________________
ઇક
A
શ્રી ધર્મલ્પદ્રુમ મહાકાવ્ય જે ત્રણ લોકસ્વરૂપ પૃથ્વીનો સ્વામી છે, જેને જૈનશાસનરૂપ નગર છે, જેના નગરમાં વિનયવાનું, ક્ષમાવાનું અને સદાચારી મનુષ્યો વસે છે, જેનું દઢ એવું જ્ઞાનપીઠ છે, જેની વ્યાખ્યારૂપ શ્રેષ્ઠ વેદિકા છે અને વિચારરૂપ સિંહાસન છે, જેમની ઉપર સમ્મસ્વરૂપ ઉત્તમ છત્ર છે, જેને મનઃશુદ્ધિરૂપ પટ્ટરાણી છે, સુકૃતોદયરૂપ જેને પુત્ર છે, વિવેકશ્રી નામનો જેમને મહાપ્રધાન છે, જેને સિદ્ધાંતરૂપ સંધિકારક છે તથા ચતુર્વિધ સંઘ સ્વરૂપ જેમનું સૈન્ય છે, તેથી જે રત્નત્રયીને આપનાર છે તે શ્રીધર્મભૂપતિ પ્રતિદિન સેવા કરવા યોગ્ય છે. ૧૦થી ૧૩..
જેઓ આ ધર્મરાજાની આજ્ઞાનું પાલન કરે છે તે પ્રાણી આ વિષમ કલિયુગમાં પણ શ્રેષ્ઠ સુખને પામે છે. ૧૪.
જેમાં પૃથ્વી નિર્બીજ હોય, ઔષધિઓ સત્ત્વ વિનાની હોય, બ્રાહ્મણો અયોગ્ય કર્મમાં રત હોય, રાજાઓ અનીતિથી દ્રવ્ય મેળવનારા હોય, નીચ મનુષ્ય મહત્વને પામેલા હોય, સ્ત્રીઓ પતિને છેતરનારી હોય, પુત્રો પિતાનો દ્વેષ કરનારા હોય એવા કળિયુગમાં પણ જેઓ સદાચાર તજતા નથી તેમને ધન્ય છે. ૧૫.
વિષમ કાળમાં પણ ધર્મને નહીં તજનાર પ્રાણી સંસારસમુદ્રનો પાર પામી શકે છે. ૧૬.
ધર્મથી ઉત્તમ કુળમાં જન્મ થાય છે, શ્રેષ્ઠ જાતિની પ્રાપ્તિ થાય છે, દીર્ધાયુ અને બળ પ્રાપ્ત થાય છે, નિરોગીપણું મળે છે, અનિંદ્ય એવું દ્રવ્ય, નિરૂપમ ભોગ, સારી કીર્તિ તથા સદ્ગદ્ધિ પ્રાપ્ત થાય છે અને ધર્મથી જ પ્રાણીને સ્વર્ગ તથા અપવર્ગની પ્રાપ્તિ થઈ શકે છે. ૧૭.
વળી ધર્મ ઉત્તમ મંગળરૂપ છે, મનુષ્યની અને દેવપણાની પ્રાપ્તિ કરાવનાર છે તેમજ મોક્ષ આપનાર છે, ધર્મ બાંધવની જેમ સ્નેહ કરે છે, કલ્પવૃક્ષની જેમ વાંછિતને પૂરે છે, ધર્મ ગુરુની જેમ સગુણોની પ્રાપ્ત કરાવે છે, સ્વામીની જેમ રાજ્ય આપનાર છે, પિતાની જેમ પવિત્ર કરે છે અને વાત્સલ્યથી માતાની જેમ પુષ્ટિ આપે છે. ૧૮.
પ્રાણીનું પુણ્ય નાશ થતાં અર્થાત્ પાપનો ઉદય થતાં ભાઈ, સ્વજન તથા મિત્રો વૈરી જેવું આચરણ કરે છે. ગુણવતી સ્ત્રી પણ સર્પ જેવી થાય છે, મિત્ર પણ દુર્જન જેવો બની જાય છે, ગુણવાનું પુત્ર શત્રુરૂપે થાય છે, ચંદનનું વિલેપન પણ દાહ કરે છે, સારાં વાક્યો પણ કાનમાં શૂળ જેવા લાગે છે અને અર્થ પણ અનર્થરૂપ થાય છે, આ પ્રમાણે પુણ્ય-પાપનું પ્રત્યક્ષ ફળ દેખાતું હોવાથી બુદ્ધિમાનું પુરુષે જેમાં લાભ દેખાય તેવું આચરણ કરવું જોઈએ. ૧૯.
જેઓ પોતે કૃત્યાકૃત્યને જાણે છે તેઓ ઉત્તમ કહેવાય, બીજા દ્વારા સમજે તે મધ્યમ કહેવાય અને કોઈપણ રીતે ન સમજે તે અધમ કહેવાય છે. ૨૦.
જેમ સિંહમાં અને શિયાળામાં, ઘોડામાં અને ગધેડામાં, સુવર્ણમાં ને પીત્તળમાં, હાથીમાં ને પાડામાં, ઇંદ્રનીલ મણિમાં ને કાચમાં, હંસમાં ને બગલામાં, કલ્પવૃક્ષમાં ને કેરડામાં, તેજમાં ને અંધકારમાં તથા દૂધમાં ને છાશમાં મોટું અંતર છે તેમ જિનપ્રણીત ધર્મ અને મિથ્યાધર્મમાં પણ મોટું અંતર છે. ૨૧થી ૨૩.
અમૃત અને કાંજી, મેરુ અને સરસવ, ઐરાવણ અને ઘેટો, સમુદ્ર અને ખાબોચીયું, ગરુડ