________________
૧૧૨
શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય સર્વ ઇન્દ્રિયોની અધિષ્ઠાતા તમે જ છો. અણિમાદિ લબ્ધિઓની પ્રાપ્તિમાં તમે એક જ કારણ છો, તમે તુષ્ટમાનું થતા મહારાજ્યને આપો છો. પાદલેપ તેમજ અંજનાદિ, નિધાન, ઔષધિઓ, ધાતુઓ અને ઇચ્છિત આપનારી ગુટિકા વગેરે તમારા પ્રસાદથી પ્રાપ્ત થાય છે તેમજ સિદ્ધ થાય છે, ચિંતામણિ, કલ્પવૃક્ષ, કામધેનુ, કામઘટ એ બધા તમારા મહાભ્યથી જ વાંછિતને પૂરે છે. પરસૈન્યને ક્ષોભ પમાડવો, સ્વસૈન્યનું રક્ષણ કરવું અને પરશસ્ત્રનું અલન કરવું–આ બધું કાર્ય તમારો ઉપાસક જ કરી શકે છે. યોગીઓને યોગની પ્રાપ્તિ કરાવનારી, જ્ઞાનેચ્છને જ્ઞાન આપનારી અને વંધ્યાને પુત્ર આપનારી તમે જ છો. અતીત, અનાગત અને વર્તમાનનું જ્ઞાન, ઉપદ્રવોનું શમન, ગ્રહોનો નિગ્રહ, દુષ્ટોનું ઉત્થાપન અને આર્ત મનુષ્યોની પીડાનો નાશ–ઇત્યાદિ જે કાંઈ બની શકે છે તે સર્વ તમારા આશ્રયથી જ બને છે.”
આ પ્રમાણે સાત દિવસ સુધી અહનિશ સ્તવના કરવાથી સાતમી રાત્રિએ દિવ્યરૂપ ધારણ કરનારી તે દેવી આકાશમાં પ્રત્યક્ષ થઈ. તેને જોઈને પ્રફુલ્લિત નેત્રકમળવાળો રાજા પ્રણામ કરી હાથ જોડીને બોલ્યો કે-“આજે આપના દર્શનથી મારો જન્મ, મારો તપ અને મારું ધ્યાન સફળ થયું છે. હે દેવી! ઘણું કહેવાથી શું? સારભૂત એવું મારું એક વચન સાંભળો. મારું વાંછિત મને આપો અને વ્યગ્ર એવા મને સ્વસ્થ કરો. રાજાના વચનામૃતથી સંતૃપ્ત થયેલી દેવી બોલી કે–“હે મહાસત્યવાનું રાજેંદ્ર ! સાંભળો ! તમે જે એકાગ્ર ચિત્તે મારી ભક્તિ સ્વશક્તિ અનુસાર કરી છે, તેથી હું તમારી ઉપર તુષ્ટમાનું થઈ છું અને તમારા દુઃખનું નિવારણ કરવા ઇચ્છું છું. તમે કહો કે તમે ક્યા કાર્ય માટે મને યાદ કરી છે ? બાકી એક વાત કહી દઉં છું કે વિધાતા તુષ્ટમાનું થઈ જાય તો પણ તારા ભાગ્યમાં પુત્ર ન હોવાથી તે દઈ શકે તેમ નથી. પૂર્વે ઉપાર્જન કરેલું કર્મ જ્યારે ફળોદયની સ્થિતિમાં આવે છે ત્યારે સુરાસુરો પણ કોઈ પ્રકારે તેનું નિવારણ કરી શકતા નથી. જેણે પશુ પંખી અને મનુષ્યોના બાળકોનો વિયોગ કરાવવા દ્વારા પાપ બાંધ્યું હોય છે તે પ્રાણી અપત્ય વિનાના જ થાય છે અને પુત્ર થાય છે તો તેનો વિયોગ થાય છે—અથવા નાશ પામે છે. જે પુણ્યાત્મા દયાયુક્ત ચિત્તે ગાયો તથા ભેસોના વાછરડાઓને પાળે છે તેને પુત્રો થાય છે, માટે હે રાજન્ ! તમે પુત્રપ્રાપ્તિની વાત સિવાય બીજું કાંઈ કાર્ય હોય તો તે મને કહો કે જેથી તેનો પ્રત્યુત્તર હું તરત જ આપું.”
આ પ્રમાણેના દેવીના વચનો સાંભળીને રાજા બોલ્યો કે– હે દેવી ! મારે બે પુત્રીઓ છે, પણ કર્મયોગે તેમાંથી એક કુષ્ટી છે અને એક અંધ છે. તેથી તેના નિવારણ માટે જો તમે મારા પર તુષ્ટમાનું થઈ શકો તો દિવ્ય ઔષધ, દિવ્ય રસ કે અંજન આપો કે જેથી તેના રોગનો ક્ષય થાય.”
રાજાના આવા વચનો સાંભળીને દેવી આકાશમાં રહીને બોલી કે–“રાજા વગેરે છે પ્રજાજનો ! તમે મારું વચન સાંભળો.” દેવીના આવા વચનથી સર્વ લોકો સ્વસ્થ ચિત્તે કાન દઈને અમોઘ એવી તેની વાણી સાંભળવા તત્પર થઈ ગયા. દેવીએ કહ્યું કે-“આ બન્ને કન્યાઓના વ્યાધિને દૂર કરે તેવો સત્ય ઉપાય હું કહું છું. પાટલીપુર નગરના જળક્રીડા કરતા એવા રાજા રત્નપાળને હું સવારે નદી માર્ગે અહીં લઈ આવીશ. તેનું સન્માન કરીને તમારે તેને મહોત્સવપૂર્વક નગરમાં લઈ આવવો, બહુમાન આપવું અને પછી તમારું કાર્ય તેને કહેવું. હે