________________
૧૩૧
પંચમ પલ્લવઃ તે દિવસથી તેણે જે જે વસ્તુ ખરીદી કરી તે ત્રણગણી કિંમતવાળી થવા માંડી. આ પ્રમાણે થવાથી પોતાના દિવસો શુભ વર્તે છે.” એમ ધારી ધનદત્તે વિવેકપૂર્વક સારે મુહૂર્ત શક્તિ અનુસાર વેપાર કરવા માંડ્યો. એક વખત દેશાંતરથી આવેલા સાર્થમાંથી તેણે પાંચ કોટી સુવર્ણવડે તમામ કરીયાણું ખરીદ કર્યું. ત્યારપછી સાતમે દિવસે કોઈ બીજો સાર્થવાહ ત્યાં આવ્યો તેણે તે તમામ કરીયાણું બમણું મૂલ્ય આપીને ખરીદ્યું. આ પ્રમાણે દિવસે દિવસે તેને વ્યાપારમાં વૃદ્ધિ જ થવા માંડી. થોડા દિવસમાં તેની પાસે ૧૮ કોટી દ્રવ્ય થયું. આ પ્રમાણે વિવેકથી ધનદત્ત મોટો ધનવાનું થયો. વળી તે દાનેશ્વરીમાં પણ શ્રેષ્ઠ હોવાથી કલ્પવૃક્ષપણે પ્રખ્યાત થયો.
એક દિવસ સિદ્ધદત્ત ધનદત્તની સાથે રાજમાર્ગે ચાલતો જતો હતો, તેટલામાં રાજપુત્રોને અંદર અંદર કલેશ કરતા જોયા. રાજાનો નાનો અને મોટો દીકરો પરસ્પર વિવાદ કરતા હતા. તે જોઈને ધનદત્ત વિવેકબુદ્ધિથી તે રસ્તે ન જતાં બીજે રસ્તે ચાલ્યો. સિદ્ધદત્ત વિનોદબુદ્ધિથી રાજપુત્રોની પાછળ ચાલ્યો, એટલે તેઓએ તેને સાક્ષી રાખ્યો અને રાજા પાસે તેને લઈ ગયા.
- રાજાએ સિદ્ધદત્તને પૂછયું કે-“આ રાજપુત્રોએ તને સાક્ષી રાખ્યો છે તો કહે કે આ બેમાં ન્યાય કોનો છે અને અન્યાય કોનો છે? તે બોલ્યો કે-“હે રાજનું ! તમારો મોટો પુત્ર ઉત્કટ છે અને નાનો બાળબુદ્ધિ હોવાથી જેમ તેમ બોલે છે.” સિદ્ધદત્તે અવિવેકવડે રાજસભામાં રાજાના પુત્રો માટે આ પ્રમાણે કહ્યું તેથી તે બહાનાથી રાજાએ તેને વશ કોટી દ્રવ્યનો દંડ કર્યો. ઘણાની સાથે દ્વેષ કરેલો હોવાથી કોઈએ તેનો પક્ષ લઈ રાજાને કાંઈ કહ્યું પણ નહી, ધનદત્ત સમયનો જાણકાર ને વિવેકી હોવાથી સુખી થયો.
- એક દિવસ તે બન્ને મહેલની નીચેથી જતા હતા. તેટલામાં ગવાક્ષમાં બેઠેલી મંત્રીની સ્ત્રી રતિશ્રીએ તેમને જોયા. રૂપવંત અને યુવાન એવા તેમને જોઈને તે સ્ત્રી તેમના પર મોહ પામી તેથી સરાગીપણે જોવા લાગી. ધનદત્ત તુરત જ તેની ચેષ્ટા સમજી ગયો. તેથી સૂર્યના બિંબની જેમ અથવા સર્પની જેમ તેમજ કુત્સિત વસ્તુની જેમ અને શત્રુની જેમ તેની તરફ ફરી જોયું જ નહીં અને તે જિતેંદ્રિય હોવાથી, કુળ મલિન થવાના ભયથી, વ્રતભંગની ભીતિથી તેમજ વિવેકબુદ્ધિથી તેણે ચક્ષુને પાછા જ ખેચી લીધા. - સિદ્ધદત્ત નિર્વિવેકી હોવાથી વારંવાર તેની સામે જોવા લાગ્યો અને સરાગીપણે વાંકો વળી વળીને જોવા લાગ્યો. આ પ્રમાણે જોતા તેને જોઈને આરક્ષકોએ તેને પકડીને રાજા પાસે રજૂ કર્યો. તેને આવો અન્યાયકારી જાણીને રાજાએ તેને દશ કોટી દ્રવ્યનો દંડ કર્યો.
- એક વખત તે નગરમાં કોઈક ચોર આવ્યો. તેની પાસે સવાક્રોડ દ્રવ્યની કિંમતવાળા દશરનો હતા. તે ચોરે ધનદત્ત પાસે જઈ તેને એકાંતમાં બોલાવીને તે રત્નો બતાવ્યા અને એકેક હજારમાં એકેક રત્ન આપવા કહ્યું. તે સાંભળીને તેમજ રત્નો જોઈને ધનદત્તે વિચાર્યું કે-“આ રત્નો અતિ મૂલ્યવાનું જણાય છે છતાં આ ઓછી કિંમતે આપે છે તેથી એ વેચનાર માણસ ચોર જણાય છે, તે આ રત્નો કોઈના ચોરીને લાવ્યો લાગે છે તે સિવાય આવી અલ્પ કિંમતે આપી શકે નહી. આમાં જો કે લાભ ઘણો છે પણ તે મારે લેવા યોગ્ય નથી.” આ પ્રમાણે વિચારીને