________________
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય આસ્વાદન કરે છે. આ વૃક્ષની સાત ક્ષેત્રરૂપી દોષરહિત શુદ્ધભૂમિ છે. તેથી હે ભવ્યજીવો ! સાંભળો આ ધર્મરૂપી કલ્પવૃક્ષનું પવિત્ર મનથી ધ્યાન કરવું જોઈએ ૩૮થી ૪૬. શ્રેયસ્કારી સૌભાગ્ય, સુંદર યુવતિઓ, વિવિધ વસ્ત્રો, સુંદર હારો, માથે છત્ર, ઓજસ્વી અશ્વો, મદઝરતા હસ્તિઓ, સોનાના પ્રાસાદો, સુખ, લક્ષ્મી, પ્રભુતા, સુવર્ણ જેવી શરીરની કાંતિ, લોકોમાં ઉજ્જવળ કીર્તિ, શ્રદ્ધા અને સદ્ધર્મના માર્ગની પ્રાપ્તિ એ સર્વે ધર્મરૂપી કલ્પવૃક્ષના ફળો છે.
*
સત્તાવીશ નક્ષત્ર યુક્ત ચંદ્રની જેમ સત્તાવીશ ભવ પર્યંત સંસારમાં ભમીને શાશ્વતપદને પામનાર શ્રીવીર પરમાત્મા તમને આત્મ લક્ષ્મીની પ્રાપ્તિ માટે થાઓ. દેવતાવડે રચાયેલા સ્વર્ણ કમળપર ચરણકમળને સ્થાપન કરતા, વસુધાપીઠ પર વિચરતા, ભવ્યજીવોને પ્રતિબોધ કરતા, પૃથ્વીતળને પાવન કરતા શ્રીવીરપરમાત્મા એક વાર ક્ષત્રિયકુંડ ગામે પધાર્યા. ૪૯-૫૦,
અનેક સુર-અસુર અને મનુષ્યોથી યુક્ત અને શ્રીગૌતમાદિ ગણધરોથી સેવાતા પ્રભુ સિદ્ધાર્થવનની ભૂમિમાં સમવસર્યા. ૫૧.
ચારનિકાયના દેવોએ મળીને ત્યાં સમવસરણ રચ્યું, સૂર્યની જેમ પ્રભુ પૂર્વ તરફના સિંહાસન પર બિરાજમાન થયા, ચોસઠે ઇન્દ્રો મળીને દેવદુંદુભિ વગેરે વાજિંત્રો વગાડવા લાગ્યા. પ્રભુનું આગમન જાણીને વનપાળે નંદિવર્ધનરાજાને વધામણી આપતા કહ્યું છે. ‘‘હે સ્વામિન્ ! હું આપને અત્યંત આનંદ સાથે વધાવું છું કે આપણા ઉદ્યાનમાં તમારા બંધુ એવા શ્રીવી૨૫૨માત્મા સમવસર્યા છે.” આવી વધામણી સાંભળીને નંદિવર્ધનરાજાની રોમરાજી વિકસ્વર બની. તેમણે વધામણી આપનાર વનપાળને ૧૨ લાખ સોનૈયા, સુંદર પ્રાસાદ (દક્ષિણામાં આપ્યા) અને સોનાની જીભ આપીને સત્કાર કર્યો. પછી ઉત્સવપૂર્વક નંદિવર્ધનરાજા શ્રીવી૨૫રમાત્માને વંદન કરવા નીકળ્યા. તે સમયે અચાનક અપાપાપુરીથી રાજા હસ્તિપાળ ત્યાં આવ્યા. તથા શ્રીવીર પરમાત્માનું આગમન સાંભળીને હર્ષિત બનેલા મગધેશ્વર શ્રેણિક રાજા પણ ત્યાં આવ્યા. સોનામાં સુગંધની જેમ સર્વેના આગમનથી વિશેષ હર્ષિત બનેલા નંદિવર્ધન રાજા તથા અન્ય પણ રાજાઓ એકત્ર મળીને શ્રીવીરપ્રભુને વંદન કરવા ચાલ્યા. ૫૨ થી ૬૦.
જેમ મધુર ધ્વનિ તત્કાળ પ્રીતિ ઉત્પન્ન કરે છે, સ્ત્રી પણ તત્કાળ પ્રેમ ઉત્પન્ન કરે છે, અગ્નિ તત્કાળ શીતલતા હરે છે તેમ શ્રીજિનેશ્વર ભગવંત પણ તત્કાળ સર્વ પાપોને હરે છે. ૬૧.
ત્રણે રાજાઓએ પાંચ અભિગમ જાળવીને ત્રણ પ્રદક્ષિણા પૂર્વક શ્રીવીરપરમાત્માને વંદન કર્યા અને ભક્તિપૂર્વક શ્રીવી૨૫રમાત્માની સ્તુતિ કરી. ‘‘હે વીતરાગ ! હે ત્રૈલોક્ય દિવાકર ! આપના દર્શનથી આજનું પ્રભાત, આજનો દિવસ મહામંગળકારી તથા મહાકલ્યાણકારી બન્યો છે. આજે અમારા મોહના બંધનો છેદાઈ ગયા છે, રાગાદિ શત્રુઓ જીતાઈ ગયા છે. આજે અમે ભવસમુદ્ર તરી ગયા છીએ. અમને મોક્ષસુખ પ્રાપ્ત થયું છે. હે જિવેંદ્ર ! આપના દર્શનથી અમારું મન પ્રસન્ન થયું છે, અમારા નેત્રો અમૃતકુંડમાં સ્નાન કરવાથી અમૃતથી પૂર્ણ બન્યા છે.’” આ પ્રમાણે સ્તુતિ દ્વારા પોતાના ભવને સફળ કરતા તેઓ યોગ્ય સ્થાને બેઠા. બારે પર્ષદા પોતપોતાને