SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય ચિકિત્સા કરાવો. આ બાબતમાં પ્રમાદ ન કરો, કારણ કે ઋણ, રિપુ અને રોગનો ઉગતા જ છેદ કરવો જોઈએ. જેઓ તે બાબતમાં પ્રમાદ કરે છે તે પાછળથી પસ્તાય છે વિનાશ પામે છે, એ સંશય વિનાની વાત છે.” આ પ્રમાણે પ્રધાનોની વચનશ્રેણિને હૃદયમાં ધારણ કરીને સ્વસ્થ મનવાળા થઈને રાજાએ તરત જ પોતાના સેવકોને વિચક્ષણ એવા વૈદ્યને બોલાવી લાવવાની આજ્ઞા કરી. રાજાની આજ્ઞા થતાં સેવકોના બોલાવવાથી અનેક વૈદ્યો ત્યાં આવ્યા અને તેમણે પરસ્પર વાતચીત કરીને તે બને કન્યાઓની અનેક પ્રકારે ચિકિત્સા કરી. અનેક પ્રકારના ઉપચારો કર્યા પણ તે બધા ઉપાયો નિષ્ફળ ગયા, તેનાથી કોઈ પ્રકારનો લાભ ન થયો, તેથી રાજાએ મંત્ર, યંત્ર ગૃહાદિકની શાંતિ, પૂજા, પૃચ્છા, બળી, હોમ વિદ્યાને તથા અનેક પ્રકારના શાંતિક પૌષ્ટિક કર્મ કર્યા અને કરાવ્યા છતાં પણ તે સર્વ નિરર્થક બન્યા. એટલે રાજા પરિવાર સહિત નિરાશ થઈ ગયો. આ દુઃખને લીધે પોતાના આત્માને અધન્ય માનતો રાજા રાણી સહિત અનેક પ્રકારના વિલાપ કરતો આ પ્રમાણે બોલ્યો કે–પૂર્વજન્મમાં અમે તેમજ આ પુત્રીઓએ એવું શું દારૂણ પાપકર્મ કર્યું હશે કે જેથી આવા દુઃખના ભાજન થયા? શું બાળકોને માતાના ખોળામાંથી ખેંચી લઈને વિયોગ કરાવ્યો હશે ? શું મુનિવર્ગને મહાન્ ઉપસર્ગ કર્યા હશે ? અથવા ગાયોના વાછરડાને દૂધ પીતાં છોડાવ્યાં હશે ? કે સરોવરનું શોષણ કરાવ્યું હશે ? અથવા વનમાં દાવાનળ પ્રગટ કર્યો હશે ? શું કર્યું હશે ? કાંઈ સમજાતું નથી.” આ પ્રમાણે રાજા દિનપ્રતિદિન વિશેષ વિશેષ શોક કરવા લાગ્યો અને આખું રાજકુળ દુ:ખી થયું. ' તે બન્ને રાજપુત્રીઓ દુઃખ સહન ન થવાથી મરવા માટે તૈયાર થઈ. કારણ કે–જેણે પ્રથમ સુખ ભોગવ્યું છે તે પાછળથી આવું દુઃખ ભોગવી શકતા નથી,” તે પુત્રીઓ વિચારે છે કે જેમનું શરીર સરોગી છે તેમનો જન્મ અને જીવિત નિષ્ફળ છે. તેઓ જીવતાં છતાં પણ મૃતતુલ્ય છે કારણકે તેમની લોકોમાં પણ અનેક પ્રકારની ગહ થાય છે. એક દિવસ તે બન્ને પુત્રીઓએ રાજા પાસે જઈને કહ્યું કે અમારે માટે કાષ્ટભક્ષણ કરવાની તૈયારી કરાવો. અર્થાત ચિત્તા કરાવો. અમારે આ રાજયસુખથી શું અને આ જીવિતથી શું? કારણકે શરીરે આવો વ્યાધિ ભોગવવા કરતાં મરણ પામવું તે જ શ્રેષ્ઠ છે.” તે સાંભળીને રાજા વિચારવા લાગ્યો કે હા હા ! આ શું થયું? આખા જગતને અકાળે દુઃખ આપનારા વક્ર એવા દેવને ધિક્કાર છે ! મને આ પુત્રીઓ ઉપર અત્યંત મોહ છે, હું તેના વિના જીવી શકુ એમ નથી અને મારા વિના મારી પ્રિયા જીવી શકે તેમ નથી. આ તો અકાળે આખા કુટુંબનો વિનાશ પ્રાપ્ત થયો. આ રાજ્યથી, ભંડારથી નગરોથી અને પત્તનોથી, મને શો લાભ ! બધું નકામું છે. આ હાથીઓથી, ઘોડાથી, રથોથી, પાયદળથી, અંતઃપુરોથી અને ઘણા મંત્રીઓથી શું? અત્યારે તે બધા નિરૂપયોગી થઈ પડ્યા છે. એક પુત્ર વિના આ બધું નિરર્થક છે. અત્યારે તો પુત્રીઓની સાથે મારે પણ મરણ પામવું તે જ યોગ્ય લાગે છે” આ પ્રમાણે વિચારીને રાજા પણ મરવા માટે તૈયાર થયો અને મંત્રીઓને બોલાવીને તેણે પોતાનો વિચાર જણાવ્યો. તેથી મંત્રીઓ બોલ્યા કે–“હે સ્વામિનું ! આવું અઘટિત બોલો નહીં, કારણ કે હે
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy