SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ છઠ્ઠો પલ્લવઃ મલયાદ્રિીમાં મોટી અટવીમાં એક મણિભદ્ર નામનો હાથી હતો. તેને પ્રિયંકરી નામની હાથણી હતી. પ્રેમમાં પરાયણ બનીને તે બન્ને સ્વેચ્છાએ ક્રીડા કરતા હતા. તેટલામાં દૈવયોગે તે વનમાં મોટો દાવાનળ લાગ્યો. તે અટવીમાં એવા પાંચ ચંડિલ (શુદ્ધભૂમિ) બનાવેલા હતા કે જ્યાં તૃણ પણ ઉગેલા ન હોવાથી ત્યાં દાવાનળનો ભય નહોતો. દાવાનળને જોઈને હાથી તુરત જ હાથણી સહિત પહેલા અંડિલ તરફ દોડ્યો. પણ ત્યાં તો બીજા પ્રાણીઓથી જગ્યા ભરાઈ ગઈ હતી. ત્યાં રહેલા બધા પ્રાણીઓને અગ્નિથી ભય પામેલા જોઈને તેમની દયા લાવી હસ્તિ ત્યાંથી હાથણી સહિત બીજા સ્થંડિલે ગયો. ત્યાં પણ પ્રાણીઓ ભરાઈ ગયેલા હતા. એ પ્રમાણે ત્રીજું અને ચોથું પણ ભરાયેલું જોઈ તે પાંચમા સ્પંડિલે ગયો. તે સ્પંડિલ પણ અરણ્યના સસલા, ગેંડા, હરણો વગેરેથી પૂર્ણ થઈ ગયું હતું. તેથી તે સ્થડિલના એક ખૂણા પર હાથણી સહિત તે હાથી ઊભો રહ્યો. વનમાં લાગેલો દાવાનળ ખૂબ વિષમ હતો, તદુપરાંત ઘણો પવન આવવાથી દાવાનળ ખૂબ વધી ગયો. તેથી થોડા જ વખતમાં આખુ વન ભસ્મરૂપ થઈ ગયું. બધું જ વન બળી જવાથી પશુ તથા પક્ષીઓ સ્થાનભ્રષ્ટ થવા સાથે અનાથ થયા. સ્વભાવથી જ મલિન એવા ધુમાડાવડે સમગ્ર પૃથ્વી શ્યામ અને સંતાપિત થઈ. પુષ્પ, પલ્લવ, લતા અને ફળવાળા અનેક વૃક્ષોને દાવાનળ ભસ્મીભૂત કરી નાખ્યા. એ પ્રમાણે આખું વન સાપના રાફડા જેવું બની ગયું. અહીં પાંચમા સ્થંડિલમાં રહેલી હાથણી દાવાનળના તાપથી આક્રાંત થઈ ગઈ, તે વખતે બળતી હાથણીને ત્યજીને હાથી દાવાનળના ભયથી શીઘ મોઢામાં સૂંઢ નાંખતો જીવ લઈને ભાગ્યો. એ પ્રમાણે પતિને ભાગી જતો જોઈને હસ્તિની બહુ જ કોપાયમાન થઈ. પણ પાછી પૂર્વે મુનિનો સંયોગ થયેલો હોવાથી શાંત થઈ, ક્રોધ સમાવ્યો અને તેને સન્મતિ ઉત્પન્ન થઈ. તે વનમાં શ્રીયુગાદીશનો એક શ્રેષ્ઠ પ્રસાદ હતો, તે તેણે પૂર્વે જોયેલો હતો, આ વખતે તે પ્રસાદનું જ ભાગ્યયોગે તેને સ્મરણ થયું. પૂર્વે મુનિના મુખથી નમસ્કારમંત્રનો પ્રભાવ સાંભળ્યો હતો, તે અત્યારે તેના સ્મરણમાં આવ્યો. તેના શુભ ધ્યાનથી તે મરણ પામીને સ્વર્ગે ગઈ. ત્યાં સ્વર્ગનું સુખ ભોગવી ત્યાંથી અવીને હું રાજપુત્રી થઈ છું. આ ભવમાં રાજાના હસ્તીને જોવાથી તે - સુલોચના ! મને જાતિસ્મરણ થયું છે. મને પૂર્વભવમાં બળતી મૂકીને હાથી ભાગી ગયો, તેથી પુરુષો એવા નિર્દય અને ક્રૂર જ હોય છે, માટે તેનું મોટું પણ શા માટે જવું? એમ મેં નિર્ધાર કર્યો છે. હે સખી ! મેં મેરુપર્વત જેવા સ્વર્ગના સુખ ભોગવ્યા છે તે તેની પાસે સરસવ જેવા મનુષ્ય સુખની શું કિંમત છે? તેથી તે સુખભોગથી મારું મન તૃપ્ત પણ કેવી રીતે થાય ? કહ્યું છે કે–અસુર ને સુરના ભોગથી જે જીવ તૃપ્ત થયો નહીં તે મનુષ્યના સ્વલ્પ સુખોથી કેવી રીતે તૃપ્તિ પામે ? સમુદ્રના પુષ્કળ જળનું પાન કરવાથી જે તૃપ્ત ન થયો તે તૃણની ટોચ પર રહેલા પાણીના બિંદુથી કેમ તૃપ્ત થાય? જેમ બિલાડો દૂધનું આસ્વાદન ખુશ થતો થતો કરે છે તેમ આ જીવ સંસારના વિષય સુખનું આસ્વાદન આનંદપૂર્વક કરે છે પણ માથા પર ઠંડો લઈને ઉભેલા યમરાજાને તે જોતો નથી “હે ચિત્તરૂપી ભાઈ ! જો તને શ્રેષ્ઠ સુખની જ ઇચ્છા હોય તો પવને હલાવેલા દીપકની ચપળ શિખા જેવા કામને ત્યજી છે. તેના ત્યાગ વિના કરેલું ધ્યાન, ઉત્તમગુરુની નિશ્રા, શ્રેષ્ઠ તપનું આચરણ, અનેક દેવોની સ્તુતિ-પ્રાર્થના આદિ સર્વે પણ નિષ્ફળ થાય છે.” હે સુલોચના ! આ પ્રમાણે વિચાર કરીને મારી પાસે રમણીય એવા વિષયસુખનું કે પુરુષનું
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy