SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠો પલ્લવઃ ૧૪૫ તેમજ આગળ પાછળ જોવા લાગ્યો. તેટલામાં તેની આગળ દિવ્ય રૂપને ધારણ કરનારી એક સ્ત્રી પ્રગટ થઈને બોલી–“હું આ રાજ્યની અધિષ્ઠાયિકાદેવી છું અને તારું રક્ષણ કરવા માટે આવી - છું. આ યોગી ધૂર્તશિરોમણિ છે અને તને હણવા માટે લઈ આવ્યો છે, માટે તું તેની પાસે જવું રહેવા દે, શબને અહીં મૂકીને ચાલ્યો જા.” રાજપુત્રે કહ્યું કે-“મારી પ્રતિજ્ઞા મિથ્યા ન થાય. હું તેને સહાય કરવા આવ્યો છું, તો તેને છોડીને કેમ ચાલ્યો જાઉં ? દિગ્ગજ, કાચબો, કુલાચલ અને ફણિપતિએ ધારણ કરેલી આ પૃથ્વી ક્યારેક ચલાયમાન થાય, પરંતુ નિર્મળ મનવાળામનુષ્યો અંગીકાર કરેલ પ્રતિજ્ઞાથી યુગાંતે પણ ચલિત થતા નથી. કહ્યું છે કે– લક્ષ્મી નાશ પામે, સમગ્ર ગોત્રનો વિનાશ થાય, મસ્તકનો છેદ થાય, ચારે બાજુથી વિપત્તિ આવી પડે અને વિવેકરૂપી સૂર્યની જ્યોતિ મહામોહના અંધકારથી નાશ પામે, તથાપિ બુદ્ધિમાન મનુષ્યો પોતે સ્વીકારેલી હકીકતથી ચલાયમાન નથી થતા.” દુઃખી મનુષ્યોની સેવા, કંદમૂળ, ફળનું ભક્ષણ અને જટાધારી પણું એ જેમ વનવાસીનું વ્રત છે તેમ પ્રલયકાળે પણ પોતાના સત્યવ્રતથી ચુત ન થવું તે મહિપતિઓનું વ્રત છે. સામાન્ય મનુષ્યો વિઘ્નના ભયથી કોઈ પણ કાર્યનો પ્રારંભ જ કરતા નથી, મધ્યમ મનુષ્યો. કાર્યનો પ્રારંભ કરીને વિઘ્ન આવે કે તરત તે કાર્ય તજી દે છે. પરંતુ ઉત્તમજનો વિનોથી વારંવાર હણાવા છતાં પણ પ્રારંભેલા કાર્યને ત્યજતા નથી.” - રાજપુત્રના આ પ્રમાણેના વાક્યો સાંભળીને દેવીએ કહ્યું કે-“હે વત્સ ! જો તારો આવો નિર્ણય જ છે તો મારી એક વાત શંકા રહિત થઈને સાંભળ. જે કુળમાં જે પુરુષ પ્રધાન (શ્રેષ્ઠ) હોય તેનું યત્નવડે પણ રક્ષણ કરવું, કેમકે તેનો વિનાશ થવાથી આખું કુળ વિનાશ પામે છે. જુઓ ! ગાડાના પૈડાંની નાભિ ભગ્ન થયે છતે આરાઓ પૈડાંને ચલાવી શકતા નથી. તે માટે 'હે વત્સ ! તારા હિત માટે હું તને શિક્ષા આપું છું કે જ્યારે યોગી તને મંડળના મધ્યમાં બેસવાનું કહે તે વખતે તારે અવિચ્છિન્નપણે કાર પૂર્વક પંચપરમેષ્ઠીમંત્રનું સ્મરણ કરવું. જેથી વિકટ એવા વિઘ્નો પણ નિશે શાંત થાય, “જેમ સિંહથી મદાંધ એવા હાથીઓ, સૂર્યથી રાત્રિનો અંધકાર, ચંદ્રથી તાપની શ્રેણિ, કલ્પવૃક્ષથી સર્વ ઉપાધિ, ગરૂડથી સર્પો અને વરસાદથી દાવાગ્નિ નાશ પામે છે.” તેમ “સંગ્રામ, સમુદ્ર, હસ્તિ, સર્પ, સિંહ, દુર્વાધિ, અગ્નિ, શત્રુ અને બંધનથી ઉત્પન્ન થતા તેમજ ચોર, ગ્રહ, ભ્રમ, નિશાચર (રાક્ષસ) અને શાકિનીથી ઉત્પન્ન થતા ઉપદ્રવો (ભયો) પંચપરમેષ્ઠી નમસ્કારવડે નાશ પામે છે.” “હે વત્સ તારે મારા કહેલા આ મંત્રનું એકાગ્રચિત્તે ધ્યાન કરવું. આ પ્રમાણે કહીને તે દેવી તરત જ અદશ્ય થઈ ગઈ. ત્યારપછી શબને સ્કંધપર ઉપાડીને પુરુષોત્તમકુમાર પેલો યોગી જ્યાં બેઠેલો છે ત્યાં સ્મશાનભૂમિમાં આવ્યો. યોગીએ શબને પાણી વડે પ્રક્ષાલીને તેમજ રક્તચંદનવડે તેની પૂજા કરીને અગ્નિકુંડ પાસે મૂકહ્યું અને તેના હાથમાં એક ખગ આપ્યું. પછી કુમારને તે શબના પગે તેલનું અભંગન કરવા બેસાડીને યોગી ધ્યાન હોમાદિવડે મંત્ર સાધવા લાગ્યો. તે વખતે કુમારે વિચાર્યું કે–આમાં જરૂર કાંઈક કપટ જણાય છે. તેથી દેવીના વચનને યાદ કરીને તે એકચિત્તે નમસ્કારમંત્ર ગણવા લાગ્યો. થોડીવાર થયા બાદ તે શબ ખગ લઈને ઊંચું થયું પણ પાછું પડી ગયું, કુમારપર ખઞનો પ્રહાર કરી ન શક્યું. તે જોઈ યોગીએ વિચાર્યું,–“હું કાંઈક મંત્રસાધનમાં ભૂલી ગયો હોઈશ જેથી આ શબ પાછું પડ્યું.” આમ વિચારીને ફરીથી
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy