________________
ચતુર્થ પલ્લવઃ
૮૭ કર્યા. રાજયના લોભથી તે પાપીએ સ્વામીદ્રોહ કરવાનો આરંભ કર્યો. એક દિવસ રાત્રીમાં રાજાને અવસ્થાપિની નિદ્રા આપીને તેને પલંગસહિત ઉપાડ્યો અને અરણ્યમાં લઈ જઈ તેને મારવાની શરૂઆત કરી. તેટલામાં રાજાનું આયુષ્ય દઢ હોવાથી આકાશવાણી થઈ કે “મા, મા, ભો, ભો” આવી વાણી સાંભળીને તેના ભયથી રાજાને અરણ્યમાં મૂકીને મંત્રી ભાગી ગયો, અને સેવકો પણ દશે દિશામાં ભાગવા લાગ્યા. તે દિવસથી અંતઃપુર સહિત આખું રાજય મંત્રીના તાબામાં આવ્યું. એક શૃંગારસુંદરી સિવાય બીજી બધી રાણીઓને તે કામાંધ મંત્રીએ કુકર્મવડે ભ્રષ્ટ કરી. શૃંગારસુંદરી શીલવ્રતમાં અત્યંત પરાયણ હોવાથી તે દુષ્ટ મંત્રીએ અનેક પ્રકારે પ્રાર્થના કરવા છતાં પણ તેના વચનને તેણે માન્ય કર્યું નહીં. તે કારણે કામ અને ક્રોધથી અંધ બનેલો તે મંત્રી શૃંગારસુંદરીને દરરોજ પાંચસો ચાબુક મારવા લાગ્યો. તેના રૂપમાં મોહિત થયેલા તે કામીને તેની લેશમાત્ર દયા આવી નહીં. “કામી મનુષ્યને દયા, ક્ષમા, લજ્જા, બંધુભાવ, દાક્ષિણ્ય કે ધર્મબુદ્ધિ હોતી જ નથી.' કહ્યું છે કે “કામી લજ્જા પામતો નથી, જોતો નથી, સાંભળતો નથી, ગુરુજનની, સ્વજનની કે પરની અપેક્ષા કરતો નથી. તે તો એમ જ કહે છે કે- હે કમળનાપત્રસમ વિશાળ નેત્રવાળી ! તું આગળ ચાલ, તેથી વિંધ્યાટવી પ્રત્યે જનારો માર્ગ તે જ મારો રાજમાર્ગ છે.” “મનુષ્ય સલજ્જ, સમય, સુવિદ્યાવાનું, સગુણી અને બુદ્ધિમાનું ત્યાં સુધી જ છે કે જયાં સુધી તે કામવશ થયો નથી. અહો ! કામ સર્વ જગતને જીતનારો છે.”
શૃંગારસુંદરીને તે કામાંધમંત્રીએ અનેક પ્રકારની વેદના ઉત્પન્ન કરી, પરંતુ વ્રતમાં સ્થિરીભૂત થયેલી તે રાણીનું મન તે દ્વિધા કરી શક્યો નહીં. ત્યારપછી તે દુરાત્માએ તેના શરીરમાંથી માંસના ખંડો સાણસીવડે તોડાવી તોડાવીને પશુઓને ખવડાવ્યા. આ પ્રમાણે એક મહિના સુધી તે મહાસતીની તે દુષ્ટ મહાકદર્થના કરી, તો પણ તેણીએ તેનું વચન માન્યું નહીં. પ્રાણથી અધિક એવા શીલધનની અખંડ રક્ષા કરી. “તીવ્ર અને ઘનપવન વડે પણ શું મેરૂપર્વતના શિખરો તૂટીને ધરતી ઉપર ક્યારેય પડે છે?
એક વખત કોઈક સજ્જને તે દુષ્ટ મંત્રીને સમજાવતા કહ્યું કે–“હે મિત્ર ! હું તને કાંઈક તારા હિતની વાત કહું તે સાંભળ! તું આ સતીને મારી નાંખીશ તો પણ તે પોતાના શીલથી ચલિત થશે નહીં, પરંતુ એના રોષાનલથી તું એક ક્ષણમાં ભસ્મસાત થઈ જઈશ. કેમકે મુનિઓને તેમજ દેવોને પણ સતીઓનો શાપ દુઃસહ છે. સતીના શીલના મહાભ્યથી અગ્નિ જળરૂપ બની જાય છે, સર્પ પુષ્પની માળારૂપ થાય છે અને વિષ અમૃત થાય છે. સિંહ, વાઘ, પિશાચ, યક્ષ, વ્યંતર અને રાક્ષસો પણ તેના શાપથી નાશ પામી જાય છે, તેથી તેઓ તેની રેખાનું ઉલ્લંઘન કરતા નથી. સતીના શીલનો પ્રભાવ તું સાવધાન થઈને સાંભળ. પૂર્વે સતીના શાપથી એક વિદ્યાધરનું સમગ્ર કુટુંબ નાશ પામી ગયું હતું તેની કથા કહું છું.
સૌભાગ્યદીપિકાની કથા * “પૂર્વે રત્નપુરમાં રામ નામે રાજા રાજય કરતો હતો. તે નગરમાં ધનદત્ત નામનો શ્રેષ્ઠી વસતો હતો. તે શેઠને લાવણ્યરૂપ જળની કૂપિકા જેવી શીલવંત, પતિભક્તા અને પ્રિય • બોલનારી ધનશ્રી નામની સ્ત્રી હતી. તે સ્ત્રીની સાથે વિવિધ પ્રકારના સુખભોગ ભોગવતાં તેને