાર છે. શીલ, દાન, તપ, પૂજા, સુતીર્થની યાત્રા, પ્રવર (શ્રેષ્ઠ) દયા, સુશ્રાવકપણું અને વ્રતનું પરિપાલન એ સર્વ સમ્યક્તપૂર્વક હોય તો જ મહાફળને આપનારા થાય છે. સમ્યક્તથી અનંત ભવોમાં ઉપાર્જન કરેલા પાપો પણ અલ્પ સમયમાં નાશ થાય છે. શું પ્રબળ એવી અગ્નિની જ્વાળાઓ તૃણ અને કાષ્ટના મોટા ઢગલાને ક્ષણવારમાં ભસ્મિભૂત નથી કરી શકતો ? અર્થાત કરી શકે છે. તેથી તે શ્રેષ્ઠી ! તમે સુગુરુ અને સદ્ધર્મના સ્વીકારરૂપ પરમ સમ્યક્તને ધારણ કરો, તેથી સંપ્રતિ રાજા, શ્રેણિક, વજકર્ણ, રામચંદ્ર અને કૃષ્ણાદિકની જેમ સુખના ભાગી થશો, જે સમકિતનો નાશ કરીને પોતાના કુળમાં મિથ્યાત્વનું આરોપણ કરે છે તે પોતાના સમગ્ર વંશને દુર્ગતિની સન્મુખ કરે છે એમ સમજવું. સમકિતથી ભ્રષ્ટ થયેલાને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. દ્રવ્ય ચારિત્ર રહિત જીવ સિદ્ધપદને પામી શકે પણ સમકિત વિનાના જીવ સિદ્ધિને પામી શકતા નથી. દર્શનથી ભ્રષ્ટ થયેલા પ્રાણી જ ખરેખર ભ્રષ્ટ છે, પણ ચારિત્રથી ભ્રષ્ટ થયેલા નહીં કારણકે સમ્યક્ત પામેલા જીવો સંસારમાં વધારે પરિભ્રમણ કરતા નથી. જે મિથ્યાત્વનો નાશ કરીને પોતાના કુળમાં સમકિતનું સ્થાપન કરે છે તે પોતાના સમગ્ર કુળને સિદ્ધિની સન્મુખ કરે છે. તેથી તે મિત્ર ! કદાચ મિથ્યાત્વના સેવનથી પુત્ર પ્રાપ્તિ થઈ જાય તો પણ તે ઈચ્છવા યોગ્ય નથી. તે સંબંધી બ્રાહ્મણના પુત્રનું દૃષ્ટાંત છે તે સાંભળ : | બ્રાહ્મણપુત્રનું દેણંત | * એક વખત કોઈક દેવશર્મા નામનો બ્રાહ્મણ-પુત્રપ્રાપ્તિ માટે પાદરવી પાસે જઈને ભક્તિથી પ્રાર્થના કરે છે કે-“હે દેવી! તમારી કૃપાથી જો મને પુત્રની પ્રાપ્તિ થશે તો હું તમારી નવી દેવકુલિકા કરાવીશ અને દર વર્ષે તમને એક બોકડો ચડાવીશ. માટે હે દેવી ! મારી ઇચ્છા પૂરી કરજો.” કર્મયોગે તેને પુત્ર થયો. તેણે તેનું દેવદત્ત નામ પાડ્યું. પુત્રપ્રાપ્તિ થતાં તેણે પાદરદેવીનું નવું મંદિર બનાવ્યું. તેની ફરતી વાડી બનાવી અને એક સરોવર ખોદાવ્યું અને એક બોકડાનો મહોત્સવપૂર્વક તેની પાસે વધ કર્યો. પછી દરવર્ષે તે એક એક બોકડાનો દેવીને ભોગ આપવા લાગ્યો. તેનો પુત્ર દેવદત્ત અનુક્રમે યૌવનાવસ્થા પામ્યો. તેને પરણાવ્યો અને ત્યાર પછી દેવશર્મા આર્તધ્યાનથી મૃત્યુ પામ્યો મોહથી થતી રાજ્ય, ઉપભોગ, શયન, આસન, વાહન, સ્ત્રી, ગંધ, માલ્ય, વસ્ત્ર અને મણિરત્નાદિકના આભૂષણોની જે જે વાંચ્છા, અભિલાષા તેને શાસ્ત્રકારો આર્તધ્યાન કહે છે.” આર્તધ્યાનથી મરણ પામીને તે બ્રાહ્મણ સ્થૂળ રોમવાળો, ક્રોધી, પુષ્ટ દેહવાળો, બલિષ્ઠ, વિકરાળ અને કપિલ કાંતિવાળો બોકડો થયો. વર્ષને અંતે દેવદત્તે પાદરદેવીને ભોગ આપવા માટે તે બોકડાને જ ખરીદ્યો. બોકડાને પોતાનું ઘર જોતાં પૂર્વભવનું સ્મરણ થયું. પોતાને કયા કામ માટે ખરીદવામાં આવ્યો છે તેનું જ્ઞાન થતાં ભયભીત બનેલો બોકડો વિચારવા લાગ્યો કે-“મેં શરૂ
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy