________________
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાાવ્ય આ પ્રમાણે પોતાના મિત્રના કહેવાથી જયમંત્રીએ શૃંગારસુંદરીને ‘તારું શીલ મહાપ્રભાવવાળું છે' એમ કહીને છોડી દીધી અને તેને નમસ્કાર કર્યો.
૯૦
ત્યારબાદ શૃંગારસુંદરી પતિ વિયોગ સંબંધી વિડંબનારૂપી સમુદ્રનો પાર પામવા માટે છઠ્ઠ અક્રમાદિ તપ કરવામાં તત્પર થઈ, તથા સ્નાન વિલેપનાદિક ત્યજીને સાધ્વીની જેમ રહેવા લાગી. કોઈક વખત એક સારો નિમિત્તજ્ઞ ત્યાં આવ્યો. શૃંગારસુંદરીએ તેને પોતાના સ્વામીનો યોગ થવા વિષે પૂછ્યું. નિમિત્તશે ‘યોગ થશે’ એટલું જ કહ્યું, તેના વિશ્વાસ ઉપર જ રાણી દેહ ધારણ કરીને રહી.
સ્વામીદ્રોહી તથા પાપાત્મા એવો જયમંત્રી રત્નપાળને સ્થાને રહી રાજ્ય ક૨વા લાગ્યો છે. શાસ્ત્રકાર કહે છે કે—દુર્જન ઉપર કરેલો ઉપકાર મોટા દોષને માટે જ થાય છે. જુઓ વ્યાધિઓને અનુકૂળ આચરણ કરીએ તો વ્યાધિઓ વૃદ્ધિ પામે છે—કોપે છે, તેની તો સામે જ પડવું જોઈએ, તો જ તે કાંઈક મંદ પડે.”
હવે અરણ્યમાં રહેલા રત્નપાળની અવસ્વાપિની નિદ્રાનો પ્રભાવ ૨૪ કલાકે ઉતર્યો અને તે જાગૃત થયો. શય્યામાં રહ્યો રહ્યો તે ચારે તરફ જોવા લાગ્યો, ચારે બાજુ મહાભયંકર અરણ્ય જ દેખાતું હતું. તેમજ સિંહ, વ્યાઘ્ર, શિયાળ, ઘુવડ, ગીધ, ભૂંડ અને મોર વગેરેના તેમજ સારસ, ક્રૌંચ અને કાગડા વગેરેના ભય ઉત્પન્ન કરે તેવા શબ્દો સંભળાતા હતા. કોઈ જગ્યાએ મૃગનાં ટોળાં જણાતા હતા, કોઈ જગ્યાએ વાંદરાના ટોળાં દેખાતા હતા, કોઈ જગ્યાએ ઊંચા કિનારાવાળા સરોવરો દેખાતા હતા અને કોઈ જગ્યાએ અનેક જાતિના વૃક્ષો નજરે પડતા હતા. આ પ્રમાણે ચારે બાજુ જોતો રત્નપાળ ચકિત થઈને ચિંતવવા લાગ્યો કે—જરૂર રાજ્યલોભથી મંત્રીએ જ મને વનમાં ત્યજી દીધો લાગે છે, મેં તેને મારો ભક્ત જાણીને તેના પર રાજ્યભારનું આરોપણ કર્યું, પરંતુ તે પાપી તેમજ ધૂર્તે ખરેખર વિશ્વાસઘાત કર્યો. ખોળામાં મસ્તક રાખીને સૂના૨નો શિરચ્છેદ કરવાનું કાર્ય તેણે કર્યું. મુગ્ધ એવા મને ઠગીને તેણે મહાકૂપમાં નાંખ્યો છે. કર્મચંડાળ, કૃતઘ્ન, સ્વામીનો ઘાત કરનાર તે દુર્મંત્રી મને આવી અવસ્થા પમાડીને કેટલોક સમય સુખેથી રાજ્ય કરશે ?' આ પ્રમાણે વિચાર્યા પછી ફરી ધૈર્યપણાનું અવલંબન કરીને તે ચિત્તમાં વિચારવા લાગ્યો કે : ‘‘તે દરિદ્રી મને શું કરી શકે ? આમાં ખરેખર તો કર્મ જ કારણભૂત છે. જે દેશમાં, જે કાળમાં, જે દિવસે અને જે મુહૂર્તે સુખ કે દુઃખ હાનિ કે વૃદ્ધિ પ્રાપ્ત થવાના હોય છે તે તે પ્રમાણે જ પ્રાપ્ત થાય છે. તપ, દાન, મિત્ર બાંધવ કોઈપણ કાળે કર્મથી પીડાતા મનુષ્યનું રક્ષણ કરી શકતા નથી. સુખ કે દુઃખ પ્રાપ્ત થવામાં સત્ત્વ કારણભૂત નથી, ગુણ કારણભૂત નથી, રૂપ, યશ, વીર્ય કે ધન પણ કારણભૂત નથી, તેમજ શીલ કે કુળ પણ કારણભૂત નથી, માત્ર પૂર્વે આચરેલાં કર્મ જ કારણભૂત છે.’
આ પ્રમાણે ઘણી રીતે વિચાર કરીને તે રત્નપાળ શય્યામાંથી ઊભો થયો અને નીચે ઊતરી ધીમે ધીમે ચાલવા લાગ્યો. ત્યાં આગળ તેણે એક પર્વત જોયો. તે પર્વતના શિખર ઉપર ચડતાં બંધનથી બંધાયેલા એક પુરુષને તેણે જોયો. મૃતાવસ્થા જેવો થયેલ જોઈને તરત જ કુમારે તેને છૂટો કર્યો. ત્યારબાદ પવનવડે તેને ચેતના આવી ત્યારે રત્નપાળે પૂછ્યું કે—‘‘હે ભદ્ર ! તું