________________
પંચમ પલ્લવઃ
૧૩૫
થાય છે.' ધનદત્તનો જીવ પરદેશી પુરુષ થયો. જેને રોગીપણામાં તમે વનમાં આરાધના કરાવી હતી, તે મરણ પામીને દેવ થયો. તેણે પૂર્વભવની પ્રીતિથી તમને મંત્રી સાથેના સંગ્રામમાં ઘણી સહાય કરી. હે નૃપ ! તમને મુનિદાનથી થયેલા પુણ્યના પ્રભાવથી ફરી ભોગસુખને આપનાર સ્વરાજય અને ત્રિખંડાધિપત્યની પ્રાપ્તિ થઈ. તમે તંદુલના જળવડે મુનિયુગ્મને પાત્ર ભરી આપ્યું હતું તે પુણ્યવડે તમને આ ભવમાં રસકુંભની પ્રાપ્તિ થઈ. પૂર્વભવે કનકમંજરીએ પોતાના સેવકને “અરે કુષ્ટી ! મારે કહ્યું કેમ કરતો નથી?” એમ કહ્યું હતું તેથી આ ભવમાં તે કુષ્ટી થઈ. તેમજ ગુણમંજરીએ પોતાના સેવકને “અરે અંધ ! શું જોઈ શકતો નથી?” એમ કહ્યું હતું, તેથી આ ભવમાં તે અંધ થઈ. તે કર્મના વિપાક ભોગવ્યા પછી તેને તમારાથી ગુણ થયો. હે ગૃપ ! બાંધેલાં કર્મની આલોચના ન કરી હોય તો ભોગવ્યે જ છૂટકો થાય છે.”
આ પ્રમાણે પોતાનો પૂર્વભવ સાંભળીને તેમજ શુભાશુભ ફળરૂપ કર્મના વિપાકને જાણીને રત્નપાળ રાજા ધર્મમાં વિશેષ ઉદ્યમવત થયો. પછી રાજાએ તે કેવળજ્ઞાની ભગવંતને આગ્રહ કરીને પોતાના નગરમાં ચાતુર્માસ કરાવ્યું અને ભક્તિપૂર્વક ધર્મની પ્રભાવના કરી. ઘણા દેશોમાં અમારિ પ્રવર્તાવી અને પોતાની આજ્ઞાવડે સાત વ્યસનોનું નિવારણ કરાવ્યું. જિનમંદિરમાં ગીત નૃત્ય વાજીંત્રપૂર્વક ધ્વજાદિક અનેક મહોત્સવો કર્યા અને નિરંતર મહાપૂજા કરાવી.
એક વખત કોઈક પર્વ દિવસે રાજા પૌષધ ગ્રહણ કરીને ગુરુભગવંત પાસે બેઠો અને ગુરુભગવંતને “સંસારનું સ્વરૂપ કેવું છે?' એમ પૂછ્યું. ગુરુમહારાજ બોલ્યા કે-“હે નૃપ ! આ સંસાર અતિ ગહન છે કે જેમાં સંસારી જીવો કર્મના ઉદયથી વારંવાર જુદી જુદી ગતિમાં જન્મ ધારણ કરે છે. તે જ જીવ તિર્યંચ થાય છે, તે જ નારકી થાય છે, તે જ મનુષ્યપણું પામે છે અને તે જે જીવ દેવ પણ થાય છે. વળી પિતા મરીને પુત્ર થાય છે, પુત્ર પિતા થાય છે, માતા વધુ થાય છે, વધૂ માતા થાય છે. બંધુ વૈરી થાય છે અને વૈરી બંધ થાય છે. આમ ભવાંતરમાં જુદા જુદા ભવો થાય છે. સંસારમાં કોઈ કોઈનું નથી, સંસારી જીવ ફોગટ મોહ ધરાવે છે. આ સંબંધમાં વસુદત્તના પુત્રની કથા છે.” પુત્રના બીજા ભવમાં સ્વચ્છંદપણે વનના લતામંડપમાં ક્રીડા કરતા પુત્રરૂપ પોપટને પિતાએ પાસવડે બાંધ્યો અને જનની તેને ખાઈ ગઈ. તેની કથા આ પ્રમાણે
વસુદત્તપુત્ર અરુણની કથા કંચનપુર નામના નગરમાં વસુદત્ત નામે સાર્થવાહ રહેતો હતો. તેને વસુમતિ નામે ભાર્યા હતી અને અરૂણ નામે પુત્ર થયો હતો. તે પુત્ર માતાપિતાને બહુ જ પ્રિય હતો. તેના વિના એક ક્ષણ પણ તેઓ રહી શકતા નહોતા. એક વખત બહુ જ આગ્રહ કરીને તે પુત્ર દેશાંતર વેપાર કરવા માટે ગયો. ત્યાંથી લક્ષ દ્રવ્ય પ્રાપ્ત કરીને તે પાછો ઘર તરફ વળ્યો. માર્ગે આવતાં ભીમાટવીમાં તે શૂળના રોગથી મરણ પામ્યો અને રાજપોપટ થયો. તેનું કેટલુંક ધન ચાલ્યું ગયું અને કેટલુંક લોકોએ આવીને તેના પિતાને આપ્યું. પુત્રના મરણના ખબર સાંભળીને તેની માતા અત્યંત દુઃખવડે હૃદય ફાટી જવાથી મરણ પામી અને તે પોતાના ઘરમાં જ બીલાડી થઈ. વસુદત્તશેઠ એક વખત વેપાર માટે પરદેશ ગયો અને ત્યાંથી લાભ મેળવીને પાછા વળતાં