SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ પલ્લવઃ ૧૨૯ ને સિદ્ધદત્ત તે દ્રવ્યના સંયોગથી મોટો મહદ્ધિક થયો. - એક વખત સિદ્ધદર વધારે ધનના લોભથી વહાણમાં કરીયાણા ભરીને સમુદ્રમાર્ગે દ્વીપ તરફ ચાલ્યો. જયાં જવું હતું ત્યાં જઈને પાછા વળતાં માર્ગમાં પ્રતિકૂળ વાયુવડે વ્યાપ્ત થયેલા સમુદ્રના કલ્લોલથી વહાણ ડોલવા લાગ્યું અને ધ્વજાઓ નાચવા લાગી, લોકોએ વહાણમાંથી ભાર ઘટાડવા માટે તેમાંથી કેટલાક કરીયાણા સમુદ્રમાં નાંખી દીધા, એટલે હલકું થયેલું વહાણ એક શૂન્ય દ્વીપ પાસે કિનારે પહોંચ્યું. લોકો કિનારા ઉપર ઉતર્યા. અનુક્રમે ધાન્ય સમાપ્ત થઈ જવાથી સિદ્ધદત્તે પોતાની પાસેનાં ફળ ત્યાં વાવ્યા, તે તરત જ ઉગ્યા, એટલે લોકો તે ખાવાથી તૃપ્ત થયા તેમજ વિશેષ સ્વસ્થ થયા. એક દિવસ સમુદ્રમાંથી એક જળમાનુષી ત્યાં આવી અને ત્યાંના ફળો ખાવા લાગી તેથી સિદ્ધદત્તે તેને રોકી અને એક રત્ન હાથમાં લઈને તેને બતાવ્યું તે જોવાથી જળમાનુષી એમ સમજી કે-“આ ફળના બદલામાં રત્ન માંગે છે.” એટલે તે તરત જ સમુદ્રમાં પાછી ગઈ અને એક રત્ન લાવીને સિદ્ધદત્તને આપ્યું. જલમાનુષી જેટલા રત્ન લાવે તેટલા તેટલાં ફળ સિદ્ધદર તેને આપતો. આ પ્રમાણે ક્રમ ચાલ્યો. એમ બહુ રત્નો એકઠા થવાથી સિદ્ધદત્ત તે રત્નો વહાણમાં ભરીને સમુદ્રમાર્ગે પોતાને નગરે આવ્યો રત્નના લોભથી રત્નવીર રાજાએ તે વહાણને બાર દિવસ રોકવાનો હુકમ કર્યો. તેરમે દિવસે રાજાએ ન્યાયનો વિચાર કરીને યોગ્ય કર લઈ વહાણને મુક્ત કર્યું. તેથી સિદ્ધદત્ત બહુ ખુશ થયો, એ રીતે દેવીના પ્રભાવથી તે ૬૬ ક્રોડ રત્નનો સ્વામી થયો, પણ વિવેક વિનાનો હોવાથી તેને સન્માર્ગની ખબર પડી નહીં. “કુવંશમાં જન્મેલો રાજા, પંડિત થયેલો નિર્વિવેકી પુત્ર અને અચાનક ધન પામેલો દરિદ્રી જગતને તૃણ સમાન માને છે.” “લક્ષ્મી પંડિતની દૃષ્ટિ પણ ફેરવી નાખે છે, તો સામાન્ય મનુષ્યની તો શું વાત થાય? કારણ કે લક્ષ્મી વિષની બહેન છે, છતાં તરત મારતી નથી તે જ આશ્ચર્ય છે. - લક્ષ્મીવંત સિદ્ધદત્ત અભિમાની થવાથી શિષ્ણલોકો મેળાપી) સાથે મળતો નથી, ઉપકાર કરતો નથી અને સ્વજનોમાં પણ આવીને બેસતો નથી. વળી તે દેવભક્તિમાં, ગુરસેવામાં, ધર્મની આરાધનામાં અને કુટુંબના નિર્વાહમાં નિર્વિવેકીપણાથી એક કાણી કોડીનો પણ ખર્ચ કરતો નથી. સિદ્ધદત્તના કાણપણાથી સર્વ લોકો તેના દ્વેષી થયા અને લોકોમાં તે ધનાધપણે વિખ્યાતિ પામ્યો. મૂઢ મનુષ્ય ગર્વના વશથી કાંઈ જોઈ કે જાણી શકતો નથી અને પશુ જેવો નિર્વિવેકી તે માત્ર ધનનું ઉપાર્જન જ કરે છે. * હવે ધનદત્ત દેવી પાસેથી વિવેકનું વરદાન પામીને તેના પ્રભાવથી સારા વિવેકવાળો થયો. ‘તે ભક્તિવડે દેવગુરુને સદા નમે છે, હર્ષિત ચિત્તે દાન આપે છે. હિંસા કરતો નથી, અસત્ય બોલતો નથી, કોઈનું કાંઈપણ અદત્ત લેતો નથી, પરસ્ત્રીનો ત્યાગ કરે છે, ગર્વ કરતો નથી અને પારકી નિંદા કરતો નથી તેથી ધનદત્ત વિનયી, દક્ષ, અલ્પલોભી, ક્ષમાવાનું તેમજ 'શુદ્ધાત્મા થયો. મહાજન જ્યારે જ્યારે મળે છે ત્યારે ત્યારે એ વિવેકી ધનદત્તને બોલાવે છે તેનું હિતકારી વચન સૌ માન્ય કરે છે.
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy