________________
૧૫૪
શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય વાણીરૂપ નીરવડે જેમ જેમ તે રાણીને સીંચવા લાગી તેમતેમ તે શણની ગાંઠની જેમ કઠીન થવા લાગી. તેથી પંડિતની પુત્રવધૂએ રાણીને કહ્યું કે–“હે દેવી ! જે અધમ પુરુષો પોતાની અધમવૃત્તિથી કોઈ કાર્ય કરવા ઇચ્છે છે તેઓ બાહ્મણના બે મૂર્ણ પુત્રોની જેમ કાર્યનું કારણ જણાતાં દુઃખી થાય છે.” રાણીએ તેને પૂછ્યું કે-“હે મુગ્ધ ! તે દ્વિજપુત્રો કોણ હતા ? તે કહે.” તેથી રાણીને પ્રતિબોધ કરવા આવેલી વિપ્રવધૂએ આ પ્રમાણે તેની કથા કહી.
દ્વિજપુત્રોની કથા | * નંદી નામના ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તેને બે પુત્રો હતા. તેઓ ભિક્ષાદ્વારા પોતાના દિવસો વ્યતીત કરતા હતા. એક દિવસ ક્યાંક જતાં તેઓ કરંબાથી ભરેલા પાત્રવાળી ગાડી જોઈને અત્યંત ખુશ થઈને નાચવા લાગ્યા. પછી સુધા લાગવાથી કરંબો ખાવાની ઇચ્છાથી તે વિચારવા લાગ્યા કે “આ કંરબો આપણને ક્યારે ખાવા મળશે?” આ પ્રમાણે વિચારતા તેઓ નદી કિનારે ગયા. તેટલામાં તેમણે એક મનુષ્યને કરંબાથી ભરેલો પાંદડાનો પડીઓ ગાડામાંથી લઈને નદીમાં મૂકતા જોયો. તેણે તેની પાસે આવીને તેમ કરવાનું કારણ પૂછ્યું તેથી તે બોલ્યો કે “મારા સ્વામીના પેટમાં ઘા પડ્યો છે. તેમને ઘણી પીડા થાય છે. તેની શાંતિ માટે ઘા ઉપર કરબો બાંધવામાં આવે છે. તે છોડ્યા પછી તેનું કોઈ ઉલ્લંઘન ન કરે તે કારણે તેના પડીકા બાંધીને નદીમાં વહેતા મૂકી દેવામાં આવે છે.” આ પ્રમાણેની તેના મુખેથી હકીકત સાંભળીને તે બન્ને બહુ ખેદ પામ્યા અને આપણે આ સર્વજનને નિંદિત ઈચ્છા કરી માટે આપણને ધિક્કાર છે ! “એમ વિચારતા તે બન્ને નદીમાં પડીને મરણ પામ્યા.”
તે કારણે “હે રાણીજી ! કોઈપણ કાર્યનું કારણ બહુ પૂછવું નહીં અને આ કથાનો સાર મનમાં વિચારવો. પછી તમારો આગ્રહ જ હશે તો હું મર્ચીને હસવાનું કારણ કહીશ.” આ પ્રમાણે જુદી જુદી કથાઓ કહીને તે પંડિતની પુત્રવધૂ એ નૃપપ્રિયાને બહુ સારી રીતે સમજાવી, પણ તે કોઈ રીતે સમજી નહિ. કારણકે “સ્ત્રીમાં બુદ્ધિ કયાંથી હોય?” પછી તેનો બહુ આગ્રહ હોવાથી રાજાની આજ્ઞાવડે તે વધૂએ મીનના હાસ્યનો સંકેત જણાવવા માટે એક ઊંડો ખાદો ખોદાવ્યો. પછી મૃગાવતીની બધી દાસીઓને બોલાવીને તે વિપ્રવધૂએ કહ્યું કે–‘તમે મારું અમૃત જેવું વાક્ય સાંભળો આ ખાડામાં તમે બધી ખૂબ જોરથી એક એક પથરો નાંખો, તેમાં જેનો પથરો એકદમ ખાડાને તળીએ પહોંચશે તેને રાજા મોતીનો હાર બક્ષીસ આપશે. તે સાંભળીને એક સિવાય બધી દાસીઓએ એકેક પથરો પૂરા જોરથી તેમાં નાખ્યો. પછી તે વિપ્રવધૂએ રાણીને કહ્યું કે–“આ દષ્ટાંતથી તમે સમજી જાઓ.” તે સાંભળીને ગુસ્સે થયેલી અને જેનાં હૃદય અને નેત્ર અંધ થઈ ગયેલા છે એવી રાણી બોલી કે–“શીઘ મારા દુઃખનું નિવારણ કરનારું મીનના હાસ્યનું કારણ કહે.”
વિપ્રવધૂ બોલી કે–“આપનો આગ્રહ જ છે તો કાલે કહીશ. પરંતુ હે દેવી ! મનમાં વિચારો. આનું કારણ સ્ત્રીના અંગોપાંગની જેમ ઢાંકેલું જ સારું છે, ઊઘાડું કરવામાં શોભા નથી.” આ પ્રમાણે કહીને તે ગઈ. બીજે દિવસે આવી ત્યારે રાણીએ તો કારણ જાણવા પૂર્વની જેમ જ આગ્રહ કર્યો, તેથી તે વિપ્રવધૂએ દઢ મનવાળી થઈને રાજાને કહ્યું કે– હે રાજન્ ! આ રાણીની