SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ પલ્લવઃ ૧૦૩ તમે અમારી કથા સાંભળો—વૈતાઢ્યની ઉત્તરશ્રેણિમાં વિશ્વાવસુ નામના નગરમાં વસુગંધર્વ નામે રાજા રાજ્ય કરે છે. તેને દેવસેના અને ગંધર્વસેના નામે બે પુત્રીઓ છે. તેને વિવાહયોગ્ય થયેલી જાણીને રાજાએ એક નિમિત્તિયાને પૂછ્યું કે—‘મારી આ પુત્રીઓનો વર કોણ થશે ? તે જ્ઞાનવડે જાણીને કહો.” નૈમિત્તિકૈ કહ્યું કે—‘હે રાજન્ ! તમારી પુત્રીનો વર કોણ થશે અને તે ક્યાં મળશે. તે કહું છું. પાટલીપુત્ર નગરની સમીપે પૂર્વ દિશાના મોટા વનમાં પ્રજ્વલિત અગ્નિવાળો એક અગ્નિકુંડ કરો. તેની સમીપે આ તમારી બન્ને પુત્રીઓને તપ કરતી બેસાડો, પછી મણિ કે મંત્ર કે ઔષધિના સાંનિધ્ય વિના જે પુરુષ પોતાના સત્ત્વથી એ અગ્નિકુંડમાં સ્નાન કરશે તે તમારી પુત્રીનો વર થશે.” આ પ્રમાણે તે નૈમિત્તિકના મુખેથી સાંભળીને અમારા પિતા અમને લઈને અહીં આવ્યા અને આ દેવાધિષ્ઠિત અગ્નિકુંડ બનાવી અમને તેની પાસે બેસાડી. આ પુરુષ કોઈ વિદ્યાધર છે, તે અમને વરવા ઇચ્છે છે, પણ સત્ત્વવર્જિત હોવાથી તે આ અગ્નિકુંડમાં ઝંપાપાત કરી શકતો નથી, તેથી એ ‘વિકળ અને દીનમુખવાળો દેખાય છે.” આ પ્રમાણેની તેની વાત સાંભળીને આશાભર્યો આવેલો વિદ્યાધર કાર્ય સિદ્ધિ કર્યા વિના લજ્જિત અને અધોમુખ થઈ સ્વસ્થાને ચાલ્યો ગયો. હવે સત્ત્વવાન્ રત્નપાળ રાજાએ સાહસ કરીને તે ભયંકર એવા અગ્નિકુંડમાં ઝંપાપાત કર્યો. તે વખતે તેના સત્ત્વથી તે અગ્નિકુંડ સુધારસ સમાન જળથી પરિપૂર્ણ થઈ ગયો. એટલે તેમાં સ્નાન કરીને જેનું કાર્ય સિદ્ધ થયું છે એવો કુમાર બહાર નીકળ્યો. તે વખતે જ્ઞાનીનૈમિત્તિકવડે આ વૃત્તાંત જાણીને વસુગંધર્વ વિદ્યાધર ત્યાં આવ્યો અને વિવાહ યોગ્ય સકળ સામગ્રી તૈયાર કરીને રત્નપાળનો પોતાની બે પુત્રીઓ સાથે પાણિગ્રહણ મહોત્સવ કર્યો. તે વખતે કેટલાક બીજા વિદ્યાધર રાજાઓ પણ ત્યાં આવ્યાં. વિદ્યાધરની પુત્રીઓ ભૂચર પરણી જાય તે વાત સહન ન થવાથી કોપવડે વિચાર કરવા લાગ્યા કે—‘‘આ અયોગ્ય થયું છે.’ આ હકીકત જાણીને વસુગંધર્વે તેમને કહ્યું કે—à ખેચરાધિપો ! સાંભળો, મને એક વિદ્વાન્ નૈમિત્તિકે કહ્યું હતું કે—‘તમારી બે પુત્રીઓનો વર રત્નપાળ થશે.' તેથી હું તમને કહું છું કે—આ કાર્ય અયોગ્ય થયું નથી. માટે વિના કારણ આવા રંગમાં ભંગ કરવો તે દુષ્ટ મનુષ્યનું કામ છે. વળી બધી રીતે આ વર યોગ્ય છે તેથી અમારે બીજાનું પ્રયોજન નથી.' આ પ્રમાણેના તેના વચનથી આવેલા વિદ્યાધર રાજાઓ મૌન થયા. પછી વસુગંધર્વ વિદ્યાધર પોતાની બે પુત્રીઓ સહિત રત્નપાળને લઈને વૈતાઢ્યપર આવ્યો. બીજા વિદ્યાધરો પણ સાથે આવ્યા. ત્યાં બધાની સમક્ષ ફરી વિવાહમહોત્સવ કરીને રત્નપાળ રાજાને તે બે કન્યાઓ સહિત તેના નગરે પહોંચાડ્યો. સાથે સેંકડો વિદ્યાધરોને પણ મોકલ્યા. રત્નપાળે વિવાહ પ્રસંગમાં પ્રાપ્ત થયેલા દ્રવ્યમાંથી સોળ લાખ દ્રવ્ય તે જુગારીને આપ્યું. કારણકે રત્નપાળ રાજા દાનવીર હતો. પછી સાથે આવેલા વિદ્યાધરોનું પણ યોગ્ય રીતે સન્માન કરી સંતોષ પમાડીને તેને સ્થાને વિદાય કર્યા. ક્રોડો સુભટોથી સંયુક્ત અને અનેક ખેચર તથા ભૂચર રાજાઓથી નમસ્કાર કરાતો રત્નપાળ રાજા ઊંચે પ્રકારે શોભતો હતો. કહ્યું છે કે
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy