SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ શ્રી ધર્મલ્પદ્રુમ મહાકાવ્ય ઔષધિ પણ જોઈ. ત્યારબાદ કુન્જ રાજાએ પહેલી ઔષધિ છોડી એટલે કુલ્કપણું મટીને સ્ત્રીપણું થયું, પછી હાથે બાંધેલી ઔષધિ છોડી એટલે પ્રથમ હતો તેવો રૂપવાનું થઈ ગયો. એ પ્રમાણે બને ઔષધિઓનો પ્રભાવ જાણીને તે બન્ને જટી છૂપાવીને પછી રાજા ફરી પરિવ્રાજિકાના આશ્રમમાં ગયો. રાજાને આવેલ જોઈને પરિવ્રાજિકાએ પૂછયું કે–હે મહાપુરુષ ! તમે ચિંતાતુર જણાઓ છો, તેથી તમારા મનમાં શી ચિંતા વર્તે છે ? તે કહો.” રાજાએ તેની પાસે પોતાના સ્વપ્નની યથાર્થવાત કહી સંભળાવી અને પછી કહ્યું કે–“તે સ્વપ્નમાં જોયેલી કન્યા મેળવવાની ચિંતા મને રહ્યા કરે છે.” તપસ્વિની બોલી કે– ‘તમે જોયેલી કન્યા નરમત્સરી (પુરષશ્લેષિણી) છે. તે પુરુષ સાથે બોલતી પણ નથી.” રાજાએ કહ્યું કે-“હે માતા ! જો તમારી આજ્ઞા હોય તો હું સ્ત્રીપણે થઈને તેની સાથે વાણી વિલાસ કરું?” તે સાંભળીને તાપસી બોલી કે– “જો તમારી પાસે એવી શક્તિ હશે તો તમારું કાર્ય સિદ્ધ થશે, તે સિવાય તેને મેળવવાનો કોઈ ઉપાય નથી.” પછી બીજે દિવસે રાજપુત્રીને આવવાને સમયે રાજા સ્ત્રીનું રૂપ વિકુર્તીને તાપસીને આશ્રમમાં ગયો અને તેને નમસ્કાર કરીને તેની પાસે બેઠો. થોડીવાર થઈ ત્યાં કમલશ્રી તેના આશ્રમમાં આવી અને ભક્તિપૂર્વક નમસ્કાર કરી તેણે તાપસીને પૂછયું કે-“આ રૂપવંતી બાળા કોણ છે? ક્યાંથી આવેલી છે? અને તમારી પાસે કેમ બેઠી છે?” તેના ઉત્તરમાં વૃદ્ધ તાપસી બોલી કે હે સુભગે ! મારું વચન સાંભળ. આ મારા ભાઈની સુલોચના નામની પુત્રી છે. તે પદ્મિનીપુરથી મને મળવા માટે ઉત્કંઠિત થઈને આવી છે અને મારી પાસે થોડાક દિવસ રહેવાની છે.” તે સાંભળીને કમલશ્રી બોલી કે –“હે માતા ! જો મારું કહેવું માન્ય કરો તો કાંઈક કહું! આ તમારી ભત્રીજી તે મારી બહેન ગણાય, તેથી તેને મારી પાસે રહેવા દ્યો કે જેથી તેની સાથે વાતો કરવા દ્વારા મારો સમય આનંદમાં જાય.” તપસ્વિનીએ આજ્ઞા આપી તેથી કમલશ્રી તેને લઈને પોતાના મહેલમાં આવી કમલશ્રી સુલોચના સાથે આનંદથી ક્રીડા કરવા લાગી. તેમજ અનેક પ્રકારની ગોષ્ઠિ કરવા લાગી અને તાપસીને આશ્રમે પણ તેને સાથે લઈને હર્ષપૂર્વક જવા આવવા લાગી. પરસ્પર સ્નેહમાં મોહિત થયેલી તે નવો નવો કળાભ્યાસ કરવા લાગી. એ પ્રમાણે સુખપૂર્વક કેટલાક દિવસો પસાર થયા. એક વખત સુલોચનાએ રાજપુત્રીને કહ્યું કે-“તમે યુવાન હોવા છતાં તમારા માતાપિતા કેમ તમારો વિવાહ કરતા નથી? તમારું રૂપ રમણીય છે, યૌવન વય છે, વિજ્ઞાનમાં કુશળતા છે, આરોગ્ય છે, છતાં તમે તારુણ્યને ફોગટ કેમ હારી રહ્યા છો ?” તે સાંભળીને રાજપુત્રી આંખમાં આંસુ લાવીને બોલી કે–“જો તમે મારી બહેન હો તો મારી પાસે પુરુષનું નામ જ લેશો નહીં' સુલોચના બોલી કે-“હે ભદ્ર ! તમને આવો પુરુષષ કેમ છે? તેનું કારણ કહો. મને તે સાંભળવાની ઇચ્છા છે.” રાજપુત્રી બોલી કે-“હે સુંદરી ! મારા પિતાનો પટ્ટહસ્તિ જોવાથી મને જાતિસ્મરણ થયું છે, તેથી મારા પૂર્વભવની વાત જાણવાથી મને પુરુષ ઉપર દ્વેષ ઉત્પન્ન થયો છે.” નારીરૂપધારક રાજા બોલ્યો કે– ‘તમને હાથીને જોવાથી કેમ નષ થયો? તમારો પૂર્વભવ કેવો હતો કમલશ્રી બોલી કે-“હે સુલોચના ! મારા પૂર્વભવની વાત સાંભળ કે જેથી હું નરષિણી થઈ છું -
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy