________________
૧૨૮
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય નિર્મળ શીયળ પાળવું.” આ પ્રમાણે ગુરુમહારાજે કહેલી રત્નમાળાની કથા સાંભળીને રત્નપાળા રાજાએ ગુરુમહારાજને નમીને કહ્યું કે-“હે પ્રભો ! પૂર્વકર્મ સંબંધી હું કેટલાક સવાલો પૂછું છું તેનો ઉત્તર આપવા કૃપા કરશો. ક્યા કર્મથી જયમંત્રીએ બળવાનું એવા પણ મારું રાજ્ય ગ્રહણ કર્યું? જયમંત્રીએ શૃંગારસુંદરીને ક્યા કર્મના ઉદયથી વિડંબના પમાડી ? ક્યા કર્મથી મેં ગયેલું રાજ્ય પાછું પ્રાપ્ત કર્યું? મને સર્વ કાર્યસિદ્ધિ કરનારો અમૂલ્ય રસ ક્યા કર્મથી પ્રાપ્ત થયો ? . કનકમંજરી ક્યા કર્મથી કુષ્ટરોગવડે પીડિત થઈ? ક્યા કર્મથી ગુણમંજરી અંધસ્થિતિને પામી? . અને ક્યા કર્મથી તે બન્નેને અલ્પ પ્રયત્નમાત્રથી ગુણ થયો ? આ બધું કયા કર્મના કારણે બન્યું તે આપ કૃપા કરીને કહો.”
રત્નપાળનો પૂર્વભવ શ્રીકેવળીભગવંત બોલ્યા કે–“હે રાજન્! આ ભરતક્ષેત્રમાં રત્નપુર નગરમાં પૂર્વે રત્નવીર નામે રાજા હતો. તેને શ્રીદેવી પ્રમુખ નવ રાણીઓ હતી. તે નગરમાં સિદ્ધદર અને ધનદત્ત નામના બે વ્યાપારી વસતા હતા. અદત્તાદાનના યોગથી તે બન્ને દારિદ્રથી પીડિત થયા. લોકોક્તિ છે કે–“અદત્ત (ચોરેલ) દ્રવ્ય લાંબો સમય ટકતું નથી. એકદિવસ તે બન્ને પરસ્પર વિચારવા લાગ્યા કે–“આપણે ધનપ્રાપ્તિ માટે કાંઈક ઉદ્યમ કરીએ કે જેથી સભાગ્ય કે. દુર્ભાગ્યના અંતરની આપણને ખબર પડે.”
આ પ્રમાણે વિચારીને તેમણે શુભભાવથી કોઈ દેવીને આરાધી. વીશ ઉપવાસને અંતે દેવી પ્રત્યક્ષ થઈ અને બોલી કે–હે વત્સો ! તમે લક્ષ્મી અને વિવેક એ બેમાંથી એક માંગો.” હું બે માંથી એક આપીશ.” તે સાંભળી સિદ્ધદત્તે લક્ષ્મી માંગી અને ધનદત્તે વિવેક માંગ્યો. તે પ્રમાણે વરદાન આપીને દેવી અદશ્ય થઈ. દેવીના પ્રભાવથી સિદ્ધદત્તને નિર્વિવેકવાળી લક્ષ્મી મળી. ધનદત્તને સર્વ સંપદાનું ભાજન એવો વિવેક પ્રાપ્ત થયો. એક વખત સિદ્ધદત્તને ઘરે કોઈક કપાલી આવ્યો. મધ્યાહ થયેલ હોવાથી તેણે તે કપાલીને જમાડીને પ્રસન્ન કર્યો. તુષ્ટમાન થયેલા એવા તેણે સુમંત્રથી મંત્રિત કરેલા કેટલાક ત્રપુષીના ફળો સિદ્ધદરને આપ્યા. યોગીએ કહ્યું કે“આ ફળો વાવવાથી બે ઘડીમાં ઊગે છે. એની વેલડી યત્નપૂર્વક કોઈક મંડપ ઉપર ચડાવવી. આના પુષ્પફળો અમૃત જેવા સ્વાદિષ્ટ થશે અને તે ખાવાથી ક્ષુધા તૃષા અને બીજી સર્વ પ્રકારની પીડા નાશ પામશે, તેમજ ૮૪ પ્રકારના વાયુ, ૭૬ પ્રકારના નેત્રના રોગ, ૧૮ જાતિના કુષ્ટ અને ૧૩ જાતિના સન્નિપાત પણ નાશ પામે છે. વળી તે ફળના મહાભ્યથી સ્થાવરજંગમ વિષની ઉપાધિ પણ નાશ પામે છે.
આ પ્રમાણે કહીને યોગી સ્વસ્થાને ગયો પછી સિદ્ધદત્ત વિચારવા લાગ્યો કે–“અહો ! આજે મને મારા ભાગ્યથી આ ફળ પ્રાપ્ત થયા છે. પછી તેણે વિધિપૂર્વક વાવ્યા તેથી થોડા ક્ષણમાં જ તે ઊગ્યા. સિદ્ધદત્તે આખા નગરમાં જાહેર કરાવ્યું કે–જેઓને કોઈપણ જાતની વ્યાધિ હોય તો તે મારે ત્યાં આવજો, હું તેને તેના રોગના નિવારણનું સિદ્ધ ઔષધ આપીશ.” આ હકીકત સાંભળીને ઘણા વ્યાધિવાળા જનો તેને ત્યાં આવ્યા. તેને સિદ્ધદત્તે લોભથી યથાયોગ્ય સો બસો પાંચસો કે હજાર દ્રવ્ય લઈને તે ફળ આપ્યા. તે ફળના સેવનથી તેમના વ્યાધિ નાશ પામ્યા