SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧ ચતુર્થ પલ્લવઃ કોણ છે? અને તને કોણે બાંધ્યો હતો? તે કહે.” રત્નપાળના પ્રશ્નના ઉત્તરમાં હાથ જોડીને તે પુરુષ બોલ્યો કે-“પુરુષશ્રેષ્ઠ ! મારા બંધનનું કારણ હું કહું છું તે સાંભળો. * વૈતાદ્યપર્વત ઉપર દક્ષિણ શ્રેણિમાં ગગનવલ્લભ નામના નગરમાં સુગંધવલ્લભ નામનો વિદ્યાધરેશ્વર છે. હું હેમાંગદ નામનો તેનો પુત્ર છું. ત્યાં હુ આનંદથી રહેતો હતો. એક દિવસ હું સ્ત્રી સાથે નંદીશ્વર દ્વીપે યાત્રાર્થે જતો હતો, તેટલામાં માર્ગમાં મારો શત્રુ વિદ્યાધર મળ્યો. તે પાપીએ રાક્ષસી વિદ્યાના બળથી મને બાંધીને અહીં મૂકી દીધો અને મારી સ્ત્રીને લઈને તે ભાગી ગયો. અત્યારે મારા ભાગ્યોદયથી સત્ત્વવાનું તું અહીં આવી ચડ્યો અને મને છૂટો કર્યો, નહીં તો તે દઢ બંધનથી હું જીવતો પણ રહે તેમ નહોતું.” આ પ્રમાણે તેઓ વાત કરે છે તેટલામાં તે શત્રુ વિદ્યાધર તેની પત્ની સહિત ત્યાં આવ્યો અને રોષથી લાલ નેત્રવાળો થઈને બોલ્યો કે “અરે! આને મેં અહીં બાંધ્યો હતો, કોણે તેને છૂટો કર્યો? તે અકાર્યકારીનું જીવિત જ સંપૂર્ણ થયું લાગે છે. આ પ્રમાણે કહીને તલવાર ખેંચી તે રત્નપાળ તરફ દોડ્યો, મહાબાહુ રત્નપાળ પણ તેની સાથે સંગ્રામ કરવા સજ્જ થયો. કેટલાક સમય સુધી ખડ્યાખડ્યી યુદ્ધ કર્યા પછી રત્નપાળે લઘુલાઘવી કળાથી તેને હણીને પૃથ્વી પર પાડી દીધો. તેથી રાક્ષસી વિદ્યા પણ તેને ત્યજીને રાડ પાડીને ભાગી ગઈ. હેમાંગદ સ્ત્રી મળવાથી અને શત્રુ ભરાવાથી બહુ ખુશ થયો. - હેમાંગ પ્રત્યુપકારનિમિત્તે રત્નપાળને બે ઔષધિઓ આપી અને તેનો મહિમા બતાવતા તેણે કહ્યું કે “આ પ્રથમ વલય સપના વિષને હરનાર છે અને બીજું વલય માણસને મોહ પમાડનાર છે.” આ પ્રમાણે કહી રત્નપાળને નમસ્કાર કરીને તે સ્ત્રી સહિત પોતાને સ્થાને ગયો. રત્નપાળ બે ઔષધિઓ લઈને વલ્લીથી ગૂંથેલી વેણી જેવી વનશ્રેણિને જોતો જોતો એક દિશામાં આગળ ચાલ્યો. પરંતુ વૃક્ષોની ગાઢ છાયાથી થયેલા અંધકારમાં તે મહાકષ્ટ ગમન કરવા લાગ્યો, અચાનક એક વૃક્ષની છાયામાં સૂતેલા એક રોગી મનુષ્યને તેણે જોયો. દિનમુખવાળા, આંખમાં ઝરતા અશ્રુવાળા, ધર્મકર્મવડે પવિત્ર, શુભભાવવાળા, રક્ષક વિનાના અને વિદેશી તે શ્રાવકને જોઈને કૃપાળુ રત્નપાળે વિચાર્યું કે-“આ મનુષ્ય અંતિમ અવસ્થાને પામેલો જણાય છે, તેથી તેનું રક્ષણ કરવું જોઈએ, તેમજ આરાધના કરાવવી જોઈએ. આમ વિચારીને રત્નપાળે પુણ્યબુદ્ધિથી તેને કહ્યું કે–“હે ધર્મબંધુ ! તું સર્વ જીવોને ખમાવ, નવકારમંત્રનું સ્મરણ કર, અરિહંત, સિદ્ધ, મુનિ અને ધર્મ એ ચારનું શરણ સ્વીકાર, ભાવપૂર્વક સમ્યક્તને તથા શીલને અંગીકાર કર. સ્ત્રી, પુત્ર, મિત્ર, બંધુ, ધન, ધાન્ય, ગૃહ અને અન્ય સર્વ ઉપરથી મમત્વ ત્યજી દે. આ જીવને દેહ, ગૃહ, કુટુંબ અને લક્ષ્મી સર્વ પામવું સુલભ છે, પરંતુ જિનેશ્વરકથિત ધર્મની પ્રાપ્તિ થવી અત્યંત દુર્લભ છે. કોઈના ઉપરોધથી, ભયથી, ક્રોધથી, લોભથી, ક્ષોભથી, કુતૂહળથી જે કંઈ મિથ્યા બોલાયું હોય તે આલોચના કરવાથી મિથ્યા થાઓ. પુરુષ તે જ કહેવાય છે જે જીવિતને અને મૃત્યુ બંનેને આરાધે છે. બીજા તો પશુતુલ્ય છે. - “હે બંધુ ! નિર્મળ મનવાળો થઈ, બંધુજનાદિ ઉપરના સ્નેહને ત્યજી અંતિમ આલોચના
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy