________________
૧૨૪
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય આ પ્રમાણે વિલાપ કરતો અને શૂન્ય ચિત્તવાળો થયેલો રાજા આગળ આગળ ભમવા લાગ્યો. ભમતાં ભમતાં તેણે એક દરવાજા તથા કિલ્લાવાળું શૂન્ય નગર જોયું.
રાજાએ તે નગરમાં પ્રવેશ કર્યો. ત્યાં બળી ગયેલી ઘરોની શ્રેણિઓ જોઈ. આગળ ચાલતાં રાજમહેલ જેવું એક મકાન જોયું, એટલે તેણે તેમાં પ્રવેશ કર્યો અને ઉપર ચડ્યો. ઉપરના માળમાં તેણે શય્યામાં સૂતેલી, ક્ષામોદરી અને સુરૂપ એક કન્યાને જોઈ. તેથી રાજાએ તેને પૂછ્યું કે હે ભદ્રે ! તું અહીં એકલી કેમ છે? અને આ નગર શૂન્ય કેમ છે? તે કહે હું તે સાંભળવા ઇચ્છું છું.” તેથી તે કન્યા બોલી કે-“હે સત્પુરુષ ! સાંભળો.”
આ પૃથ્વીપીઠ ઉપર કૌશાંબી નામની નગરી પ્રસિદ્ધ છે. ત્યાં કુશધ્વજ નામે રાજા છે. તેને પુષ્પમાળા નામે રાણી છે. તે રાજાને સુર અને વીર નામના બે સૌભાગ્યશાળી પુત્રો છે અને રત્નમાળા અને જયમાળા નામની બે પુત્રીઓ છે. રાજાએ વૃદ્ધાવસ્થામાં ચારિત્ર ગ્રહણ કર્યું અને નિરતિચાર ચારિત્ર પાળીને મોક્ષે ગયા. ત્યારપછી તેમના બે પુત્રો રાજ્યને માટે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. તે બન્નેનો વિરોધ જોઈને હેમમાળા નામની ધાવમાતા રત્નમાળાને તાપસના આશ્રમે લઈ ગઈ અને ત્યાં તાપસ પાસે રાખી. રત્નસિંહ નામના તાપસના કુલપતિએ તેનું પુત્રીની જેમ પાલન કર્યું. તથા જયમાળા એવી મને અહીં રત્નપુરે લાવીને ચંદ્રકેતુ નામના મારા મામાને સોંપી. તેણે મારું પુત્રીવતું પાલન કર્યું. એકદા હું રાજમહેલના ગોખમાં સખીઓ સાથે ક્રિીડા કરતી હતી, તેટલામાં કોઈ કપાળીએ મને જોઈ તેણે મારા પર મોહ પામીને મારા મામા પાસે મારી માંગણી કરી. મારા મામાએ તેની માંગણી સ્વીકારી નહીં, તેમજ તેને નગરમાંથી કાઢી મૂક્યો, તેથી દુભાઈને તેણે વિદ્યાબળે મારા મામાને મારી નાંખ્યા. તેમજ ક્રોધાયમાન થઈને આ નગરને ભસ્મીભૂત કરીને શૂન્ય કરી નાખ્યું અને તે દુરાત્માએ મને અહીં એકલી રાખી. એ રીતે તે પાપીએ મારી આશાથી આ કાર્ય કર્યું.
આ પ્રમાણે બોલીને તેણે કહ્યું કે– સપુરુષ ! તે પાપીને આવવાનો સમય થયો છે તેથી તમે ક્યાંક જતા રહો. કેમકે તે દુરાત્મા મહાદુષ્ટ અને નિર્દય હોવાથી મુગ્ધ એવા તમને હણી નાખશે, માટે તમે સંતાઈ જાઓ. જીવતો નર સેંકડો કલ્યાણ જોઈ શકે છે.” કન્યાના આ પ્રમાણે કહેવાથી તે રાજા પેલા જોગીને જોવાની ઇચ્છાથી નજીક પડેલા નિર્માલ્ય ઢગલામાં સંતાઈ ગયો. તેટલામાં આકાશમાં થતો ડમરૂનો ધ્વનિ સંભળાયો અને રાતાનેત્રવાળો, ભયંકરઆકૃતિવાળો કન્યા અને દંડાયુધ હાથમાં રાખનારો એક યોગી એક સ્ત્રીને એક હાથમાં ઉપાડીને ત્યાં લાવ્યો. પછી તે વિકરાળ નેત્રવાળો કપાળી એક વેદિકા ઉપર બેઠો અને પેલી સાથે લાવેલી કન્યાને સામે બેસાડીને બોલ્યો કે–“તારો પતિ તારે માટે પાણી લેવા ગયો અને તું કોમળપાંદડાના સંથારા ઉપર નિદ્રા આવવાથી સુઈ ગઈ. તેટલામાં પેલા અમિતતેજ વિદ્યાધરે તારા ઉપરના રાગથી ત્યાં આવીને તેને ઉપાડી. મેં બળાત્કારે તેની પાસેથી તને છોડાવી અને અહીં આવ્યો. તે સુભૂ! મેં તને તેની પાસેથી એક પ્રકારની વિડંબનામાંથી છોડાવી છે તો તું હવે મારી સાથે સુખભોગ ભોગવ, જો તું મારું કહ્યું નહીં માને તો હું તને મારી નાખીશ.” આ પ્રમાણેના તેના વચનો સાંભળીને તે સ્ત્રી બોલી કે-“અરે પાપી ! દુખ બુદ્ધિવાળા ! કદી અચલ એવા