________________
૧૦૪
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય પુણ્યનો વૈભવ આશ્ચર્યકારી હોય છે.” - એક વખત સ્વામીપણાની લીલાથી સંયુક્ત અને સુરેન્દ્ર જેવી શોભાવાળો રત્નપાળ રાજા સભા ભરીને બેઠો હતો તેટલામાં શ્રાદ્ધવર્ગને વંદાવવા માટે આકાશમાર્ગથી ચારણમુનિ તે સભામાં પધાર્યા. તે વખતે રત્નપાળ રાજા પોતાના આસનથી ઊઠીને ચારણમુનિને આસન પર બેસાડીને તેમને વિધિયુક્ત વંદના કરી. પછી હાથ જોડીને રત્નપાળ રાજાએ કહ્યું કે–“આજે કૃતાર્થ થયો, આજે મારું જીવિત સફળ થયું ખરેખરો પૂર્વપુણ્યનો ઉદય થયો કે જેથી મને આપના દર્શનનો લાભ મળ્યો. આજે મારો પુણ્યરૂપી કલ્પવૃક્ષ અચિંત્ય એવા મહાફળ વડે ફળ્યો સંસારરૂપી સમુદ્રમાં મને અવિકળ એવું યાનપાત્ર (પ્રવહણ) પ્રાપ્ત થયું. શિવપુરે જવા માટે આજે મને આકાશગામિની વિદ્યા પ્રાપ્ત થઈ, કેમકે તપથી કૃશ થયેલા શરીરવાળા સુસાધુ મારે ઘેર પધાર્યા. પૂર્વભવે આચરેલા શુભકર્મ વડે અત્યારે મારા પાપનો નાશ થયો છે અને આગામી શુભનો ઉદય થયો છે, કેમકે મનુષ્યોને આપના દર્શન ત્રણે કાળની યોગ્યતા પ્રગટ કરે છે.
જ્યાં સજ્જનોની અભ્યથાન ક્રિયા થતી નથી, જ્યાં મધુર વાણી દ્વારા બોલાતું નથી અને જ્યાં ગુણદોષની સાચી વાર્તા થતી નથી તેના ગૃહે જવું તે યોગ્ય નથી. જડ પણ સજ્જનને જોવાથી સંતુષ્ટ થાય છે. જુઓ ! ચંદ્રમાના ઉદયથી કુમુદાકર વિકસ્વર થાય છે. સંતજનો પણ અન્ય સદાચારણી મનુષ્યને આવતા જોઈ ઊભા થાય છે. જુઓ ! ચંદ્રમાના ઉદયથી સમુદ્ર તેને મળવા માટે ઊછળે છે. હે મુનિરાજ ! આપ જેવા મહાત્માના દર્શન થયા પછી જેનો છેડો આવતો નથી તેવા તપથી શું? કીર્તિના આડંબરવાળા દાનથી શું ? એ જળાશયાદિ તીર્થના દર્શનથી શું? અર્થાત્ કોઈની પણ અપેક્ષા રહેતી નથી.”
આ પ્રમાણે રાજાએ સ્તુતિ કર્યા પછી આવેલ ચારણ મુનિએ દેશનાનો પ્રારંભ કર્યો અને સભામાં બેઠેલા રાજા વગેરે તમામ લોકો સાંભળવા લાગ્યા.
“ના વા . . “આરોગ્ય, ભોગસંપત્તિ, પ્રિયજનોનો અવિયોગ, દુઃખશ્રેણિનો વિયોગ અને અવિચ્છિન્ન સ્વર્ગગમન એ જિનપૂજાના ફળ છે. વૃક્ષમાં જેમ કલ્પવૃક્ષ, સણોમાં જેમ વિવેક, ગ્રહોમાં સૂર્ય, વ્રતોમાં બ્રહ્મચર્ય, ધર્મમાં દયાધર્મ અને વિદ્યાઓમાં લક્ષણશાસ્ત્ર શ્રેષ્ઠ છે તેમ શ્રાવકના સર્વધર્મોમાં દેવપૂજા શ્રેષ્ઠ છે. તેથી દૌર્ભાગ્ય, દીનભાવ, પરગૃહગમન પ્રાપ્ત થતું નથી. શરીરમાં વિરૂપતા પ્રાપ્ત થતી નથી, શોકાદિ દુઃખ પ્રાપ્ત થતા નથી તથા જે પ્રાણી ભક્તિયુક્ત ચિત્તે વીતરાગ ભગવંતની પૂજા કરે છે તે ઉચ્ચકુળ, વૈભવ તથા લાવણ્યયુક્ત રૂપને પામે છે.
જે મહાશય નિરંતર જિનપૂજન કરે છે તેના પાપો નાશ પામે છે અને તે વૃદ્ધાકુમારની જેમ સુખ પ્રાપ્ત કરે તેની કથા હું કહું છું તે સાંભળો.
વૃદ્ધાકુમારની કથા. * અહીં સમુદ્રના કિનારાપર સુવિશાલપુર નામનું નગર હતું. તે લક્ષ્મી, વિલાસ અને સદ્ધર્મવડે જાણે સ્વર્ગનો ખંડ હોય તેવું શોભતું હતું. ત્યાં ગુણો વડે ચંદ્રમા જેવો નિર્મળ ચંદ્ર નામે રાજા હતો. તે રાજાને પ્રિય અને બુદ્ધિશાળી એવો જિનદાસ નામે શ્રેષ્ઠી હતો તે પરમ શ્રાવક