________________
પંચમ પલ્લવઃ
૧૦૭
રાજાએ બીલમાં પ્રવેશ કર્યા પછીની હકીકત પૂછી તેથી તેણે ત્યારપછીનું પોતાનું બધું સ્વરૂપ કહી સંભળાવ્યું. તે સાંભળીને રાજાએ વૃદ્ધાકુમારને મહાભાગ્યશાળી જાણીને તેણે પોતાની પુત્રી કપૂરમંજરી સાથે તેનો વિવાહ કર્યો. તે વખતે પણ મહાન ઉત્સવ થયો. રાજાએ કરમોચન પ્રસંગે પુષ્કળ દ્રવ્ય આપ્યું. કેટલાક દિવસ ત્યાં આનંદમાં રહ્યા પછી વૃદ્ધાકુમારે સિંહલપતિને કહ્યું કેજો આપની આજ્ઞા હોય તો હું મારે નગરે જવા ઈચ્છું છું.”
રાજાએ આજ્ઞા આપવાથી વૃદ્ધાકુમાર બે પત્ની સહિત પલંગ પર બેસી આકાશમાર્ગે પોતાના નગર તરફ ચાલ્યો અને વહાણ કરિયાણાથી ભરીને બીજા વણિકો સમુદ્રમાર્ગે ચાલ્યા. સાથે ચાલતાં બીજે દિવસે વૃદ્ધાકુમારે વહાણમાં બેઠેલા વણિકોને કહ્યું કે- હું વૈતાઢ્ય પર્વત ઉપર જવા ઇચ્છું છું, ત્યાંથી તમે આપણે નગરે પહોંચશો તે વખતે હું પણ પહોંચીશ.' એમ કહીને તે પલંગ સાથે વૈતાઢ્ય તરફ ચાલ્યો.
વિમાનની જેમ શય્યા ઉપર બેસી વૈતાઢ્યમાં જઈ તેના શ્વસુરને મળ્યો. તેઓએ તેનું બહુમાન કર્યું અને બીજા વિદ્યાધરોએ અનેક કન્યાઓ તેને આપી. સ્નેહથી પ્રસ્તૃરિત મનથી પુષ્કળ મણિમુક્તાફળ વગેરે પણ આપ્યું. પછી સાધનાથી સિદ્ધ કરેલી અનેક વિદ્યા તેને આપી. એ પ્રમાણે શ્રેષ્ઠ વસ્તુઓની પ્રાપ્તિથી હર્ષિત થઈને તેણે પોતાને નગરે જવાની રજા માગી. તેથી વિદ્યાધરોએ વિમાન રચ્યું એટલે અનેક વિદ્યાધરો સાથે તેમાં બેસીને તે પોતાના નગરે પહોંચ્યો અને બહુ કન્યાઓ તથા પુષ્કળ લક્ષ્મીસહિત તેણે પોતાના ઘરે પ્રવેશ કર્યો. તેને આવી રીતે આવેલો જોઈ તેના માતાપિતા અત્યંત હર્ષિત થયા. પછી વૃદ્ધાકુમારે સાથે આવેલ વિદ્યાધરોનો સત્કાર કરીને તેમને રજા આપી. અનુક્રમે વહાણ પણ ત્યાં આવ્યું. તેમાં રહેલ દ્રવ્ય જેનું હતું તેને આપીને પોતાનું પોતે ગ્રહણ કર્યું અને સુખેથી કાળ પસાર કરવા લાગ્યો. “પુણ્યવંતને શું દુષ્કર છે ?”
એક વખત તે નગરીના ઉદ્યાનમાં જ્ઞાની ગુરુભગવંત પધાર્યા. તે સાંભળીને વૃદ્ધાકુમાર પિતાની સાથે ગુરુમહારાજને વંદન કરવા આવ્યો. ગુરુભગવંતે ધર્મોપદેશ આપ્યો. તે સાંભળ્યા પછી વૃદ્ધાકુમાંરના પિતા જિનદાસે ગુરુભગવંતને પૂછ્યું કે–‘વૃદ્ધાકુમારે પૂર્વભવમાં શું પુણ્ય કર્યું હતું કે જેથી તે પત્ની તરીકે વિદ્યાધરીઓને પામ્યો અને તેને પુષ્કળ દ્રવ્યની પ્રાપ્તિ થઈ ?”
ગુરુભગવંતે કહ્યું કે-“આ વૃદ્ધાકુમાર પૂર્વભવમાં તમારે ત્યાં નોકર હતો. તમારે શરીરે કોઈ વ્યાધિ ઉત્પન્ન થવાથી તમે દેવપૂજન કરવા પણ અસમર્થ થઈ ગયા. તે જાણીને તે સેવકે કહ્યું કે : “હે તાત ! જો આપની આજ્ઞા હોય તો હું આપનાવતી જિનપૂજા કરું. હું તમારો સેવક છું. તેથી આપ જે પ્રમાણે કરતા હતા તે પ્રમાણે હું કરી શકીશ. માટે મને આજ્ઞા આપો.” તમારા કહેવાથી સેવક જિનપૂજા કરવા લાગ્યો. તે દિવસથી તમારી પ્રિયા સારા વિચારવાની હોવાથી તે કર્મકર ઉપર પુત્રવત્ પ્રેમ ધરાવવા લાગી અને તેનું હિત કરવા લાગી. અનુક્રમે તમે સ્વસ્થ થયા અને પુનઃ જિનપૂજા કરવા લાગ્યા. ત્યારથી તે કર્મકર દિવસે દિવસે શરીરે ક્ષીણ થવા લાગ્યો. એક દિવસ તમે તેને પૂછ્યું કે “હે વત્સ ! તારું શરીર કેમ ક્ષીણ થતું જાય છે? શું તને કોઈ વ્યાધિ પીડા કરે છે ?” ત્યારે તે બોલ્યો કે– હે તાત ! મારે શરીરે કોઈ પ્રકારની બાધા