________________
છઠ્ઠો પલ્લવઃ
૧૪૩ જાણીને પદ્માવતીએ પિતાને કહ્યું કે– હે પિતાજી ! મારે એવી પ્રતિજ્ઞા છે કે જે રાધાવેધ સાથે તેને પરણવું.” એ હકીકત જાણીને રાજાએ સ્વયંવરમંડપમાં રાધાવેધની ગોઠવણ કરી. * ત્યારબાદ પદ્મરથ રાજાએ અનેક દેશના રાજાઓને અને રાજકુમારોને આમંત્રણ આપવા માટે પોતાના મંત્રીઓને મોકલ્યા તેથી રાજાઓ પણ અનુક્રમે આવવા લાગ્યા. મંત્રીના આમંત્રણથી પુરુષોત્તમકુમાર પણ મિત્રો અને સૈન્ય સહિત અનેક પ્રકારની શોભાના આડંબર સાથે ત્યાં આવ્યો. બધા રાજાઓ સ્વયંવરમંડપમાં જુદા જુદા આસન પર બેઠા. ત્યારે ઋદ્ધિમાં અને રૂપમાં પોતરરાજાનો પુત્ર પુરુષોત્તમ સર્વ કરતાં અધિક શોભવા લાગ્યો.
હવે શૃંગારને ધારણ કરવાથી પૃથ્વી ઉપર આવેલી દેવાંગના જેવી શોભતી અને સખીજનોથી પરિવરેલી પદ્માવતી સુખાસનમાં બેસીને ત્યાં આવી. પછી સુખાસનમાંથી ઉતરીને સર્વ રાજાઓને જોતી અને લજ્જાવડે કાંઈક ઢાળેલા નેત્રવાળી પદ્માવતી હાથમાં વરમાળા લઈને સ્વયંવર મંડપમાં આવી. તેને જોઈને બધા રાજાઓ કામદેવના બાણો વડે વીંધાયા. તેઓ અનિમેષ દૃષ્ટિથી તેની સામે જોવા લાગ્યા તેથી તેમની દષ્ટિઓ ચંભિત થઈ ગઈ હોય એવું લાગતું હતું.
તે સ્વયંવરમંડપના મધ્યમાં એક મોટો સ્તંભ ઊભો કર્યો હતો. સ્તંભની નીચે એક તપાવેલા તેલની કડાઈ મૂકવામાં આવી હતી, સ્તંભની ઉપર બાર આરાવાળું ચક્ર ગોઠવ્યું હતું, તે અવિચ્છિન્ન ફર્યા કરતું હતું, તે ચક્રની ઉપર એક પુતળી રાખી હતી, તે નાટક કરતી કરતી ભમ્યા કરતી હતી. તે પુતળીનું પ્રતિબિંબ તેલની કડાઈમાં પડતું હતું. તેની તરફ નીચી દૃષ્ટિ રાખીને જે ઉપર બાણ મૂકી તે પુતળીની ડાબી આંખને વીધે તેને રાધાવેધ કર્યો કહેવાય છે.
પદ્મરથ રાજાએ બધા રાજાઓ બેસી ગયા પછી કહ્યું કે–“મારી પુત્રીએ જે રાધાવેધ સાથે તેને વરવાની પ્રતિજ્ઞા કરેલી છે, તેથી આપનામાંથી જે રાધાવેધ સાધી શકો તે પ્રયત્ન કરો.” તે સાંભળીને ત્યાં આવેલા રાજાઓનો મોટો ભાગ રાધાવેધ સાધવામાં અજ્ઞાત હોવાથી શ્યામમુખવાળો થઈને નીચું જોવા લાગ્યો. તેટલામાં ધનુર્વેદમાં કુશળ, શબ્દવેધી બાણ મારનાર અને પ્રવિણ એવો પુરુષોત્તમકુમાર પોતાના આસન પરથી ઊભો થઈને જ્યાં રાધાવેધનો સ્તંભ હતો ત્યાં આવીને ઊભો રહ્યો. ત્યારબાદ ધનુષ્યગ્રહણ કરીને, પણછ ચડાવીને તેની સાથે બાણને જોડીને નીચે કડાઈમાં જોતાં બાણ દ્વારા ઉપર રહેલી રાધાપુતળીની ડાબી આંખ વીંધી. તે વખતે “આણે અસાધ્ય કાર્યને સાધ્ય કર્યું તેથી તેનો જય થાઓ ! એવી આકાશવાણી થઈ અને દેવોએ પુષ્પોની વૃષ્ટિ કરી.
' પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ થયેલી જોઈને પદ્માવતી હર્ષથી પ્રફૂલ્લિત નેત્રવાળી થઈને ચિંતવવા લાગી કે–“હું આ પુરુષોત્તમ કુમારને પ્રથમ જોતાં જ તેના રૂપથી મોહ પામી હતી અને તેના માટે સભિલાષા થઈ હતી, તેણે જ મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરી, તેથી મારે તો “ભાવતું હતું ને વૈદ્ય બતાવ્યું.” તેવું છે. આ પ્રમાણે વિચારીને તેણે તેની પાસે જઈને તેના કંઠમાં વરમાળા આરોપણ કરી. પદ્મરથ રાજાએ તુરત જ વિવાહની સામગ્રી તૈયાર કરાવીને પુરુષોત્તમકુમાર સાથે રાજપુત્રીનો પાણિગ્રહણ મહોત્સવ કર્યો. ત્યારબાદ બીજા સર્વે રાજાઓને સારી રીતે સત્કાર