________________
૧૩૨
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય તેણે તે રત્નો ન લીધા અને તેને વિદાય આપી તેથી તે ચોર સિદ્ધદત્ત પાસે ગયો અને એકાંતમાં તે રત્નો બતાવી અલ્પ કિંમતે આપવા જણાવ્યું. લોભાભિભૂત સિદ્ધદત્તે તે રત્નો અલ્પ મૂલ્યથી ગ્રહણ કર્યા. કેટલાક દિવસે આરક્ષકોએ તે ચોરને પકડ્યો અને આ પાપકાર્ય માટે લાકડી આદિ વડે પરાભવ પમાડીને પછી તેને રાજા પાસે લઈ ગયા. રાજાએ તેને પૂછ્યું કે—‘અરે પાપી ! તેં ચોરેલ વસ્તુઓ ક્યાં છે ?” ચોર કંઈ પણ બોલ્યો નહીં તેથી તેને વધારે માર મારવામાં આવ્યો. અંતે તેણે આરક્ષકોને પોતાના મકાને લઈ જઈને ચોરી કરેલ બધી વસ્તુઓ અર્પણ કરી. પછી રાજાએ પુનઃ પૂછ્યું કે—‘તેં ઘણા સમય પહેલા મારા ભંડારમાંથી જે રત્નો ચોરેલા છે તે ક્યાં છે ? લઈ આવ.' ચોર બોલ્યો કે—–‘તે રત્નો હું અલ્પમૂલ્યથી ધનદત્તને વેચવા ગયો હતો, તેણે લીધા નહોતાં, પણ સિદ્ધદત્તને આપવા જતાં તેણે લીધા છે.''
આ પ્રમાણે હકીકત સાંભળીને રાજાએ તરત જ સિદ્ધદત્તને બોલાવ્યો અને સર્વસ્વ લુંટીને તેને ચોરની સાથે છોડી દીધો. નિર્ધનપણું પામવાથી અત્યંત ખેદયુક્ત થયેલો સિદ્ધદત્ત સંસારથી ખિન્ન થઈને વિચારવા લાગ્યો કે : ‘પૂર્વે પણ લોકોમાં મારી લઘુતા થઈ હતી, અત્યારે વધારે હલકાઈ થઈ છે તેથી નિર્ધનપણાયુક્ત ગાર્હસ્થ્ય તુષના ફોતરા કરતા પણ અસાર છે. માટે સંસાર છોડી દેવો જ યોગ્ય છે.’ આમ વિચારીને વનમાં જઈને તે જટાધારી તથા ભિક્ષાહારી વૈરાગ્યવાન્ તાપસ થયો.
અહીં રાજાએ ધનદત્તને બોલાવીને પૂછ્યું કે : ‘‘આ ઘણી કિંમતના રત્નો અલ્પ કિંમતે મળતા હતા છતાં તે તેં કેમ ન લીધા ?’’ ધનદત્તે કહ્યું કે :-‘હે સ્વામિન્ ! મને ગુરુભગવંતે નિયમ આપેલો છે કે—અદત્ત તેમજ ચોરાયેલ વસ્તુ મારે લેવી નહીં. વળી હું પરનારીથી પરાğખ છું અને કોઈપણ પ્રકારના વ્યસનોમાં પણ આસક્ત નથી.' રાજા તેના આવા અપ્રતિમ ગુણોથી બહુ રાજી થયો અને તેને નગરશેઠની પદવી આપી. તેમજ પાલખીમાં બેસાડીને તેને ઘરે મોકલ્યો.
આ પ્રમાણેના વિવેકયુક્ત વર્તનથી દિન-પ્રતિદિન તેની સંપત્તિ વધવા લાગી. તે ખરો વિવેકી હોવાથી એવું કરતો જ નહોતો કે જેથી રાજા તેની ઉપર કોપાયમાન થાય. એક દિવસ તે નગરમાં કોઈ ધૂર્ત આવ્યો તે કોટી મૂલ્યના રત્નો લઈને રાજસભામાં આવ્યો. તેણે કહ્યું કે— જે મનુષ્ય સમુદ્રમાં જળ કેટલું છે ને કાદવ કેટલો છે ? તે કહી બતાવશે તેને હું આ પાંચ રત્નો આપીશ. કારણકે મારા ચિત્તમાં એ જ સંશય છે કે—સમુદ્રમાં પાણી વધારે છે કે કે કાદવ વધારે છે ? જે દક્ષ હશે તે આ બાબતનો ખુલાસો કરી રત્નો લઈ લેશે.' સભામાંથી કોઈ પણ ધૂર્તનો સંશય ભાંગી શક્યો નહીં પણ તે વખતે દેવીના પ્રભાવથી ધનદત્તને તેનો ઉત્તર સૂજી આવ્યો. તેથી તેણે સભામાં પેલા વાદી પાસે આવીને કહ્યું કે :—‘હે ભદ્ર ! તમારા પ્રશ્નનો ઉત્તર સાંભળો—સમુદ્રમાં કાદવ ઘણો છે ને પાણી થોડું છે. આ વાતમાં જો સંશય રહેતો હોય તો ગંગા વગેરેના જળને સમુદ્રના જળથી જુદા જુદા કરીને સમુદ્રનું જળ અને પંક ત્રાજવાવડે તોળી જુઓ. જો મારું કહેવું ખોટું પડે તો કહેજો અને જો તેમ ન કરો તો હું કહું છું તે કબૂલ કરો, કેમકે મારો જવાબ સાચો છે.’
પેલા પૂર્વે પહેલા વિચાર્યું હતું કે—‘મારા પ્રશ્નનો ઉત્તર કોઈ આપી શકશે નહીં, તેથી
।