________________
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાાવ્ય
એક વખત તે નગરમાં કોઈ પરદેશી વિણક્ આવ્યો, તે રોગાર્ત હોવાથી મઠમાં સુઈ રહેતો હતો, તેની સંભાળ લેનાર કોઈ નહોતું. કહ્યું છે કે :—જે ગામ કે નગરમાં આપણું કોઈ ન હોય ત્યાં ક્ષણમાત્ર પણ શુભના ઇચ્છક એવા બુદ્ધિમાને રહેવું નહીં.' પેલા વણિકને અનાથ જાણીને ધનદત્તે પોતે તેની સારી રીતે શુશ્રુષા કરી, પરંતુ કર્મયોગે તે મરણ પામ્યો. તેને અગ્નિસંસ્કાર કરવા માટે લોકો એકત્ર થયા, તે વખતે તેઓએ સિદ્ધદત્તને બોલાવ્યો, પણ તે અભિમાનના આવેશથી આવ્યો નહીં. પછી પરદેશી વિણકના મૃત્તકને સ્મશાનમાં લઈ જઈને તેને માટે ચિત્તા રચી. પરંતુ તે અજ્ઞાત ગોત્રી હોવાથી તેને અગ્નિ મૂકવા કોઈ તૈયાર થયું નહીં, તેને માટે અંદર અંદર વિવાદ કરવા લાગ્યા. લોકોનો એવો સ્વભાવ જ છે કે આવી સાધારણક્રિયા પણ ગાંભીર્ય ધારણ કરીને કોઈ એક જણ પોતાની મેળે કરતું નથી. પછી બધાએ મળીને ધનદત્તને કહ્યું કે—‘તું અગ્નિ મૂક.’ તેણે તે સ્વીકાર્યું.
૧૩૦
પછી બધા લોકો દૂર ગયા એટલે ધનદત્તે અગ્નિ મૂકવા માટે ઉપરનું વજ્ર દૂર કર્યું. તેટલામાં તેણે એક ગાંઠ બાંધેલી જોઈ. તેણે તે છોડીને જોયું તો તેમાં મોટા મૂલ્યવાળા પાંચ રત્નો હતા. પણ તેણે વિવેકબુદ્ધિથી વિચારતાં પારકા હોવાથી તે ગ્રહણ કર્યા નહીં. તેણે તે લઈને બીજા બધા લોકો આવ્યા હતા, તેને બતાવ્યા. તેઓ તેની નિર્લોભતા જોઈને ચમત્કાર પામ્યા. તેઓએ તુષ્ટમાન્ થઈને કહ્યું કે—અમે બધા મળીને આ રત્નો તમને આપીએ છીએ, માટે તમે ગ્રહણ કરો.' તે સાંભળી ધનદત્ત બોલ્યો કે—અનાથના દ્રવ્યનો સ્વામી રાજા કહેવાય છે. વળી આ પરદેશી માણસનો કોઈ ગોત્રી હોય તો તેનો પણ આ રત્નો ઉપર હક થાય છે, તેથી હું તો તે લઈશ નહીં.' પછી તે રત્નો એક કપડામાં બાંધીને જુદા મૂક્યા અને તે મૃતકને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. બધા લોકો સ્વસ્થાને ગયા.
ધનદત્ત તે રત્નો લઈને ગામમાં આવ્યો અને તરત જ રાજા પાસે જઈ તમામ હકીકત કહીને તે રત્નો બતાવ્યા. રાજાએ કહ્યું કે—‘હે ભદ્ર ! તેં આ માણસની સેવા ચાકરી કરી છે, તો તે રત્નો તું જ ગ્રહણ કર. તારા ભાગ્યથી તને આ પ્રાપ્ત થયા છે.' આ પ્રમાણે કહીને રાજાએ ઘણા આગ્રહથી તે રત્નો તેને આપ્યા, એટલે ધનદત્તે તે લઈને વેચ્યા, તેનું છ ક્રોડ દ્રવ્ય પ્રાપ્ત
થયું.
તે દ્રવ્યવX વ્યાપાર કરવા ઇચ્છતા ધનદત્તે સૌ પ્રથમ પોતાના પુણ્યપાપની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. પોતાના દિવસો હાલ શુભ છે કે અશુભ છે ? તે જાણવા માટે તે પ્રથમ નાનો નાનો વેપાર કરવા લાગ્યો પણ તેમાં કાંઈ ઉપજયું નહીં. થોડો થોડો આહાર કરતાં છતાં અજીર્ણ થવા લાગ્યું, થોડા ઉંચેથી કૂદકો મારતાં પણ વધારે પીડા થઈ, થોડા કરીયાણા લઈને વેચતાં પણ કમાણી ન થઈ. એક બકરી ઘર બહાર રાખી તો તેને શિયાળ ખાઈ ગયો. આ પ્રમાણે દ૨૨ોજ થોડી થોડી પરીક્ષા કરતાં તેને ‘પોતાના દિવસો મધ્યમ છે.’ એમ લાગ્યું. આમ જાણવાથી થોડા દિવસ સુખી સ્વસ્થ રહીને તેણે કંઈપણ વ્યવસાય ન કર્યો અને ધર્મકાર્ય વિશેષે કર્યું.
એ પ્રમાણે કેટલાક દિવસ પસાર થયા પછી પાછી પોતાના દિવસોની પરીક્ષમાં ક૨વા તેણે એક બકરી ખરીદી કરી. તે બકરીને તે દિવસે જ બે બચ્ચાં આવ્યાં એટલે એકના ત્રણ થયા.