SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ પલ્લવ ૧૨૫ મેરની ચૂલિકા ચલાયમાન થાય તોપણ હું પ્રાણાતે પણ શીલનું ખંડન કરું તેમ નથી.” આ પ્રમાણેનો તેનો આગ્રહ જાણીને યોગીએ તેને મારવા માટે ખગ તૈયાર કરી ફેરવવા લાગ્યો. રાજાએ સ્વર ઉપરથી પોતાની પ્રિયા જાણીને તેનો વિનાશ ન થવા દેવા માટે ગુફામાંથી જેમ કેસરીસિંહ બહાર નીકળે તેમ નિર્માલ્યમાંથી એકદમ બહાર નીકળ્યો. “પ્રિયાને થતી પીડા કોણ સહન કરી શકે?' કહ્યું છે કે : “લક્ષ્મી, સ્ત્રી અને ધાન્યના અપહારથી મનુષ્યો અત્યંત દુઃખી થાય છે અને ચિત્તમાં બિન થવાથી તેના નિવારણ માટે બનતો પ્રયત્ન કરે છે. અહીં જન્મેજય રાજાએ યોગીને કહ્યું કે–“અરે પાપી ! આ આરંભ્ય છે? ઉઠ, મારી સામે થઈ જા.” આમ કહેવાથી જન્મેજયે તરત જ તેને ખગના પ્રહારવડે દ્વિધા કરી નાખ્યો. “પૃથ્વીતળ ઉપર અન્યાયી જો વૃદ્ધિ પામતા હોત તો પછી લોકો પુણ્ય અને પાપનું અંતર શી રીતે જાણી શકત ?' અહીં જયમાળા જે બધું જોયા કરતી હતી તે પોતાની બેન રત્નમાળાને ઓળખીને એકદમ તેની પાસે આવી તેને ગળે વળગીને પ્રણામ કર્યા. પછી તે બન્ને બહેનોએ પરસ્પર એકબીજાની વાતો કરી અને રત્નમાળાએ જયમાળાનો પોતાના પતિ સાથે ગાંધર્વ વિવાહ કર્યો. રતિપ્રીતિસમાન તે બે સ્ત્રીઓની સાથે આનંદથી કામદેવની જેમ સુખભોગ ભોગવતા જન્મેજયરાજા કેટલાક વખત સુખે તે મહેલમાં રહ્યા. પછી એક દિવસ રાજા બન્ને પ્રિયાઓને લઈને ત્યાંથી પૂર્વ દિશા તરફ ચાલ્યા. આગળ જતાં કોઈક ક્રીડાવનમાં સુધાતુર થવાથી વિસામો ખાવા બેઠા. બે સ્ત્રીઓને થાક લાગેલો હોવાથી તે નિદ્રાવશ થઈ તેથી રાજા ફળ લેવા માટે વનમાં ગયો. તે ફળો લઈને આવ્યો અને જોયું તો ત્યાં રત્નમાળા દેખાતી નથી. રાજાએ જયમાળાને જગાડીને પૂછયું કે– તારી બહેન ક્યાં ગઈ?” તેણે કહ્યું કે-“મને ખબર નથી, હું તો નિદ્રામાં હતી.” રાજાએ વિચાર્યું કે “મારો આ કેવો પાપોદય છે કે જેથી વારંવાર ભાર્યાનો વિયોગ થાય છે ?પછી જયમાળાને કોઈ સ્થાને રાખીને રાજા વિરહાર્તિપણે પોતાની પ્રિયાને શોધવા માટે ફરવા લાગ્યો. ભમતાં ભમતાં તે મલય નામના ઉદ્યાનમાં આવ્યો. ત્યાં તેણે એક ઘણું મોટું જિનાલય જોયું. તે જોઈને હર્ષ પામેલા રાજાએ ઉત્સાહિત થઈને તે જિનમંદિરમાં પ્રવેશ કર્યો અને ત્યાં શ્રીયુગાદીશ પ્રભુને તેણે વંદના કરી. એટલામાં ગરૂડના વાહનવાળો કોઈ વિદ્યાધર આકાશમાર્ગે ત્યાં આવ્યો અને તેણે પણ શ્રીજિનેશ્વરને નમસ્કાર કર્યો. પછી વિધિપૂર્વક શ્રીજિનેશ્વરનું સ્નાત્ર કરીને તે સ્નાત્રજળથી એક કુંભ ભરી. તે ખેચર મંડપમાં આવ્યો તેથી રાજાએ તેને પૂછ્યું કે તમે કોણ છો ? ક્યાંથી આવ્યા છો ?' આ કુંભમાં સ્નાત્રજળ ભરીને શા માટે લઈ જાઓ છો? અને આ તમારા સ્કંધ ઉપર સતીનું વસ્ત્ર કેમ છે? ખેચર બોલ્યો કે– સાધર્મિકોત્તમ ! હું તમને મૂળથી મારી બધી હકીકત કહું છું તે સાંભળો - વૈતાઢ્ય પર્વતની ઉત્તરશ્રેણિમાં રત્નચૂડ નામે રાજા રાજ્ય કરે છે. મણિચૂડ નામે હું તેનો ભાઈ છું. બંધુપરના પૂર્ણ નેહવાળો છું. કર્મયોગે મારા બંધુને દાહજવર થયો છે. આ સ્નાત્રના - જળથી જવરાદિક અનેક વ્યાધિઓ નાશ પામે છે. અહીં સ્નાત્રજળ માટે આવતાં મેં માર્ગમાં
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy