________________
પંચમ પલ્લવઃ
૧૦૫
હતો. તેને મનોરમા નામની જિનધર્મમાં રક્ત અને જિનપૂજામાં પરાયણ એવી ભાર્યા હતી. અંતરાયકર્મના ઉદયથી તેમનો ઘણો કાળ સંતતિ રહિત ગયો. પ્રાંતે વૃદ્ધાવસ્થામાં તેમને એક પુત્ર થયો. એ પુત્ર વૃદ્ધાવસ્થામાં થયેલો હોવાથી શ્રેષ્ઠી વગેરે સ્વજનોએ મોટો મહોત્સવ કરીને તેનું વૃદ્ધાકુમાર નામ પાડ્યું. અનુક્રમે તે વૃદ્ધિ પામ્યો, ભણ્યો ગણ્યો અને યૌવનાવસ્થા પામ્યો એટલે શ્રેષ્ઠીએ તેને કોઈ શ્રેષ્ઠીની પુત્રી સાથે પરણાવ્યો.
તે શ્રેષ્ઠીપુત્ર એક વખત રથમાં બેસીને સ્ત્રી સહિત વનમાં કૌમુદી ક્રીડા કરવા જતો હતો. ત્યારે તેણે માર્ગમાં લોકોનાં મુખથી સાંભળ્યું કે–નિષ્ણુણ્ય મનુષ્યની જેમ આ કુમાર પોતે તો કંઈ ધન ઉપાર્જન કરતો નથી અને આટલી વયે પણ માતાનું સ્તનપાન કરવાની જેમ પિતાએ ઉપાર્જિત લક્ષ્મીનો ઉપભોગ કરે છે.” આ પ્રમાણેની વાત સાંભળીને તે ક્રીડા કરવા ન જતાં પાછો વળ્યો અને માતાપિતાની રજા મેળવીને સારે દિવસે તેણે સાર્થસહિત પ્રવહણમાં બેસીને વ્યાપારનિમિત્તે સમુદ્રમાર્ગે પ્રયાણ કર્યું, આગળ ચાલતા પ્રતિકૂળ પવનના યોગથી તે વહાણ ફરતા પર્વતોવાળા મોટા આવર્તમાં સપડાઈ ગયું. તેથી વૃદ્ધાકુમાર અને લોકો વહાણમાંથી ઉતરીને નજીક રહેલા પર્વત પર ચડી એક આંબાના ઝાડ નીચે બેઠા.
તે આંબાની શાખા ઉપર એક શુક-પોપટ પોતાની પ્રિયા સાથે બેઠો હતો. પ્રિયાએ તે શુકને કહ્યું કે- હે વલ્લભ ! હું કહું છું તે સાંભળો. આ દુઃખી થયેલા વહાણના લોકોને જોવા છતાં તમે નિરુદ્યમી થઈને કેમ બેસી રહ્યા છો? આવો પરોપકાર કરવાનો અવસર મળવો દુર્લભ છે. કહ્યું છે કે–પોતાના પ્રાણવડે પણ જે પરના પ્રાણનું રક્ષણ કરે છે તે શ્રેષ્ઠ ગણાય છે. જુઓ! લવણ પરના દોષની શાંતિ માટે પોતે અગ્નિમાં બળે છે. માટે તમે આ લોકો પાસેથી લેખ લખાવીને શીઘ જઈને સિંહલેશને આપો પછી બધું સારું થઈ જશે.” પ્રિયાએ આ પ્રમાણે કહેવાથી શુક તુરત જ ત્યાંથી ઊડીને વૃદ્ધાકુમારના ખોળામાં જઈને બેઠો. વૃદ્ધાકુમારે શુકીની વાત સાંભળી હતી તેથી તરત જ પોતાના દુઃખની હકીકતનો પત્ર લખીને તે શુકને ગળે બાંધ્યો. એટલે તેણે તરત જ ત્યાંથી ઊડીને તે પત્ર સિંહલેશની પાસે જઈને આપ્યો. તે પત્ર વાંચતાં તેમાં લખેલી હકીકત જાણીને સિંહલ રાજાએ તરત જ પહોદ્ધોષણા કરાવી કે જે કોઈ આ મહાવર્તમાં પડેલા પ્રવાહણને કાઢશે તેને દેવ સાક્ષીએ એક લક્ષ દ્રવ્ય આપવામાં આવશે,” આ ઉદ્ઘોષણા સાંભળીને કોઈ કલ્પવેત્તા પુરુષે તે પણ સ્વીકાર્યો. પછી હરણનું પુચ્છ લઈ છ મહિના સુધી તેને તેલમાં રાખી તે પુરુષ રાજાના આદેશથી તે પુચ્છ સહિત વૃદ્ધાકુમાર પાસે આવ્યો. ત્યાં દષ્ટિ કરતાં વૃદ્ધાકુમાર સિવાય બીજું કોઈ સાત્ત્વિક મનુષ્ય ન જણાવાથી તેણે તેને કલ્પશાસ્ત્રમાં કહ્યા પ્રમાણેનું બીલ બતાવ્યું. પછી તે પુચ્છ વૃદ્ધાકુમારને આપીને કલ્પશાસ્ત્રમાં કહેલો વિધિ સમજાવ્યો. તેનો મતબલ એ હતો કે–આ મૃગપુચ્છની દીપિકા કરીને સત્ત્વવંત પુરુષે બીલમાં પ્રવેશ કરવો. તેમાં કેટલેક દૂર જતાં એક ઉદ્યાન આવશે. ત્યાં સુંદર એવી વાવડીઓ તથા પ્રાસાદો છે. તે ઉદ્યાનના મધ્યમાં એક સુવર્ણમય શ્રેષ્ઠ જિનપ્રાસાદ છે. તેમાં બિરાજેલા શ્રી યુગાદિદેવને નમસ્કાર કરીને તેમની પૂજા કરવી. ત્યાર પછી તેના પૂર્વારમાં રહેલી એક મોટી ઘંટા છે તે પૂરતા જોરથી વગાડવી. તે ઘંટા વાગવાથી ત્યાં રહેલા બીજા બધા દેવાધિષ્ઠિત વાજીંત્રો એકસાથે સ્વયમેવ વાગશે, તેનો અત્યંત તીવ્ર નિર્દોષ સાંભળીને તેના ત્રાસથી ત્યાં રહેલા હજારો ભાડ પક્ષીઓ