________________
ચતુર્થ પલ્લવઃ
૯૭
વલય આપ્યું હતું. એક વખત વનમાં કોઈ જિનાલયમાં સખીઓ સાથે નાટક કરતાં તેના હાથમાંથી “તેં વલય પડી ગયું. તે સ્વસ્થાને આવી ત્યારે વલય ન મળવાથી તે અત્યંત દુ:ખી દુ:ખી થઈ અને સરસ આહાર ત્યજીને આયંબિલ, નીવી વગેરે તપ કરવા દ્વારા તેણે પોતાના શરીરને કૃશ કર્યું. એક વખત ત્યાં કોઈ નૈમિત્તિક આવતાં રાજાએ તેને પૂછ્યું કે—‘મારી પુત્રીનું ખોવાયેલું વલય શી રીતે મળશે ?' નૈમિત્તિક બોલ્યો કે—‘હે નરાધીશ ! હું કહું તે સાંભળો. તમારી પુત્રીનો સ્વયંવર મંડપ કરશો ત્યારે જેને તે વલય મળ્યું છે તે પુરુષ તેમાં એક મંડલાધીશ તરીકે પોતાની મેળે જ આવશે, તમારી પુત્રીને તે વરશે અને તેની પાસેથી જ વલય મળશે.' આ પ્રમાણે તે જ્ઞાની નૈમિત્તિકના વચનો સાંભળીને રાજાએ તરત જ સ્વયંવર મંડપ તૈયા૨ કરાવ્યો અને અનેક વિદ્યાધર રાજાઓને નિમંત્રણ કર્યું. તેમાં મહાબલ રાજાને પણ આમંત્રણ મળવાથી તે રત્નપાળને લઈને ત્યાં આવ્યો.
રત્નપાળને વલય સહિત આવેલ જોઈને સ્વયંવર વખતે સૌભાગ્યમંજરીએ તેના કંઠમાં જ વરમાળાનું આરોપણ કર્યું. રત્નપાળને ઓળખીને હેમાંગદ વગેરે સૌ ખુશ થયા. તે જોઈને બીજા બધા ખેચરો એકત્રિત થઈને વિચારવા લાગ્યા કે—‘જુઓ તો ખરા કે વિદ્યાધર એવા આપણને મૂકીને આ કન્યા ભૂચરને વરી ! તે આશ્ચર્ય છે. આવું તો ક્યારેય થયું નથી. અમારા દેખતાં એક ભ્ચર એક વિદ્યાધર કન્યાને પરણી જાય એ વાત બનવાની નથી.” આમ વિચારીને તે બધા એકત્ર થઈ રોષથી લાલઘૂમ બની યુદ્ધ માટે તૈયાર થયા અને રત્નપાળને કહેવા લાગ્યા કે—‘અરે અજ્ઞાની ! તું બાળક જણાય છે અને તારો કાળ નજીક આવ્યો લાગે છે કે જેથી તેં ભૂમિચરી થઈને વિદ્યાધરીને વરવાની હિંમત કરી છે !” રત્નપાળ તેને જવાબ ન દેતાં લડવા માટે જ રસકુંભના રસનું તિલક કરીને તૈયાર થયો. તે તિલકના પ્રભાવથી સર્વે ખેચરાધિપને જીતીને પોતાની આજ્ઞા માનનારા કર્યા. સુગંધવલ્લભ રાજાએ તરત જ તેની સાથે પોતાની પુત્રીના વિધિપૂર્વક વિવાહ કર્યા.
હેમાંગદે રત્નપાળને રોહિણી પ્રજ્ઞપ્તિ વગેરે સોળ વિદ્યાઓ આપી. રત્નપાળે થોડા દિવસમાં જ તેને સાધી, પછી વિદ્યાધરોની બન્ને શ્રેણિના તમામ રાજાઓને સાધીને મહાબલની બે પુત્રી તથા સૌભાગ્યમંજરી સહિત અનેક વિદ્યાધરોથી સેવાતો રત્નપાળ વિમાનમાં બેસીને પોતાના નગરે આવ્યો. મંત્રી વગેરેએ ત્રણ પ્રિયાઓ સહિત રત્નપાળનો નગરપ્રવેશમહોત્સવ બહુ આનંદથી કર્યો. સ્ત્રીઓ ઘરેઘરે ગીતો ગાવા લાગી. બધે આનંદ વર્તાયો. રત્નપાળ સર્વ સ્ત્રીઓની સાથે કોઈપણ પ્રકારના ઉપદ્રવ વગર સ્વર્ગના ભોગ સમાન સુખભોગ ભોગવવા લાગ્યો અને રાજ્યની પ્રતિપાલના કરવા લાગ્યો.
તે દ૨૨ોજ પુષ્કળ સુવર્ણનો વ્યય કરવા લાગ્યો. જે કોઈ રસવાળી અપૂર્વ કથા કહે તેને એક લક્ષ સુવર્ણ આપવાનું તેણે જાહેર કર્યું. પ્રતિદિન હાથી, ઘોડા, બળદ, ઉંટ, દુકૂળ તથા વસ્ત્રો વગેરે બત્રીશ લાખ સુવર્ણની કિંમતનું દાન અપાતું હતું. મહામનવાળો અને દક્ષ એવો તે રાજા દ૨૨ોજ સાત ક્ષેત્ર વગેરે પુણ્ય કાર્યમાં વીશ લાખ દ્રવ્યનો વ્યય કરવા લાગ્યો. સેવા માટે આવેલા રાજાઓ, મંત્રીઓ અને પુરોહિતોને તે દાનેશ્વરી દરરોજ ૩૬ લાખ સુવર્ણ આપીને પ્રસન્ન કરવા