SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય એક વખત તે નગરમાં કોઈ રાક્ષસ આવ્યો, તે અકસ્માત્ રાજાને સખ્ત પ્રહાર કરીને આકાશમાં સ્થિર થયો. તેના પ્રહારથી રાજાની મૃતતુલ્ય સ્થિતિ જોઈને સર્વ પ્રજા ખેદગ્રસ્ત બની મંત્રીઓએ અનેક પ્રકારના શાંતિક પૌષ્ટિક કર્મો કર્યા, ભોગ ધર્યા તેમજ બલિદાન આપ્યા. તે વખતે પ્રત્યક્ષ થઈ આકાશમાં રહીને રાક્ષસ બોલ્યો કે :–‘ભો લોકો ! મને જો કોઈ પુરુષ પોતાના શરીરનું બલિદાન આપે તો હું તેના માંસથી તુષ્ટમાન્ થઈને રાજાને મૂકી દઉં, તે સિવાય રાજાને મૂકીશ નહીં. તે સાંભળીને લોકો તેની હકીકત અસાધ્ય જાણી નીચું જોવા લાગ્યા. એ અવસરે ધનદત્ત ત્યાં આવ્યો અને તે પરોપકારમાં તત્પર હોવાથી તેમજ રાજાપરના વિશેષ વાત્સલ્યભાવથી અને સ્વામીના કાર્યમાં પૂર્ણપણે તત્પર હોવાથી બોલ્યો કે—‘હે રાક્ષસ ! આ રાજાના બદલામાં તું મારા શરીરને ગ્રહણ કર અને સંતુષ્ટ થા.' તેના આવા સત્યવાનપણાથી રાક્ષસ તુષ્ટમાન્ થયો અને રાજાને સ્વસ્થ કરીને સ્વસ્થાને ચાલ્યો ગયો. તે વખતે બીજા દેવોએ ધનદત્તને ઘરે બાર કોટી સુવર્ણની વૃષ્ટિ કરી.' દેવતાઓ પુણ્યને વશ હોય છે.' ૧૩૪ રાજાએ ધનદત્તને પોતાનો જીવિતદાયક માનીને મુખ્યમંત્રી બનાવ્યો અને તે મહામતિવાને સર્વમંત્રીઓમાં શ્રેષ્ઠ ઠરાવ્યો. એ રીતે ધનદત્ત અનુક્રમે છપ્પન કોટિ દ્રવ્યનો સ્વામી થયો. તે ધર્મનું પ્રત્યક્ષ ફળ જાણીને વિશેષ પ્રકારે વિવેકપૂર્વક ધર્મકાર્યો કરવા લાગ્યો. એક વખત વસંતઋતુમાં રાજા પોતાના અંતઃપુર સહિત મોટા આનંદ સાથે વનમાં ગયા. ત્યાં ક્રીડા કરતાં મધ્યાન્હ થયો તેથી ભોજનની સામગ્રી તૈયાર કરવામાં આવી. તેટલામાં સાર્થથી ભ્રષ્ટ થયેલા કોઈ મુનિ ત્યાં આવ્યા. તે બાર યોજન દૂરથી ચાલ્યા આવતા હતા, તે કારણે ક્ષુધા તૃષા અને મહાતાપથી પીડિત થયેલા અને બહુ જ થાકી ગયેલા તે ત્યાં એક વૃક્ષની નીચે બહુ શ્રમિતપણે થાક ખાવા બેઠા. તે મુનિને જોઈને રાજા પોતાની રાણીઓ સહિત તેમની પાસે આવ્યો અને ઘણા વિનયથી ભાવપૂર્વક વંદના કરી. પછી વિનંતી સાથે પોતાના સ્થાને લઈ જઈ આદરપૂર્વક પ્રાસુક અન્નપાન વહોરાવ્યું. મુનિ આહાર કરીને સ્વસ્થ થયા, એટલે રાજા પાછા તેમની પાસે આવ્યા અને તેમનો ઉપદેશ સાંભળી તેમની પાસે શ્રાવકપણું અંગીકાર કર્યું. તે જ પ્રમાણે બીજી વાર પણ વસંતઋતુમાં જ રાજા વનમાં ગયા ત્યારે સાર્થભ્રષ્ટ થયેલા અને અતિ તુષાર્ત થયેલા બે મુનિ ભગવંતો ત્યાં આવ્યા. રાજાએ તંદુલના જળથી તેમનું પાસું ભરી દીધું. સાધુ તે વાપરીને તૃપ્ત થયા. પછી સ્વસ્થ થઈને અન્યત્ર વિહાર કર્યો. રત્નવીર રાજા આદરેલા જિનોક્ત ધર્મનું સારી રીતે આરાધન કરીને આયુઃક્ષયે મૃત્યુ પામી તમે રત્નપાળ થયા છો. શ્રીદેવી રાણી મૃત્યુ પામીને તમારી રાણી શૃંગારસુંદરી થઈ છે. સિદ્ધદત્ત તમારા તાપથી તાપસ થઈ અજ્ઞાન તપ કરી મરણ પામીને જયમંત્રી થયો અને તેણે તમારા રાજ્યનું હરણ કર્યું હતું. પૂર્વે તમે એનું વહાણ બાર દિવસ રોકી રાખ્યું હતું તેથી આ ભવમાં બાર વર્ષ સુધી તેણે તમારું રાજ્ય ભોગવ્યું. પૂર્વે તમે એને બહુ દંડ્યો હતો તેથી તે આ ભવમાં તમારો વૈરી થયો. શૃંગારસુંદરીએ પૂર્વભવે માર્ગમાં કાર્યોત્સર્ગધ્યાને રહેલા કોઈ મુનિને તેના પર ધુળ નાખવા વગેરેથી ઉપદ્રવ કર્યો હતો, તે પાપના ઉદયથી આ ભવમાં જયમંત્રીએ તેની વિડંબના કરી. ‘મહામુનિઓને અલ્પ પણ ઉપસર્ગ કર્યો હોય તો તે મહાદુઃખને આપનાર
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy