________________
પંચમ પલ્લવ:
તૃષ્ણાનો છેદ કરો, ક્ષમાને ભજો, દયા કરો, પાપમાં રતિ ન લાવો, સત્ય બોલો, સાધુશ્રેણિના અનુયાયી થાઓ, વિદ્વજનોની સેવા કરો, માન્યજનોને માન આપો, શત્રુનો પણ અનુનય કરો, પોતાના ગુણોને ઢાંકો, કીર્તિનું રક્ષણ કરો અને દુઃસ્થિત ઉપર દયા કરો. કારણકે સજજનો આવું આચરણ કરનારા હોય છે.”
શીલ સદ્ભોગરૂપ વૃક્ષના અંકુર જેવું, કામરૂપી પોપટને પૂરવા માટે પિંજર સમાન, સંસારરૂપ ઉખાનો (ગરમીનો) નાશ કરવા વર્ષાસમાન, મનુષ્યજન્મરૂપી સરોવરને શોભાવનાર જળ સમૂહ જેવું અને ગુણરૂપી સમુદ્રને ઉલ્લસિત કરવામાં ચંદ્રબિંબ સમાન છે. તેથી શીલનું નિરંતર પાલન કરવું યોગ્ય છે.”
- હવે તે નJરમાં પારહિત ચિત્તવાળો, સત્ય અને અદત્તના ત્યાગ રહિત, કપટમાં રક્ત એવો નરવંચા નામનો એક જુગારી રહેતો હતો. તે દરરોજ ધૂત (જુગાર) રમવામાં લક્ષ દ્રવ્ય પ્રાપ્ત કરતો હોવાથી લોભવડે અહર્નિશ રમતો હતો. તે કયારેય હારતો નહોતો, કારણકે તેને કોઈક દેવ દ્વારા વરદાન મળેલું હતું. કદાચ તે હારતો તો માત્ર એક દ્રમના ત્રીજા ભાગ જેટલું જ હારતો હતો. તે ધૂતકાર વેશ્યાગમનમાં આસક્ત હતો અને વ્યસનમાં તે ઘણું દ્રવ્ય વ્યય કરતો હતો. તેમજ તે મૂઢ સ્વેચ્છાએ મદ્યપાન પણ કરતો હતો. દરરોજ મદિરા બનાવનારની ઝૂંપડીઓમાં અનેક પ્રકારના ખાવાના પુડલા બનાવીને રાત્રીમાં તે ચંડિકા મંદિરમાં જતો હતો. તે ચંડિકા ભયંકર આકૃતિવાળી, દુઃખે કરીને પણ સામું ન જોવાય તેવી અને દુષ્ટ આશયેવાળી હતી. છતાં આ દુષ્ટ બુદ્ધિવાળો, પાણી અને નિઃશૂક ધૂતકાર તેના ખોળામાં એક પગ મૂકી બીજો પગ તેના ખભા ઉપર મૂકી તે દેવી પાસે કરેલા દીવાના તેલમાં બોળી બોળીને લાવેલા પુડલા નિર્ભયપણે ખાતો હતો.
આ પ્રમાણે દરરોજ તે ધૂતકારને પુડલા ખાતો જોઈને ચંડિકાએ વિચાર્યું કે “હું આ પાપીને એકવાર ભય પમાડું.” આમ વિચારીને તેણે મોઢામાંથી જીભ બહાર કાઢી. તેથી ધૂતકારે તેના મોઢામાં પુડલા મૂક્યા. દેવી તે પુડલા ગળીને પાછી એમને એમ રહી. તેથી પુષ્ટ થયેલો ધૂતકાર બોલ્યો કે–“અરે રડે ! આમ જીભ બહાર કેમ કાઢી છે? તું મને ભય પમાડવા ઇચ્છતી હોય તો હું તો ભય વિનાનો છું. હજુ એકવાર હું તને પુડલો ખાવા આપીશ. પછી હું ખાવા આપવાનો નથી. કારણકે લોભીજનને કોઈ કંઈપણ આપતું જ નથી. શું તેં પૂર્વે લોકોક્તિ સાંભળી નથી કે–સંતોષ વિના સુખ નથી અને લોલુપતા સિવાય બીજું દુઃખ નથી. તું જીવ્યા અંદર ખેંચી લે કે ન લે પણ હું તને વધારે ખાવા આપવાનો નથી.” આ પ્રમાણે કહ્યા છતાં પણ