SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ છઠ્ઠો પલ્લવઃ જોયા. તેને જોઈને વિદ્યાધર વિચારવા લાગ્યો કે “આ નરોત્તમ કોણ છે? આનું રૂપ નિરૂપમ દેખાય છે. આવું રૂપ કયાંય જોયું નથી. મારી ભાર્યા જો આ પુરુષશ્રેષ્ઠને જોશે તો અવશ્ય તેના પર મોહ પામશે અને મારી સાથે વિરક્તપણું ધારણ કરી કુવિકલ્પો કરશે.' સ્ત્રી જાતિમાં અસત્યતા અને ચંચળતા સ્વભાવે જ હોય છે. તેમજ માયાભાવ અને અવિશ્વાસપણું હોય છે અને તે વિશ્વને મોહ ઉત્પન્ન કરનારી છે. વિધાતાએ હાથીના કાન, વિદ્યુતની જ્યોતિ, દુર્જનનો પ્રેમ અને લક્ષ્મીને સ્થિર બનાવતાં વધેલા દ્રવ્યવડે જ સ્ત્રીને બનાવી જણાય છે. જે કાર્ય માટે નિયતિ (ભવિતવ્યતા) પણ સમર્થ થતી નથી તે કાર્ય સુશર્મા રાજાની પટ્ટરાણીની જેમ સ્ત્રી તત્કાળ કરે છે. તે સુશર્મા રાજાની પટ્ટરાણીની કથા આ પ્રમાણે છે. સુશર્મારાણીની કથા માળવા નામનો ઘણો સુંદર દેશ હતો. તે દેશમાં ઋદ્ધિવડે વિસ્તૃત અને ગુણના આધારભૂત ધારા નામે નગરી હતી. તે નગરીમાં અરિમદન નામે રાજા હતો. તે બન્ને પક્ષે શુદ્ધ હોવાથી દ્વિગુણ, શૈશવાદિ અવસ્થાથી ત્રિગુણ અને કળાવડે ચંદ્રની કળા કરતા સાચઉગુણ અર્થાતુ ૭૨ કળા યુક્ત હતો અને પૃથ્વીતળને શોભાવનારો હતો. તે રાજા દેવોમાં સુશર્મા (ઇંદ્ર) જેવો હોવાથી તેનું બીજું નામ સુશર્મા હતું. તે રાજાને તેના ચિત્તરૂપી હસ્તિને કબજે કરનારી અને રૂપવડે રતિને પણ જીતનારી, મૃગ જેવા નેત્રવાળી મૃગાવતી નામે માન્ય રાખી હતી. તે રાણી પૂર્ણપણે શાળવ્રત પાળવાની ઇચ્છાથી રાજા સિવાય બીજાનું મુખ પણ જોતી નહોતી અને પુરુષ નામનું ધાન્ય પણ ખાતી નહોતી આ પ્રમાણેના માયાભાવથી તેણીએ રાજાના હૃદયને કબજે કરી લીધું હતું. . એક વખત દીપોત્સવી (દીવાળી)ને દિવસે લોકો રાજાને ભેટ આપવા માટે પોતપોતાના વંશને ઉચિત એવી અનેક વસ્તુઓ લાવ્યા. તે પ્રસંગે માછીમારોએ મત્સ્યોને પાણી વડે ધોઈ સાફ કરીને તેની શ્રેણી રાજાને ભેટ ધરી. રાજાએ તે માળા રાણીને મોકલી. તે જોઈને રાણી બોલી કે આ મલ્યો પુરુષવેદી છે તેથી હું તેની સામે પણ નહીં જોઉં.” આ પ્રમાણેના રાણીના વાક્યથી તે મત્સ્યોમાંથી એક મત્સ્ય ખડખડ હસી પડ્યો. તેથી વિસ્મય પામેલી રાણી પોતાના ચિત્તમાં ખેદ પામી. તે મત્સ્યનું વૃત્તાંત જાણવા માટે ઉત્સુક થયેલી મૃગાવતી ભોજન કરવા પણ ન ઊઠી. અહીં પ્રાણ વિનાના પણ મત્સ્ય હાસ્ય કર્યું. પણ કોઈ તંત્રજ્ઞ, શાસ્ત્રજ્ઞ, જ્ઞાની, કે ભૂત પણ મસ્યના હાસ્યનું કારણ સમજી શક્યા નહીં. રાણીના આગ્રહથી રાજાએ પંડિતોને કહ્યું કે–આ મત્સ્યના હાસ્યનું કારણ ન જાણવાથી હું યંત્રમાં પીલાતાની જેમ પીડાઉ છું, માટે તમે તેનું કારણ શોધીને શીઘ્રતાથી મને કહો.” પંડિતો આ બાબતમાં ક્ષીણબુદ્ધિવાળા થવાથી વાડામાં રાખેલા પશુ જેવા થઈ ગયા. તેથી તેમણે રાજા પાસે ત્રણ દિવસની મુદ્દત માંગી. રાજાએ ત્રણ દિવસની મુદત આપી. તેઓ ઘરે આવ્યા ત્યારે તેમાંના એક પંડિતની પુત્રવધૂએ તે હકીકત સાંભળીને કહ્યું કે- તમે ચિંતા ન કરો. હું રાજાની રાણીને સમજાવી દઈશ.” પછી વિનીત એવી તે રાજમહેલમાં અત્યંત આગ્રહવાળી રાણી પાસે એકલી ગઈ. ત્યાં જઈને તે સ્ત્રી મર્મને ભેદનારા મધુર વાક્યોવડે તે રાણીને શાંત કરવા લાગી. પરંતુ સારી
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy