SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ 3 પ્રથમ પલ્લવ: અને મચ્છર, શેષનાગ અને અળશીયું આ બધામાં જેમ મોટું અંતર છે તેમ શ્રી જિનેશ્વરકથિતધર્મમાં અને હિંસાયુક્ત અન્ય ધર્મોમાં મહદ્ અંતર છે. ૨૪-૨૫. સર્વ ધર્મોમાં ચૂડામણિ તુલ્ય જૈનધર્મ જગતમાં જયવંતો વર્તે છે કારણકે જૈન ધર્મમાં પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય તથા બેઇંદ્રિય વગેરે ત્રસકાય જીવોને પોતાની સદંશ માનીને તેનું બંધુબુદ્ધિથી રક્ષણ કરવામાં આવે છે. ૨૬. ધર્મ, લક્ષ્મીને આકર્ષણ કરનારી વિદ્યા તુલ્ય છે, દારિદ્રચરૂપી પર્વતનો નાશ કરવા વજ તુલ્ય છે, સુખોને મેળવવામાં કામણ તુલ્ય છે તથા સ્વર્ગ અને અપવર્ગને આપનાર છે. ૨૭. જેમ શય્યાના પ્રમાણાનુસારે જ પગપ્રસારણ થઈ શકે છે તેમ અહીં ધર્મનું માહાત્મ્ય જે કહેવાયું છે તે મારી મતિના પ્રમાણમાં એટલે કે અલ્પ જ કહ્યું છે. ૨૮. પૂર્વે મા સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરનાર શ્રીકવિવરોએ ક્ષીરસમુદ્ર પ્રમાણ ગ્રંથો દ્વારા ધર્મનું મહાત્મ્ય ગાયું છે. તે કવિવરોની સ્પર્ધા કરીને જો હું ગ્રંથ રચવા પ્રયત્ન કરું તો ઉત્તુંગ વૃક્ષના ઉપરના ભાગમાં રહેલ સત્ ફળને પ્રાપ્ત કરવા ઇચ્છનાર વામનની જેમ હાંસીને પાત્ર થાઉં. પ્રવહણ વિના માત્ર પાટીયાને આધારે સમુદ્ર તરવાની ઇચ્છા કરનાર મનુષ્યની જેમ સ્વલ્પબુદ્ધિવાળો હોવા છતાં હું ધર્મની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી પ્રવૃત્તિ કરું છું. પવનમાં ઉડતા પાણીના કણોને ગ્રહણ કરવા ઇચ્છનાર તથા પાણીમાં પડેલા ચંદ્રના પ્રતિબિંબને ગ્રહણ કરવા ઇચ્છનાર મૂર્ખની જેમ અલ્પજ્ઞાનાભ્યાસી છતાં વાચાળ થઈને નિર્લજ્જ એવો હું નવીન ગ્રંથ રચવાની વાંચ્છા કરું છું. ગુરુના સાંનિધ્યથી અને શ્રી સંઘની અનુમતિથી મુગ્ધજનોને બોધ કરવા માટે આ સુગમ કથાનક રચવા પ્રયત્ન કરું છું. ૨૯થી ૩૪. હું મૂર્ખપણાથી રચના કરું છું તેથી પંડિત પુરુષોએ મારી ઉપર ક્ષમા કરવી અને દીન એવા મારા પર દયા કરીને તેમણે મારા દોષો પ્રગટ કરવા નહીં. જો કે સજ્જન પુરુષો તો સ્વભાવે જ બીજાના દોષો ઢાંકવામાં તત્પર હોય છે. જગકર્તાએ તેમને આ પૃથ્વીને શોભાવનાર મોતીરૂપે બતાવેલા છે. ૩૫-૩૬. શાસ્ત્રોના અનુમાનને આધારે હું આ ધર્મકલ્પદ્રુમ નામનો ગ્રંથ રચું છું. પ્રારંભમાં નવપલ્લવિત કલ્પદ્રુમનું અર્થાત્ ધર્મનું વર્ણન કરું છું. જીવદયા જેનું મૂળ છે, સદાચારરૂપ કન્દ છે, લજ્જાસ્વરૂપ દૃઢ સ્તંભ છે, સદ્બુદ્ધિરૂપી છાલ છે, દાન, શીલ, તપ ને ભાવરૂપ ચાર મુખ્ય શાખાઓ છે, આચાર વિચાર અને વિનયરૂપ સેંકડો પ્રતિશાખાઓ છે, જીવાજીવાદિ નવતત્વો, જિનપૂજાદિ સન્ક્રિયાઓ અને બાર ભાવનાઓરૂપી વિવિધ પત્રો છે, વિવેકાદિ ગુણના સમૂહ સ્વરૂપ નવીન કીસલયોનો સમૂહ છે, સત્પુળમાં જન્મ અને સ્વર્ગના સુખરૂપ જેના પુષ્પો છે તેવા આ ધર્મવૃક્ષનું ફળ તે મોક્ષનું અક્ષયસુખ છે. મિત્ર, પુત્ર, સ્ત્રી, બાંધવો, સ્વજનો, ધન અને ધાન્ય સ્વરૂપ આ વૃક્ષની શીતળ છાયા ગૃહસ્થોને પ્રાપ્ત થાય છે. મનશુદ્ધિરૂપ જળના પૂરથી આ વૃક્ષ વૃદ્ધિ પામે છે. આ વૃક્ષ સદા દીન અને અનાથ પ્રાણીઓરૂપ પક્ષીઓનું આશ્રયસ્થાન છે. જીવો અનેક પ્રકારે આ વૃક્ષના મીઠા ફળોનું
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy