________________
૧૦૦
શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય જ્યારે તેણે જીભ અંદર ખેંચી નહીં ત્યારે તે જુગારી બોલ્યો કે-“અરે ! ચંડિકે ! તું મારા ભોજનમાં લુબ્ધ થઈ છો. પણ જો હું તને તેનું ફળ બતાવું.” એમ કહીને તે તેની જીભ પર થેંક્યો તેથી દેવી વિલક્ષ બની ગઈ. પણ અપવિત્ર થયેલી જીલ્ડા તેણે મોઢામાં ખેંચી નહીં. ખરેખર, લોકમાં પણ કહેવાય છે કે દેવ કરતા દાનવ બળવાનું હોય છે.'
હવે પ્રભાત થતા તે દેવીનો પૂજારી આવ્યો. તે દેવીની આવી સ્થિતિ જોઈને વિચારવા લાગ્યો કે– “આ નવું વળી શું? પ્રકૃતિની વિકૃતિ થાય તે જરૂર ઉત્પાતનું કારણ હોય છે. આ દેવીએ જીભ બહાર કાઢેલી છે તે આશ્ચર્ય જેવું છે અને તે લક્ષણ સારું લાગતું નથી.” પછી દેવી મંદિરના બારણા દઢ રીતે બંધ કરીને તે પૂજારી ઉતાવળો નગરમાં આવ્યો અને નગરના લોકો પાસે દેવીની હકીકતનું નિવેદન કર્યું. પૂજારીની વાત સાંભળીને લોકોએ તે અસંભવિત માની. તેથી લોકો ત્યાં જોવા આવ્યા અને તે કૌતુક નજરે જોયું. તેઓ અંદરોઅંદર વાતો કરવા લાગ્યા કે “પૂર્વે કોઈવાર નહીં જોયેલી એવી હકીકત બની છે. એથી અવશ્ય કંઈક ઉત્પાતની સંભાવના લાગે છે.” દેવીના મોઢામાંથી બહાર નીકળેલી જીલ્ડા અત્યંત ભયંકર જાણીને કેટલાક ભીરુ લોકો તો ભયથી વિહ્વળ બનીને ત્યાંથી ભાગી જ ગયા. જેઓ નગરમાં મુખ્ય પ્રધાનપુરુષો હતા તેમજ અધિકારી અને વૈર્યતાવાળા હતા તેઓ ત્યાં ઊભા રહ્યા અને તેઓએ નિશ્ચય કર્યો કે‘જરૂર દેવીનો કોપ થયો છે.”
તેની શાંતિ માટે અનેક પ્રકારના શાંતિક પૌષ્ટિક કર્મ, જાપ, જાગરણ અને હોમવિધાન વગેરે કર્યું પણ તે સર્વ નિષ્ફળ ગયું. “તેની જીભ ઉપર જુગારીએ ઘૂંકર્યું છે માટે દેવી જીભ મોઢામાં નાખતી નથી.” એ વાત કોઈ સમજી શક્યું નહીં. નગરલોકો ભેગા થઈને ફરી વિચારવા લાગ્યા કે “જરૂર આ કંઈક મોટો ઉત્પાત દેખાય છે, તેથી આ વિપ્નની શાંતિ માટે નગરમાં ઢંઢેરો પીટાવીએ કે–“જે કોઈ બુદ્ધિમાનું પુરુષ આ દેવીની જીલ્લા પાછી મોઢામાં દાખલ કરાવશે તેને એક લાખ દીનાર આપવામાં આવશે. આ પ્રમાણે વાગતો પડહ તે ધૂતકારે સાંભળ્યો, તેથી તેણે નગરજનોને કહ્યું કે “એ દેવીની જીભ મોઢામાં નંખાવી દઈશ.” ત્યારબાદ ઘણા લોકો સાથે તે દેવીના મંદિર પાસે આવ્યો અને લોકોને બહાર રાખી દ્વાર બંધ કરીને દેવીને કહ્યું કેકેમ જીભ બહાર રાખી મૂકી છે? હજી તું મારા કર્તવ્યને જાણતી નથી. હવે જોઈ લે.” એમ કહી મોટો ધોકો ઉપાડીને તેણે દેવીને કહ્યું કે–રે રડે ! ચંડિકે ! ફોગટ તું પોતાની વિડંબના કેમ કરે છે? જીભ અંદર ખેંચી લે છે કે આ ધોકા વડે તારી મૂર્તિને ચૂર્ણ કરી નાંખું?' આમ કહીને તે મોટા ધોકાથી તેને શિર પર પ્રહાર કરવા જાય છે. તે સમયે પ્રચંડ એવી પણ તે ચંડિકા મનમાં વિચારવા લાગી કે “આ દુષ્ટ જરૂર કંઈક અનર્થ કરશે અને એ દુષ્ટને હું શું કરીશ ?” આમ વિચારી તરત જ એણે જીભ અંદર ખેંચી લીધી.
તે પછી ધૂતકારે દ્વાર ઉઘાડ્યા તેથી બધા લોકો દેવીને યથાવસ્થિત સ્વરૂપે જોઈને રાજી થયા. તેમની ચિંતા નાશ થવાથી બધા તે ધૂતકારની પ્રશંસા કરવા લાગ્યા. લોકોમાં તેનો જયજયકાર થયો. લોકોએ તેને લાખ દીનાર આપ્યા. તેણે તે જ દિવસે તે દ્રવ્ય જુગારમાં ગુમાવ્યા. “ખરેખર ! વેશ્યાશક્તની, ચોરની, જુગારીની, પાપીની અને અન્યાયથી દ્રવ્ય ઉપાર્જન