SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પલ્લવ: યોગ્ય સ્થાને બેઠી. ૬૨ થી ૬૮. જેના અગ્નિખૂણામાં શ્રીગણધરો-સાધુઓ, વૈમાનિકની દેવીઓ અને સાધ્વીજીઓ હોય નૈઋત્વપૂણામાં જ્યોતિષ-વ્યંતર અને ભુવનપતિની દેવીઓ બેઠેલી હોય, વાયવ્યખૂણામાં ત્રણે પ્રકારના દેવો બેઠા હોય અને ઈશાનખૂણામાં વૈમાનિક દેવો, મનુષ્યો અને તેની સ્ત્રીઓ બેઠેલી હોય તે બારપર્ષદાયુક્ત સમવસરણ તમને પવિત્ર કરો. ૬૯. શ્રીવીર પરમાત્માએ ચાર મુખે દેશના આપવાનો પ્રારંભ કર્યો. ‘‘હે ભવ્યજીવો ! મનસ્થિર કરીને સારી રીતે સાંભળો, દશ દૃષ્ટાંતે દુર્લભ આ મનુષ્ય ભવ તથા ઉત્તમ કુળ પામીને તેની એક પણ ક્ષણ ફોગટ ન જાય તે માટે ઉત્તમ કાર્ય કરવું જોઈએ. મનુષ્યોએ દિવસના ચાર પ્રહરમાં એવું કાર્ય કરવું જોઈએ કે જેથી રાત્રિમાં નિશ્ચિતપણે સૂઈ શકે, સર્વ અર્થની સિદ્ધિ કરનાર યૌવન પામીને બુદ્ધિવંતોએ એવું કાર્ય કરવું જોઈએ કે જેથી વૃદ્ધાવસ્થા સુખેથી પસાર થાય, આ જન્મમાં એવું સત્કાર્ય કરવું જોઈએ કે જેથી આવતો જન્મ અવશ્ય શ્રેષ્ઠ પ્રાપ્ત થાય, દરવર્ષે વર્ષ દરમ્યાન થયેલા દોષોનું ગુરુ-પાસેથી પ્રાયશ્ચિત્ત લેવું. ગુરુભગવંતે આપેલ પ્રાયશ્ચિત્તનો અમલ કરનાર પ્રાણીનો આત્મા કાચજેવો નિર્મળ બને છે. પ્રતિવર્ષ હર્ષોલ્લાસપૂર્વક ધર્માચાર્યની તથા સાધર્મિકોની પૂજાભક્તિ બુદ્ધિશાળી પ્રાણીએ કરવી. ૭૦થી ૭૫ હે ભવ્યપ્રાણી ! તું સમકિતને અંગીકાર કર, ખોટા આગ્રહને છોડી દે, શ્રીજિનેશ્વરભગવંતને દેવ તરીકે અને સુસાધુને ગુરુ તરીકે સ્વીકાર, અભિમાન ત્યજી દે, નિંદાનો ત્યાગ કર, ઉત્તમ ગુણોથી અન્યને શાંતિ આપ, સજ્જનો સાથે મિત્રતા ક૨, આત્માના સ્વભાવમાં સ્થિર થા, જેથી વહેલી તકે મોક્ષની પ્રાપ્તિ થાય ૭૬ થી ૭૮. મન, વચન, કાયાની નિર્મળતાવાળો જીવ જ સંસારનો પાર પામી શકે છે. મન જ બંધ તથા મોક્ષનું કારણ છે. વિષયાસક્ત મન બંધનું કારણ છે અને નિર્વિષયી મન મોક્ષનું કારણ છે. માટે જેનું મન શુદ્ધ નથી તેના દાન, પૂજા, તપ, તીર્થસેવા, શ્રુત, સર્વ પણ નિષ્ફળ થાય છે. પરંતુ સ્નેહી સ્વજનમાં અને અપકાર કરનાર શત્રુમાં જ્યારે મન તુલ્યભાવ રાખે છે ત્યારે જ પરમસુખની પ્રાપ્તિ થાય છે, સારા કે ખરાબ શબ્દાદિ વિષયમાં મન એકરૂપે વર્તે છે ત્યારે પરમસુખની પ્રાપ્તિ થાય છે, ગોશીર્ષચંદનના વિલેપનમાં અને ચામડીના છેદમાં ચિત્તવૃત્તિ અભિન્ન બને ત્યારે પરમસુખની પ્રાપ્તિ થાય છે. સજ્જન પુરુષોની વાણી અમૃત જેવી મીઠી, સૂર્યની જેમ બોધ કરનારી અને જ્ઞાનની જેમ તત્ત્વમાં નિષ્ણાત કરનારી હોય છે. સજ્જનો સદા સત્ય, કરુણાથી આર્દ્ર, અવિરુદ્ધ, અનાકુળ, ગ્રાહ્ય તથા ગૌરવવાળું વચન બોલે છે. ભોજનની જેમ વચન પણ હિત, મિત, પ્રિય, સ્નિગ્ધ મધુર અને પરિણામ જનક બોલવું. દેહ સર્વઅશુચિનું સ્થાન, વિનાશી અને કૃતઘ્ન હોવાથી આ દેહને સંસ્કારિત બનાવવાની મૂર્ખતા કોણ કરે ? શરીર એક જાતનું ત્રણ છે, ભોજન એ તેને પિંડ આપવા તુલ્ય છે, સ્નાન એ ત્રણને ધોવા તુલ્ય છે અને વજ્ર તેના પર પાટો બાંધવા તુલ્ય છે, કપૂર (બરાસ), કુંકુમ
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy