________________
૧૪૪
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્યો કરીને વિદાય કર્યા અને પુત્રીને યોગ્ય શિક્ષા આપીને પુરુષોત્તમકુમારની સાથે વિદાય કરી. પુરુષોત્તમકુમાર પણ સ્ત્રી સહિત આનંદ પૂર્વક પોતાના નગરે આવ્યો. પિતાએ તેનો સારી રીતે નગરપ્રવેશ કરાવ્યો. પદ્મોત્તર રાજા પણ પુત્રવધૂને જોઈને તથા તેના રૂપ અને ગુણથી પ્રસન્ન થઈને પોતાના પુત્રને ભાગ્યશાળી માનવા લાગ્યો.
શીલ, માદેવ, આર્જવ, કુશળતા, નિર્લોભતા, લજ્જા, વાત્સલ્ય, સ્વપર ને અતિથિ વગેરેમાં યોગ્ય વર્તન કરનાર, સેવકોના મનનું પણ આવર્જન કરનાર, સસરાના ઘરમાં રહીને. પણ ઉચિત જાળવવામાં સ્થિર મનવાળી અને તેના દુષણોને ઢાંકનારી સ્ત્રી કુળના ભૂષણ રૂપ છે આવા ગુણો વિનાની હોય તેને ભારભૂત જાણવી.” કુમારે ત્યાં રાધાવેધ સાધ્યો એ વાત સાંભળીને રાજા વિશેષ પ્રસન્ન થયા અને તે વિનીત કુમારને યુવરાજ પદે સ્થાપિત કર્યો..
એક દિવસ રાજા પુત્ર સહિત સભામાં બેઠા હતા. છત્રીસ રાજકુળો મળીને રાજાના ચરણકમળનું સેવન કરી રહ્યા હતા. તેટલામાં કોઈક કપાલ રાજસભામાં આવ્યો. તેણે ઊંચા હાથે કરીને રાજાને આશિષ આપ્યા, રાજાએ તેને કહ્યું કે “હે યોગીંદ્ર ! તમારું અહીં આવવાનું જે કારણ હોય તે મને કૃપા કરીને કહો.” યોગીએ કહ્યું કે-“હે રાજેદ્ર ! હે પરોપકાર કરવામાં તત્પર ! મારી પાસે એક મંત્ર છે, તે સાધવામાં તમે મને સહાયક થાઓ. આ સંસારમાં બુદ્ધિમાનું મનુષ્યો આયુ, શરીર અને લક્ષ્મીનો સાર પરોપકાર વડે જ ગ્રહણ કરે છે. કહ્યું છે કે–વિવેકી મનુષ્યો શાસ્ત્ર બોધને માટે, ધન દાનના માટે, જીવિત ધર્મને માટે અને કાયા પરોપકારને માટે જ ધારણ કરે છે.” વળી આ સંસારમાં મનુષ્યજન્મ પામવો સુલભ નથી. તે પામ્યા છતાં પુરુષપણું, પુરુષપણું પામ્યા છતાં કુલિનપણું (સુકુળમાં જન્મ), કુલિનપણું પામ્યા છતાં બહુવિધપણું, બહુવિધપણું પામ્યા છતાં તેના અર્થલપણું, અર્થજ્ઞપણું પામ્યા છતાં વિચિત્ર એવી વાકપટુતા, વાપટુતા પામ્યા છતાં લોકજ્ઞપણું, લોકજ્ઞપણું પામ્યા છતાં સુધર્મતા, સુધર્મ પામ્યા છતાં બ્રહ્મજ્ઞતા પ્રાપ્ત થવી અત્યંત દુર્લભ છે. આ જગતમાં બે પુરુષો જ શ્રેષ્ઠ અને ત્રણ જગતમાં શિરોમણિ ગણાય છે. એક ઉપકાર કરનાર અને બીજો ઉપકારને નહીં લોપનાર.”
યોગીની આ પ્રમાણેની હકીકત સાંભળીને રાજાએ કહ્યું કે-“આ મારો પુત્ર તમને સહાય કરશે” કપાલીએ તેનો સ્વીકાર કર્યો. એટલે કુમાર તેની સાથે કૃષ્ણ અષ્ટમીને રવિવારની રાત્રે સ્મશાનમાં ગયો. ત્યાં યોગીએ પૂરેલા મંડળની રક્તપુષ્પવડે પૂજા કરી, પછી યોગીએ રાજપુત્રને કહ્યું કે–એક અલતાંગવાળું શબ લઈ આવો.” રાજપુત્રે પૂછ્યું કે 'તેવું શબ ક્યાં હશે ? યોગીએ કહ્યું કે-“સ્મશાનના અમુક ભાગમાં વડના વૃક્ષની સાથે બાંધેલું લટકે છે તે લઈ આવો, તેથી કુમાર તે શબ લેવા ગયો. વડ પાસે આવી તેની ઉપર ચડીને શબના પાસ છેદી તેને નીચે નાખ્યું. પછી પોતે નીચે ઊતર્યો. ત્યાં તો શબને પાછું લટકેલું જોયું, તેથી બીજીવાર વૃક્ષ પર ચડીને તેણે શબને નીચે નાખ્યું બીજીવાર ઊતરીને જોતાં પાછું લટકેલું જોયું વારંવાર આ પ્રમાણે થવાથી આ કોઈક દૈવી ચમત્કાર છે એમ જાણીને ત્રીજીવાર ઉપર ચડી શબને બગલમાં રાખીને જ નીચે ઊતર્યો. પછી શબ લઈને આગળ ચાલતાં તેણે આકાશવાણી સાંભળી કે–“હે કુમાર ! તું શબ લઈને જવાનું રહેવા દે, કારણકે તે યોગી તને મારી નાંખશે.” આ પ્રમાણે સાંભળીને તે ઊંચે