________________
૯.
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય લાગ્યો. આર્ત, દીન, નિરાધાર, કુબ્જ, અંધ તેમજ અન્ય રોગીઓને દ૨૨ોજ અગ્યાર લાખ દ્રવ્ય અનુકંપામાં આપવા લાગ્યો.
આ પ્રમાણે તે રાજા દ૨૨ોજ એક કોટી સુવર્ણનો વ્યય કરતો હતો.તે સર્વદ્રવ્ય રસકુંભીના રસના વેધવડે લોહમાંથી મળી શકતું હતું. કોષાધ્યક્ષને આ પ્રમાણેનું સુવર્ણ બનાવવાનો નિરંતરને માટે આદેશ આપી રાખ્યો હતો, જેથી તે પોતાના કાર્યમાં તત્પર જ રહેતો હતો.
દાન અને વિવેકના સંગમવાળી લક્ષ્મી, શ્રદ્ધામય માનસ, ક્ષમા અને દયામય ધર્મ, સુચરિતની શ્રેણિવાળું જીવિત, શાસ્રમયી બુદ્ધિ, અમૃતસમાન વાવૈભવનો વિલાસ અને પરાર્થના સાધન સહિત વ્યાપાર—આ સર્વ શ્રેષ્ઠપુણ્યવડે જ પ્રાપ્ત થાય છે.”
આ પ્રમાણે અનેક રાજાઓથી સેવાતા ચરણકમળવાળો રત્નપાળરાજા પોતાના પુણ્યબળથી પ્રબળ રાજ્યની પ્રતિપાલના કરતો હતો અને પોતાના તેજથી રત્નતુલ્ય શોભતો હતો. (ક્રમશઃ)
શ્રી ધર્મકલ્પદ્રુમ ગ્રંથની બીજી શીલ નામની શાખા ઉપર રત્નપાળ અને શૃંગારસુંદરીના આખ્યાનયુક્ત ચતુર્થ પલ્લવ સમાપ્ત