________________
૧૫૨
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય આલાપ સંલાપ કરે છે. નિરંતર હર્ષિત ચિત્તે મધુર વચન બોલનારી સારિકાને રમાડે છે અને પરદેશથી આવેલા તેમજ તે નગરમાં રહેનારા પુરુષો ઉપર દ્વેષ ધરાવે છે. એ રીતે પોતાના ઇચ્છિતને કરતી તે આનંદથી કાળ વ્યતીત કરે છે.
આ પ્રમાણે તમામ હકીકત કહીને તે પરદેશી અન્યત્ર ગયો. સુમતિ મંત્રીએ રાજા પાસે જઈને બધી હકીકત કહી. તે દિવસે રાત્રિએ સુમતિ મંત્રીએ સ્વપ્ન જોયું કે–સુવર્ણની માળા સહિત પોતાના રાજા ઉત્તર દિશામાંથી આવ્યા. મંત્રીએ સવારે રાજાને તે વાત કરી તેથી રાજા વધારે હર્ષિત થયા અને ઉત્સાહિત બન્યા. ત્યારબાદ પુરુષોત્તમ રાજા પ્રસ્તાવોચિત સામાન્ય વેશ ધારણ કરીને સુમતિ મંત્રીને સાથે લઈ ઉત્તર દિશાના માર્ગ તરફ ચાલ્યા. અનુક્રમે અતિ મનોહર એવી પ્રિયંકરા નગરીએ પહોંચ્યા. તે નગરીને જોઈને રાજા વિચારે છે કે-“આ તે શું લંકાપુરી છે કે દેવનાયકની ઇન્દ્રપુરી છે? અથવા શુ દ્વારિકા છે કે નાગકુમારીકાઓએ ક્રીડા કરવા માટે આ નગરી વસાવી છે? અથવા દેવેન્દ્ર કે વિદ્યાધરે કૌતુકપૂર્ણ કરવા માટે આ નગરી સર્જી છે? ત્રણ જગતમાં પણ આવી નગરી નજરે પડતી નથી.” રમણીયનગર, સુંદર હવેલિઓ અને શોભતા માર્ગ વગેરે સર્વે પણ સ્વપ્નમાં જોયા પ્રમાણે રાજાએ અહીં જોયું. તે જોઈને રાજા બહુ હર્ષિત થયો.
- ત્યારબાદ પેલા દેવકુળ પાસેના આશ્રમમાં જઈને બે તાપસીઓને તેણે જોઈ. તે વખતે તેની પાસે બેઠેલી રાજકન્યાને પણ જોઈ. તેને જોઈને રાજા બહુ ચમત્કાર પામ્યો અને વિચારવા લાગ્યો કે–“આવું અપૂર્વ રૂપ વિશ્વકર્માએ ક્યા દ્રવ્યો એકત્રિત કરીને બનાવ્યું હશે? તારુણ્યરૂપી વૃક્ષની મંજરી જેવી, કામદેવને સજીવન કરનાર મંત્ર જેવી, લાવણ્યરૂપ નિધાનની ભૂમિ જેવી અને સંપૂર્ણ ચંદ્રમાની કાંતિ જેવી આ રાજપુત્રી શું કિન્નરી છે, અમારી છે કે વિદ્યાધરી છે? આ કન્યાને કોણે, કયારે, કેટલે વખતે અને કેટલા પ્રયાસે નિર્માણ કરી હશે?” આ પ્રમાણે વિચારતો રાજા ફરી તેની સામે જુએ છે તેટલામાં તો તે રાજપુત્રી પુરુષની ઈર્ષ્યાથી એકદમ ઉઠીને પોતાના મહેલમાં જતી રહી.
તેના ગયા પછી બંને તપસ્વીને નમસ્કાર કરીને રાજા તેની પાસે બેઠો. એટલે રાજાને આર્શીવાદ આપીને તપસ્વીનીએ પૂછ્યું કે-“હે નરોત્તમ ! તમને કુશળ છે? તમે કોઈ ઉત્તમપુરુષ જણાઓ છો તો કહો કે–“અહીં ક્યા કાર્ય માટે આવ્યા છો ? અને ક્યાં જવાના છો ?” તેના આ પ્રશ્નોના ઉત્તરમાં રાજા પ્રણામ કરીને બોલ્યો કે-“પદ્મિનીપુર નગરીથી આવું છું અને કૌતુકથી દેશાંતર જોવા માટે પૃથ્વી પર પર્યટન કરું છું.” આ પ્રમાણે કહીને રાજાએ અશનાદિ ચાર પ્રકારનો આહાર તથા વસ્ત્રાદિ તે બન્ને પરિવ્રાજિકાઓને આપ્યા અને તેઓ પ્રસન્ન થાય તેમ કર્યું.
ત્યારપછી રાજા પ્રધાન સહિત સરોવરકિનારે ગયા. ત્યાં અંગપ્રક્ષાલનાદિ કર્યા બાદ ભોજન કરીને રાજા પોતે દેવલાયમાં આવ્યા. ત્યાં ભક્તિપૂર્વક દેવને નમસ્કાર કરીને એક બાજુ તે સુખપૂર્વક સૂતા. તેટલામાં કોઈક વિદ્યાધર ત્યાં પોતાની સ્ત્રી સહિત આવ્યો. તેણે વિદ્યાધરીને પુષ્પો લાવવા માટે વાડીમાં મોકલી અને પોતે દેવમંદિરમાં આવ્યો. ત્યાં તેણે રાજાને સૂતેલા